આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: July 2013

ઉમરેઠમાં નો-પાર્કિંગ ઝોનમાં ઉભેલ રીક્ષાઓ ઉપર પોલીસ તંત્રની લાલ આંખ


– પીયાગો રીક્ષા ડીટેન કરવામાં આવી

IMG_20130726_134223 (1)

ઉમરેઠ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી બસ સ્ટેશન થી ઓડ ચોકડી વિસ્તારમાં ખાનગી વાહનો બેફામ રીતે પાર્કીંગ કરી ઉભા રહેતા હતા જેને કારણે સ્થાનિકો સહીત આ વિસ્તાર માંથી અવર જવર કરતા અન્ય વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ઉપરાંત ખાનગી પીયાગો રીક્ષામાં મુસાફરો પણ અવર જવર કરતા હોવાથી એસ.ટી.તંત્રને પણ મુસાફરો માટે વલખાં મારવા પડતા હતા. આજે ઉમરેઠમાં ખાનગી વાહનો ઉપર લાંલ આંખ કરતા ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલે બસ સ્ટેશન વિસ્તારમાં તેમજ અન્ય નો-પાર્કિંગ ઝોનમાં બેફામ પાર્ક કરેલ પીયાગો રીક્ષાઓના ચાલકો ઉપર કાર્યવાહી કરી તેઓના વાહનો ડીટેઈન કરવા સુધીની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તંત્રના અચાનક આક્રમક અભિગમથી ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ડીટેઈન કરેલ રીક્ષાઓ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી અને ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં ઉમરેઠના બસ સ્ટેશનથી ઓડ બજાર સુધીના વિસ્તારમાં લારી ગલ્લા સહીત પાથરણાં વાળા ઉપર ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલે કાર્યવાહી કરી તેઓને હટાવ્યા હતા. પરંતુ જેમ જેમ પોલીસ કાફલો આગળ ગયો હતો તેમ તેમ પાછળ લારી ગલ્લા તેમજ પાથરણાં વાળા પૂર્વવત થઈ ગયા હતા. તેવીજ રીતે બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન ચાલકો ઉપરની કાર્યવાહી પરપોટા જેવીજ હશે…? કે પછી કાયમ માટે બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનો ઉપર તવાઈ રહેશે તેમ નગરજનો પ્રશ્ન કરી રહ્યા છે.

ઉમરેઠમાં વરસાદ


માત્ર અઢી થી ત્રણ કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો…!

નગરપાલિકા તંત્ર જેસીબી મશીન લઈ પાણીનો નિકાલ કરવા કામે લાગ્યું..!

ગઈકાલે રાત્રી થી આજે સવાર સુધી ઉમરેઠ પંથકમાં અવિરત વરસાદ વિજળીના કડાકા સાથે વરસ્યો હતો. ઉમરેઠ પંથકમાં નિચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ઉમરેઠ બસ સ્ટેશન પાસે આવેલ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં આવેલ દૂકાનધારકોને ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયુ હોવાથી કેટલીક દૂકાનોમાં પાણી ગુસી જવાની દહેશતના પગલે દૂકાનદારોએ બેઝમેન્ટ માં પંપ મુકી પાણી બહાર કાઢ્યું હતું. ઉમરેઠમાં જાગનાથ ભાગોળ, ખારવાવાડી, ઓડ બજાર ડેરી સહીત વડા બજાર અને કસ્બા જેવા નિચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થઈ ગયો હતો. આ સમયે નગરપાલિકા તંત્રએ જેસીબી મશીન તેમજ પાણી ઉલેચવાના અન્ય સાધનો સાથે નગરમાં ઠેર ઠેર પાણી નિકાળવા માટે જહેમત ઉઠાવી હતી.ઉમરેઠમાં મોડી રાત્રે શરૂ થયેલ વરસાદ સવારે ૮ કલાકે બંધ થયો હતો , જેથી સવારના સમયે લોકો નોકરી ધંધે જઈ શક્યા હતા.

ઉમરેઠ ડાકોર માર્ગ ઉપર વૃક્ષ ધરાશય.

ઉમરેઠ ડાકોર માર્ગ ઉપર ભારે વરસાદને કારણે વૃક્ષ ધરાશય થઈ જતા લગભગ બે કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઉમરેઠ બસ સ્ટેશન થી ભવન્સ કોલે સુધી માર્ગ ઉપર ઠેર ઠેર ચક્કાજામના દર્શ્યો સર્જાયા હતા. ઉમરેઠ પોલીસે આ સમયે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી વૃક્ષને રસ્તા માંથી ખસેડાવી ટ્રાફિક પૂર્વવત કરાયો હતો.

ઉમરેઠ ડાકોર માર્ગ ઉપર ભારે વરસાદને કારણે વૃક્ષ ધરાશય થઈ જતા લગભગ બે કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઉમરેઠ બસ સ્ટેશન થી ભવન્સ કોલે સુધી માર્ગ ઉપર ઠેર ઠેર ચક્કાજામના દર્શ્યો સર્જાયા હતા. ઉમરેઠ પોલીસે આ સમયે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી વૃક્ષને રસ્તા માંથી ખસેડાવી ટ્રાફિક પૂર્વવત કરાયો હતો.

પોલીસ વસાહના પ્રવેશ દ્વારે પાણી ભરાયા

ઉમરેઠમાં ભારે વરસાદના પગલે આજે વિવિધ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. ઉમરેઠના બેચરી ફાટક માર્ગ ઉપર આવેલ પોલીસ વસાહતના પ્રવેશ દ્વાર માંજ પાણીનો ભરાવો થઈ જતા પોલીસ કર્મીઓને અવર જવર કરવામાં ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે પાલિકા તંત્રને જાણ કરતા જેસીબી મશીન થી આ પ્રવેશ દ્વાર આગળ થી પાણીને જવા માટે માર્ગ કરવામાં આવ્યો હતો.

ઉમરેઠમાં ભારે વરસાદના પગલે આજે વિવિધ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. ઉમરેઠના બેચરી ફાટક માર્ગ ઉપર આવેલ પોલીસ વસાહતના પ્રવેશ દ્વાર માંજ પાણીનો ભરાવો થઈ જતા પોલીસ કર્મીઓને અવર જવર કરવામાં ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે પાલિકા તંત્રને જાણ કરતા જેસીબી મશીન થી આ પ્રવેશ દ્વાર આગળ થી પાણીને જવા માટે માર્ગ કરવામાં આવ્યો હતો.

ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં અષાઢી જોખાઈ


જૂવાર,ઘઊં, મગ અને ચણાનો પાક વધારે થવાનો વર્તારો

ચંન્દ્રમુળેશ્વર મહાદેવના ચમત્કારી ગોખ માંથી પંચ સમક્ષ મુકેલ ધાન્યોની પોટલી મુકેલો ઘડો પુજારીએ પંચ સમક્ષ બહાર નિકાળ્યો હતો, જેમાં મુકેલા ધાન્યોને પૂનઃ નગરના વહેપારી દિલીપભાઈએ ફરી જોખ્યા હતા.

ઉમરેઠના સ્ટેશનરોડ વિસ્તારમાં આવેલ ચંન્દ્રમૂળેશ્વર મહાદેવ ખાતે આજે સવારે પંચની હાજરીમાં ઐતિહાસીક અષાઢી જોખવામાં આવી હતી. જેમાં જૂવાર,ઘઊં,મગ અને ચણાનો સારો પાક થશે તેવો વર્તારો જોવા મળ્યો હતો. સોમવારે સાંજે મંદિરના ચમત્કારી ગોખમાં પંચની રૂબરૂ અષાઢીના ધાન્યોને જોખી એક કોરી પોટલીમાં મુકી ગોખને પંચની રૂબરૂ બંધ કરી શીલ કરવામાં આવ્યું હતું બીજા દિવસે આ ગોખમાં મુકેલા ધાન્યોને પંચરૂબરૂ બહાર કાઢી જોખવામાં આવ્યા હતા અને તેમાં થયેલ વધઘટને અષાઢીના વર્તારા તરીકે માનવામાં આવે છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં પરંપરાગત રીતે આજે ઉમરેઠના પ્રતિષ્ઠીત વહેપારી દિલીપભાઈ સોનીએ અષાઢીમાં જોખાતા ધાન્યોના વજનમાં વધગટ જોવા મળી હતી જેના આધારે ઉમરેઠ પંથકના ખેડૂતોએ પોતે કયા ધાન્યોની ખેતિ કરવી તેનો અંદાજ લીધો હતો.  સંવત ૨૦૬૮ની સરખામણીમાં ચાલુ વર્ષે ધાન્યોમાં મગ ૪ વધારે, જૂવાર ૧૦ વધારે, ઘઊં ૫ વધારે, અડદ ૧ વધારે જોખાયા હતા જેથી આવનારા દિવસોમાં આ કઠોડ વધારે થશે તેવો વર્તારો આવ્યો હતો. જ્યારે ગત વર્ષની સરખામણીમાં ડાંગર અને બાજરી ઓછી થતા તેનો પાક ઓછો થશે તેવો ખેડૂતોએ મત વ્યક્ત કર્યો હતો. જ્યારે માટી પણ સાધારણ ઓછી જણાતા વરસાદ ઓછો થશે તેવી માન્યતા બંધાઈ છે. ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જોખાયેલ અષાઢીના સમયે નગરના પ્રતિષ્ઠીત વહેપારીઓ, ખેડૂતો તેમજ સ્થાનિકો સહીત મંદિરના પુજારી હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્રના ખેડૂતોને ટપાલ દ્વારા વર્તારો મોકલાશે – ચંન્દ્રમુળેશ્વર મહાદેવના પુજારીએ જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રમાં ઉમરેઠમાં જોખાતી અષાઢીનું ખુબજ મહત્વ છે. ત્યાંતા ગંજ બજારના વહેપારીઓ અને ખેડૂતો હંમેશા ટપાલ લખી અષાઢીના વર્તારા અંગે પુચ્છા કરે છે. તેઓને મંદિર તરફથી કાયમ અષાઢીનો વર્તારો ટપાલથી અમે મોકલીએ છે.

 

ધાન્યનું નામ

  

ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનો વર્તારો

 

 

મગ

૪ વધારે

 

ડાંગર

 

૭ ઓછી

જુવાર

 

૧૦ વધારે

ઘઊં

 

૫ વધારે

તલ

 

સમધારણ

અડદ

 

૧ વધારે

કપાસ

 

રતીભાર વધારે

ચણા

 

૧ વધારે

બાજરી

 

રતીભાર ઓછી

માટી

રતીભાર ઓછી

 

યુથ ફાઊન્ડેશન દ્વારા રાષ્ટ્રીય ઝંડા અંગિકરણ દિવસની ઉજવણી


ઉમરેઠ ખાતે આણંદ જિલ્લા યુથ ફાઊન્ડેશન દ્વારા રાષ્ટ્રીય ઝંડા અંગિકરણ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરના વાંટા વિસ્તાર થી પંચવટી સુધી રેલી નિકાળવામાં આવી હતી જેમાં આણંદ જિલ્લા યુથ ફાઊન્ડેશનના સભ્યો તેમજ હોદ્દેદારો સહીત નગરના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રેલીના અંતે પંચવટી વિસ્તારમાં કેક કાપીને ઝંડાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઝંડાના મહત્વ અને ઈતિહાસ અંગે ચર્ચા કરતા યુથ ઈન્ડિયા ફાઊન્ડેશનના વા.પ્રેસિડેન્ટ મૌલિકભાઈ કાછીયાએ જણાવ્યું હતુ કે, ગુલામી બાદ ભારત દેશ 15મી ઓગષ્ટ, 1947ના દિવસે આઝાદ થયો, અને ત્યારથી આઝાદના પ્રતિક સમાન એવો તિરંગો ઝંડો સ્વતંત્ર ભારતની ઓળખ બની. દર વર્ષે 22મી જુલાઈ રાષ્ટ્રીય ઝંડા અંગિકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1947ની 22 જુલાઈએ મળેલી બંધારણ સભામાં તિરંગાની ડિઝાઈનને અંતિમરૂપ આપવામાં આવ્યું હતું,જેનો નિર્ણય સર્વસંમત્તિથી લેવાયો હતો. ઝંડાના જન્મ દિવસની ઉજવણીમાં યુથ ઈન્ડિયા ફાઊન્ડેશનના આણંદ જિલ્લા પ્રમુખ મિનેષ કાછીયા, ઉપ પ્રમુખ મૌલિક કાછીયા, ઉમરેઠ શહેર પ્રમુખ રીતેષ પટેલ તેમજ ગ્રામ્યજનો અને યુવાનો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે યુથ ઈન્ડિયા ફાઊન્ડેશન દ્વારા યુવાનોને જાગૃત કરવા માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આર.ટી.આઈના કાયદા અંગે યુવાનોને અવગત કરાવવા ખાસ આયોજન થાય છે. હાલમાં આ સંસ્થા સુરત, અમદાવાદ તેમજ વ્યારા સહીત આણંદ જિલ્લામાં સક્રીય રીતે યુવાનોને આગળ લાવવા મદદ કરે છે

ઉમરેઠ સંતરામ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી


ઉમરેઠ સંતરામ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજના આર્શિવાદ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રી ગણેશદાસજી મહારાજએ આશિર્વચન આપતા ગૂરૂ અને શિષ્યના સબંધનું મહત્વ સમજાવ્યું હતું. શ્રી ગણેશદાસજીના ભક્તોએ ગુરૂપુજન કરી પોતાની શ્રધ્ધા દર્શાવી હતી. સમગ્ર ઉમરેઠ સહીત થામણા,ઓડ,લીંગડા,સુંદલપૂરા અને કાલસરના ભક્તો પણ શ્રી ગણેશદાસજી મહારાજના આર્શિવાદ મેળવવા આવી પહોંચ્યા હતા. ભક્તો માટે શ્રી સંતરામ મંદિર દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પ્રસાદી લઈ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, ભાજપ જિલ્લા સંગઠનના વિપુલભાઈ પટેલ, લાલસિંહભાઈ વડોદિયા સહીત તેમજ ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ બોસ્કીના અગ્રણીઓએ શ્રી ગણેશદાસજી મહારાજના આશિર્વાદ લીધા હતા.

યુથ ઈન્ડિયા ફાઊન્ડેશન


મિત્રો

આપણે સૌ દરરોજ ટી.વી કે પેપર માં આપણા દેશ ના સમાચાર તો જોઈએ જ છીએ. તેમાં દેશનો ભ્રષ્ટાચાર, સરકારની લાપરવાહી વગેરે… એટલા માટે આપણા દેશના યુવાન મિત્રોને જાગૃત કરવા માટે તથા આ યુવાનોને તેમનો હક તો ખબર જ છે પરંતુ ફરજોથી દૂર છે. એટલા માટે એક સામાજિક સંસ્થા રચી છે. જેમાં યુવાનોને પોતાના દેશની ફરજ, ગેરમારગે જતા રોકવા તથા પોતાની રાષ્ટ્ર પ્રત્યેની સામાજિક જવાબદારીથી દૂર જઇ રહ્યા છે. તેમણે આ સામાજિક જવાબદારી તરફ વળવા એક અનોખો પ્રયાસ || યુવા જાગૃતિ અભિયાન || એ ||યુથ ઈન્ડિયા ફાઉંડેશન || ધ્વારા કરવામાં આવી રહ્યો છે. આ સંસ્થા NGO (non- governmental organization ) છે. આ સંસ્થા સાથે કોઈજ રાજકીય પાર્ટી સંકડાયેલ નથી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ યુવા શક્તિને જાગૃત કરવા માટે છે. વધુમાં વધુ યુવાનો એકત્રિત થઈ આપડા દેશને બચાવી સકે તેનામાટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. યુવા તથા દરેક ભારતીય નાગરિકને આપના રાષ્ટ્ર ના દરેક તહેવારોની ઉજવણી વિષે માહિતી આપી જે-તે શહેરોમાં આના પ્રયાશ શરૂ થયેલ છે. આ સંસ્થામાં વ્યસનમુક્તિ અભિયાન, શિક્ષણનું જરૂરી મહત્વ તથા RTI (right to information) ના કાયદાની માહિતી આપવામાં આવે છે. તથા દરેક સરકારી સ્કૂલમાં જઈને નવી યુવા સમાજને જાગૃત કરવામાટે સેમિનાર રાખવામા આવે છે. દરેક નાગરિકને સમજાવવું કે આપના પુરાવા જેવાકે વોટિંગ કાર્ડ, રેશન કાર્ડ, પાનકાર્ડ, જેવી દેશના જરૂરી પુરાવા કાડવામાટે પ્રેરિત કરવામાં આવે છે. દરેક ભારતીય નાગરિકને વોટિંગ વિષે ખયાલ આપી વોટિંગ કરવા પ્રેરિત કરવામાં આવે છે.

આ સંસ્થા હાલમાં સુરત, વ્યારા, તાપી, અમદાબાદ,આણંદમાં કાર્યરત છે. આ સંસ્થા ધ્વારા અમે આખા ભારતમાં આ માર્ગ અપનાવવાના પ્રયાસ ચાલુ છે. આ સંસ્થામાં જોડાવવા તેમજ વધુ માહીતી  માટે સંપર્ક : –

મૌલિક કાછિયા
(મો.) 9904449982

આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી પદે નિમણુંક


ઉમરેઠ શહેર ભાજપના સક્રીય કાર્યકર

હર્ષ સંજયભાઈ શહેરાવાળાની

આણંદ જિલ્લા સંગઠનના યુવા મોરચાના મંત્રી પદે વરણી કરવામાં આવી છે.

તેઓને આણંદ જિલ્લાના ભાજપના વરીષ્ઠ નેતાઓ સહીત

ઉમરેઠ શહેર ભાજપના હોદ્દેદારોએ શુભેચ્છા વ્યક્ત કરી હતી.

વૃધ્ધ મહિલાના ઘરમાં લુંટફાટ બાદ- ઉમરેઠની રેટિયા પોળ પાસેથી શાક માર્કેટ ખસેડાયું..!


  • ઉમરેઠ પોલીસ ગુન્હેગારોને પકડવામાં દિશા વિહીન , ટીફીનવાળા તેમજ દૂધવાળા સહીત શકમંદોની પુછપરછનો દોર ચાલું.

ઉમરેઠની રેટીયા પોળમાં રહેતી એક વૃધ્ધ મહીલાના ઘરમાં વૃધ્ધ મહિલાને બાંધીને થયેલ લુંટ પ્રકરણમાં પોલીસે શકમંદોની પુછપરછનો દોર શરૂ કર્યો છે, સાથે સાથે આ પોળ બહાર આવેલ શાકમાર્કેટને પણ આ વિસ્તાર માંથી ખસેડી દેવામાં આવ્યું છે. જેના પગલે સ્થાનિકોમાં રાહતની લાગણ વ્યાપી છે.

વધુમાં આ પહેલા આ વિસ્તારમાં આવેલ શાકમાર્કેટને કારણે સદર વિસ્તારમાં મહિલાઓની અવર જવર વધારે હતી જેમાં કેટલાક અસામાજિક તત્વો ભળી જઈ પોતાની અસામાજિક પ્રવૃત્તઓને અંજામ આપતા હતા. આ વિસ્તારમાં ભૂતકાળમાં ઉઠાંતરી અને ચેઈન સ્નેચીંગના પણ બનાવો બન્યા હોવા છતા પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવ્યા ન હતા. જેને પરિનામે આજે અસામાજિક તત્વોએ એક ડગલું આગળ ભરી રેટીયા પોળમાં રહેતી એકલી વૃધ્ધ મહિલાના ઘરમાં ગુસી જઈ લુંટફાટ કરી હતી.

ઉમરેઠની રેટીયા પોળ પાસે આવેલ ત્રણ મંદિરોને કારણે દિવસભર દર્શનના સમયે આ વિસ્તારમાં ભારે અવર જવર હોય છે. ઉપરથી સવારે ૮ થી બપોરે ૧ સુધી તેમજ બપોરે ૪ થી ૬ સુધી આ વિસ્તારમાં શાકમાર્કે ભરાતું હોય છે, જેથી આ વિસ્તારમાં આવેલ રેટીયાપોળ, મંદિરવાળી પોળ, સેવકલાલની પોળ તેમજ વ્હોરાની ખડકી સહીત ભુદરજીની ખડકી અને ગાંધીશેરીમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આખરે પોલીસ તંત્ર સહીત સ્થાનિક તંત્રએ આ વિસ્તારમાં ઉભા રહેતા શાકની લારી વાળા તેમજ પાથરણાં વાળાને તે જગ્યાએ થી દૂર કરી ઢાકપાલ વિસ્તારમાં ખસેડી દેતા આ વિસ્તારના લોકોએ રાહતની લાગણી વ્યક્ત કરી હતી.

પાડાના વાંકે પખાલીને ડામની નિતિ તંત્ર દ્વારા અખત્યાર કરવામાં આવી છે તેમ જણાવતા એક શાકવાળાએ જણાવ્યું હતુ કે, ચોર લુંટારાની અસામાજિક પ્રવૃત્તિને કારણે તેઓએ ભોગબનવું પડ્યું છે. તેઓએ ઉમેર્યું હતુ કે આ વિસ્તારમાં મંદિર હોવાને કારણે મહિલાઓ દર્શનાર્થે આવતા સમયે શાકભાજી ખરીદી કરતી હતી જેથી તેઓને ગ્રાહાકી આ વિસ્તારમાં સારી થતી હતી હવે જગ્યા બદલાતા આવકમાં ફરક પડશે – શાકભાજીવાળા

શાકભાજીવાળા ગુન્હેગાર નથી પણ શાકમાર્કેટને કારણે આ વિસ્તાર ગીચ થઈ ગયો હતો અને ગીચતાનો લાભ લઈ અસામાજિક તત્વો પોતાની નાપાક પ્રવૃત્તિને અંજામ આપતા હતા. કેટલીક વખત ઈમરજન્સીના સમયમાં આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી ન હતી જેથી શાકમાર્કેટ આ વિસ્તારના લોકો માટે નડતરરૂપ હતુ જે અન્ય જગ્યએ ખસેડાતા હવે ચોક્કસ રાહત થસે પણ તંત્ર કાયમ માટે આ વિસ્તારમાં શાકમાર્કેટ ન આવે તેવી ગોઠવણ કરવા પણ અમોની માંગ છે. – સ્થાનિકો

ઉમરેઠમાં વૃધ્ધ મહિલાને લુંટનાર લુંટારાને પકડવા ચક્રોગતિમાન


એફ.એસ.એલ તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ સહીત પોલીસ તંત્રએ ખબરીઓના નેટવર્કને કામે લગાડ્યું..!

ગઈકાલે ઉમરેઠની રેટીયા પોળમાં રહેતી વૃધ્ધ મહીલાના ઘરમાં ગુસી જઈ કેટલાક લુંટારાઓએ વૃધ્ધ મહીલાને તેના ઘર માંજ બાંધી દઈ બેફામ રીતે લુંટફાટ કરી હતી. આ લુંટારાઓએ મહીલાએ પહેરેલા દાગીણા સહીતની કિંમતી વસ્તુઓ લુંટી લઈ ફરાર થઈ ગયા હતા. આ ભરચક વિસ્તારમાં બનેલી ઘટનાના પગલે સમગ્ર ઉમરેઠ પંથકમાં એકલા રહેતા વૃધ્ધોમાં ભયનો માહોવ વ્યાપી ગયો છે.

વધુમાં આ અંગે ઉમરેઠ પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે ઉમરેઠ પોલીસે નગરમાં રહેતા સિનિયર સિટીઝન નાગરીકોની માહીતી એકઠી કરવા ચક્રો ગતિમાન કર્યા હતા,જેના ભાગરૂપે ઉમરેઠનગરના કેટલાક વિસ્તારોમાં ફરીને પોલીસ તંત્ર દ્વારા એકલા રહેતા વૃધ્ધો હાલમાં ક્યાં રહે છે, તેઓના ઘરમાં નોકરો અને દૂધવાળા સહીત કોન કોણ દિવસભર અવર જવર કરે છે, તેવી નાની નાની માહીતીઓ એકઠી કરી હતી. બીજી બાજૂ ઉમરેઠની રેટિયાપોળમાં રહેતી વૃધ્ધ મહિલાના ઘરે થયેલ લુંટફાટને લઈ ઉમરેઠ પોલસે એફ.એસ.એલ સહીતના પોતાના સાધન સરંજામથી વધુ તપાસ હાથ ધરી છે. ચર્ચાઈ રહ્યું છે કે રેટિયાપોળ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાને કારણે આ વિસ્તારમાં સવાર સાંજ મોટી સંખ્યામાં અવરજવર થાય છે જેમાં કેટલાક અસામાજિક તત્વો પણ ભળી જાય છે. આ કેસમાં મોટાભાગે કોઈ સ્થાનિક વ્યક્તિજ સંળોવાયા હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે, ઉમરેઠ પોલીસ દ્વારા પોતાના ખબરીઓના નેટવર્કને પણ એલર્ટ કરી દેવામાં આવ્યો હોવાનું કેટલાક સૂત્રો ચર્ચા કરી રહ્યા છે. પીડીત વૃધ્ધ મહિલાના ઘરમાં એફ.એસ.એલ અને ફિંગર પ્રિન્ટ એક્સ્પર્ટની મદદથી જો શક્ય હોય તેટલી ઉંડાણપૂર્વક ઉમરેઠ પોલીસ તપાસ કરે તો ગુન્હાનો ભેદ ઉકેલાઈ જવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ઉમરેઠમાં એકલી રહેતી વૃધ્ધ મહીલાના ઘરમાં લૂટ..!


મહિલાને બાંધી લુંટારા દાગીના અને રોકડ રકમ લઈ ગયા.

ઉમરેઠમાં છેલ્લા કેટલાય સમયથીઉઠાવગીરો અને ગઠીયાઓ સક્રીય થઈ જતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. તાજેતરમાં ઉમરેઠના ખરાદી કોઢ વિસ્તારમાં આવેલ બેન્ક ઓફ બરોડામાં બે મહિલાઓ દ્વારા ચીલઝડપ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ પહેલા આ જ વિસ્તાર માંથી ચીલ ઝડપ થઈ હતી. ઉમરેઠની વિવિધ સોસાયટીઓમાં પણ દિવસે દિવસે ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે આજે ઉમરેઠની રેટિયાપોળ ખાતે રહેતી એક વૃધ્ધ મહિલાના ઘરમાં ગુસી જ વૃધ્ધ મહિલાને બાંધી દઈ કેટલાક લુંટારાઓ તેઓને લુંટી ભાગી ગયા હતા જેની જાણ થતા આ વિસ્તારના સ્થાનિકો સહીત ઉમરેઠના સ્થાનિકોમાં વધારે ભય દેખાઈ રહ્યો છે, ત્યારે હવે ઉમરૅઠ પોલીસ સક્રીય બને તેવી લોકમાંગ પ્રવર્તમાન બની છે.

વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠની રેટિયાપોળમાં રહેતા શારદાબેન પોલાનો પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી મુંબઈમાં રહે છે, પરંતું શારદાબેન વર્ષમાં બે-ચાર મહિના પોતાના વતન ઉમરેઠ ખાતે રહેવા આવે છે. આ સમયે ઉમરેઠ ખાતેના તેઓના ઘરમાં માત્ર તેઓ એકલાજ રહેતા હોય છે, આ અંગે કેટલાક ગઠીયાઓને જાણ થતા ગઈકાલે શારદાબેનના ઘરમાં ગુસી કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેઓને બાંધી દઈ લુંટફાટ ચલાવી હતી. નગરમાં થતી ચર્ચાને ધ્યાનમાં લઈએ તો, શારદાબેને પહેરેલા દાગીના લઈ આ લુંટારા તેઓને બાંધી ભાગી છુટ્યા હતા. જ્યારે આજે બપોરે ચાર-પાંચ કલાકની આસ પાસ શારદાબેન પોલા જેમતેમ કરી પોતાને છોડાવી ઘર બહાર નિકળ્યા હતા અને આજૂબાજૂના લોકોને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. લગભગ ૧૮ થી ૨૦ કલાકથી ખાધાપીધા વગર રહેલ વૃધ્ધ મહીલાની સ્થિતિ જોઈ આજૂબાજૂના લોકોએ પોલીસને જાણ કરી હતી અને તેઓને સારવાર માટે નગરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

તમારા લેપટોપ કે કોમ્યુટરમાં whatsapp મેસેન્જર ડાઊનલોડ કરો.


whatsappથી ફોટા,વિડીયો,ઓડીયો, પણ અન્ય વ્યક્તિના મોબાઈલમાં સરળતાથી મોકલી શકાય છે, જેને કારણે હાલમાં આ મેસેન્જર યુવાધનમાં ખુબજ લોકપ્રિય છે. તમામ લોકો પોતાના મોબાઈલમાં whatsapp મેસેન્જર ડાઊનલોડ કરે જ છે અને પોતાના મિત્રો અને પરિવારના લોકોની સાથે પોતાના ફોટા અને વિડીયોની આપ-લે કરે છે. whatsapp મેસેન્જર હવે માત્ર મોબાઈલ પુરતું સિમિત નથી હવે તે તમારા લેપટોપ કે કોમ્યુટરમાં પણ ડાઊનલોડ કરી શકાય છે. તમારા લેપટોપ કે કોમ્યુટરમાં whatsapp મેસેન્જર ડાઊનલોડ કરવા માટે નીચેની પ્રક્રિયા અનુસરો.

(૧) સૌ પ્રથમ તમે http://www.bluestacks.com/ વેબસાઈટ ઓપન કરો ત્યાર બાદ તમારી ઓપરેટીંગ સિસ્ટમ સિલેક્ટ કરી BlueStacks તમારા કોમ્યુટર કે લેપટોપમાં ડાઊનલોડ કરો.

(૨) ઈન્સ્ટોલેશન પૂર્ણ થયા બાદ BlueStacks ઓપન કરો.

(૩) BlueStacks ઓપન કરી જમની બાજૂ ખૂણામાં “સર્ચ” ઓપશન દેખાશે ત્યાં whatsapp સર્ચ કરો, જ્યાં તમને whatsappનો આઈકોન દેખાય એટલે ઈન્સ્ટોલ ઉપર ક્લિક કરો.

ઉપરોક્ત સ્ટેપ અનુસરવાથી whatsapp એપ્લીકેશન સફળતાપૂર્વક તમારા કોમ્યુટરમાં ડાઊનલોડ થઈ જશે. હવે,

(૪) BlueStack Programમાં whatsapp ઓપન કરો.

(૫) તમારો મોબાઈલ નંબર દાખલ કરો.

(૬) થોડી જ ક્ષણોમાં તમારા મોબાઈલમાં એસ.એમ.એસ દ્વારા એક ૬ આંકડાનો નંબર આવશે જે વેરીફીકેશન કોડ તરીકે દાખલ કરો. ( જો એસ.એમ.એસ કદાચ ન આવે તો કોલ મી ઓપશન ઉપર ક્લિક કરો જેથી તમારા મોબાઈલ ઉપર ફોન આવશે અને તમને વેરીફીકેશન નંબર આપશે.)

(૭) વેરીફેકેશન પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે તમે તમારા કોમ્યુટરમાં whatsappનો આનંદ મેળવી શકો છો.

ઉમરેઠ તાલુકાની પ્રા.શાળાઓમાં ૨૪ કલાક વીજ સુવિધા આપવા રજૂઆત


તાલુકા પંચાયતના પ્રમુખે શિક્ષણમંત્રી તેમજ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

એક તરફ રાજ્યભરમાં પ્રવેશોત્સવ સહીત કન્યા કેળવણી મહોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્ર્મ કરી રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધરે તેમજ ગ્રામ્ય વિસ્તારના બાળકો શિક્ષણ મેળવતા થાય તે માટે અથાગ પ્રયત્નો કરી રહી છે અને તેમાં સફળતા પણ મળી રહી છે. બીજી બાજૂ ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારના વિવિધ પરાંમાં ૨૪ કલાક વિજળીની સુવિધા ન મળતી હોવાને કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વસાવેલા કોમ્યુટર સહીત પ્રયોગના સાધનો શોભાના ગાઠીયા સમાન બની જાય છે. આ અંગે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીને લેખિત રજૂઆત કરી ઉમરેઠ તાલુકાના પરાં વિસ્તારની સ્કૂલોમાં વિદ્યાર્થીઓના હીત માટે શાળાઓમાં ૨૪ કલાક વીજ સુવિધા ઉપલબ્ધ બને તે માટે રજૂઆત કરતા જણાવ્યું હતુ કે, કેટલાય સમયે ૭ દિવસ સુધી સવારના સમયે જ વીજ પુરવઠો બંધ રહે છે, આ દરમ્યાન શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ કોમ્યુટર વાપરી શકતા નથી તેમજ વિવિધ પ્રયોગ માટે સાધનો હોવા છતા તેનો ઉપયોગ થતો નથી જેની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર પડે છે. જેથી આ અંગે ઘટતું કરવામાં આવે તે જરૂરી છે. વધુમાં ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે કે, સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ શિક્ષણ કરવા પ્રેરાય તે માટે વિવિધ ઉત્સવો યોજવામાં આવે છે પરંતુ આ વિસ્તારમાં વિદ્યાર્થીઓને ભણતર માટે જરૂરિ પ્રાથમિક સુવિધા આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે. હજૂ પરાં વિસ્તારમાં જ્યાં ૨૪ કલાક વીજ સુવિધા નથી ત્યાં વિદ્યાર્થીઓ સારું શિક્ષણ ક્યાંથી મેળવવાના. તાજેતરમાં ઉમરેઠના પરાં વિસ્તારમાં વિદ્યાર્થીઓના શિક્ષણના સ્તરને લઈ આનંદીબેન પટેલે શિક્ષકો સહીત સ્થાનિક તંત્રને આડે હાથે લીધા હતા પણ કદાચ આનંદીબેન ને હજૂ ખબર નહી હોય કે ઉમરેઠના પરાં વિસ્તારમાં વીજ સુવિધા જ ન હોય ત્યારે શિક્ષકો ક્યાંથી બાળકોને સારી રીતે ભણાવી શકે..