આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: ઉમરેઠ વિધાનસભા – ૨૦૧૨

ઉમરેઠ વિધાનસભા-૧૧૧ સંપૂર્ણ વિગતવાર માહિતી


umreth111-vishlesan-2

ઉમરેઠમાં એન.સી.પીના જયંત પટેલ(બોસ્કી)નો વિજય


  • ઉમરેઠના સ્થાનિક અપક્ષ ઉમેદવાર સુભાષભાઈ શેલતને ૨૧૦૪૨ મત મળ્યા…!

ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર જયંતભાઈ પટેલ (બોસ્કી)નો તેઓના પરંપરાગત હરીફ ગોવિંદભાઈ પરમાર સાથે અત્યંત રસાકસીબાદ ૧૩૯૪ મતથી વિજય થયો હતો. એન.સી.પીના જયંત પટેલ (બોસ્કી)ને ૬૭૩૬૩ મત મળ્યા હતા જ્યારે તેઓના હરિફ ભાજપના ગોવિંદભાઈ પરમારને ૬૫૯૬૯ મત મળ્યા હતા ઉમરેઠના લોકલ ઉમેદવાર સુભાષભાઈ શેલતને ૨૧૦૪૨ મત મળ્યા હતા અને તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. વિજય બાદ જયંતભાઈ પટેલ(બોસ્કી)એ જણાવ્યું હતુ કે ઉમરેઠની પ્રજાએ મારા ઉપર જે વિશ્વાસ રાખી મને વિજેયતા બનાવ્યો છે તે માટે હું તેઓનો આભારી છુ તેઓએ પક્ષના કાર્યકરો સહીત ઉમરેઠના કોગ્રેસના કાર્યકરોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. જયંતભાઈ પટેલ ઓડ ચોકડી પાસે વ્રજ મિરા કોમ્પેક્ષ ખાતે કાયમી ધોરણે કાર્યલય પણ શરૂ કરવાની જાહેરાત કરી છે અને ઉમરેઠના સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરી નગર સહીત મત વિસ્તારના વિકાસને અગ્રીમતા આપવાની ખાતરી આપી છે. હવે આવનારા સમયમાં જયંત પટેલ (બોસ્કી) ઉમરેઠનો કેટલો વિકાસ કરે છે એતો “સમય” જ બતાવશે..!

હવે, ઉમરેઠમાં કોગ્રેસ ઈતિહાસ બની જશે અને ભવિષ્યમાં એન.સી.પી અને ભાજપ વચ્ચે જંગ થતો રહેશે. ઉમરેઠના સ્થાનિક ભાજપનું વર્ચસ્વ યથાવત્ રહેશે અને એન.સી.પી સ્થાનિક ઉમરેઠના રાજકારણમાં પણ રસ દાખવે તો નવાઈ નહી. બીજૂ ઉમરેઠ ભાજપની સ્થાનિક બોડીએ વિષ્ણુભાઈ પટેલને ટીકીટ ન મળી હોવા છતા ભાજપ પ્રત્યે વફાદારી રાખી જેથી તેઓનું કદ બીજેપી તેમજ નરેન્દ્રભાઈ મોદી આગળ વધશે. ભવિષ્યમાં વિષ્ણુભાઈ પટેલને જિલ્લા ભાજપમાં કોઈ પદ મળે તો નવાઈ નહી.

વિવેક વાણીઉમરેઠમાં સુભાષભાઈ શેલતે ગટરની સુંદર વ્યવસ્થા કરી છે, જેથી ઉમરેઠમાં કાદવ ના થયો અને કમળ ના ખિલ્યું…!

ઉમરેઠમાં ૧૦૪ વર્ષના આદીબેન રાવળે મતદાન કર્યું


પી.એસ.આઈ કે.આર.મોઢીયાએ ૧૦૪ વર્ષના મતદારનું પુષ્પ ગુચ્છથી સ્વાગર કર્યું

ઉમરેઠ નગરમાં લોકશાહીના પર્વમાં એક તરફ યુવાવર્ગે સહીત મહીલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો ત્યારે નગરના જાગનાથ ચકલામાં રહેતા ૧૦૪ વર્ષના આદીબેન રાવળે પણ મતદાન કરી લોકશાહીની ગરીમા જાળવી હતી સાથે સાથે પોતાની ફરજ પણ અદા કરી હતી.ઉમરેઠના કોર્ટ કંપાઊન્ડ ખાતે આવેલ સીટી સર્વે કચેરીના મતદાન કેન્દ્ર ઉપર પોતાના પરિવાર સાથે આદીબેન રાવળ મત નાખવા આવી પહોંચતા તેઓનીં ઉંમર અંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.કે.મોડીયાને જાણ થતા સદી વટાવી ચુકેલા મતદારને આવકારવા ખુદ પી.એસ.આઈ પોતાના સ્ટાફ સાથે આદીબેન રાવળ સુધી પહોચી ગયા હતા અને મતદાન કરવા તેઓને નંબર આવે ત્યાં સુધી તેઓને બેસવાની વ્યવસ્થા કરી આપી હતી અને તેઓનો ઉત્સાહ વધારવા માટે તેઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગર કર્યું હતું.

આ સમયે ભાવવિભોર બની ગયેલા આદીબેન રાવળે અશ્રુભીની આંખે જણાવ્યું હતુ કે અમે ગરીબ મધ્યમ વર્ગના છે, વાડીમાં અને ઘરકામ કરીને અમે ગુજારો ચલાવીએ છે, છતા પણ અમારી પાસે બી.પી.એલ કાર્ડ નથી કે અમોને કી સરકારી સહાય પણ મળતી નથી છતા અમે ક્યારેય નાસીપાસ થતા નથી અને જ્યારે પણ લોકશાહીના પર્વમાં મતદાનની ફરજ અદા કરવાનો સમય આવે ત્યારે અમે અચુક મતદાન કરીયે છે. તેઓએ ઉમેર્યું હતુ કે, મેં કેટલીય સરકાર આવતા ને જતા જોઈ છે, પહેલાના જમાનામાં અને આજના જમાનામાં બધુ બહૂ બદલાઈ ગયું છે અને અત્યારે મોંધવારીએ અમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી છે.

મતદાન


આજે કાંઈ’ક કર્યું ખાસ – મતદાન

આજ કર્યું કાંઈ'ક ખાસ - મતદાન

એન.સી.પીના ઉમેદવારે મતદાન કર્યું –

ઉમરેઠ વિધાનસભા-૧૧૧ના એન.સી.પી ઉમેદવાર જયંતભાઈ પટેલ(બોસ્કી)એ આજે સવારે ૮.૩૦ કલાકે ચિખોદરાના દિવાલી બાલમંદિર ખાતે થી મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

મતદારોમાં ઉત્સાહ

 

ઉમરેઠમાં એન.સી.પીની જાહેર સભા યોજાઈ


ઉમરેઠના એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડ ખાતે બપોરે ૨.૩૦ કલાકે એન.સી.પીની સામરખાથી નિકળેલી રેલી સભામાં ફેરવાઈ હતી. આ પહેલા સામરખાથી રેલીનું પ્રસ્થાન થયું હતુ જે વણસોલ ભાલેજ સહીતના ઉમરેઠ તાલુકાના વિવિધ ગામમાં ફરી હતી. ઉમરેઠ નગરમાં એન.સી.પી ની સભામાં ફિલ્મ અભિનેત્રી રવીના ટંડન, ભોજપુરી ફિલ્મના મહાનાયક કિશન સહીત એન.સી.પીના પ્રભારી મુકેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રવીના ટંડને જાહેર સભા સંબોધતા જણાવ્યુ હતુ કે, ઉમરેઠ વિસ્તારની પ્રજા ખરેખર નસિબદાર છે જેઓને હિરો જેવા નેતા મળ્યા છે, ઉમરેઠના લોકોને જયંતભાઈ પટેલને અપવાવવા રવીના ટંડને આહ્વાન કરી એન.સી.પી કોગ્રેસના સંયુક્ત ઉમેદવાર જયંતભાઈ પટેલને જંગી બહૂમતિથી વિજેયતા બનાવવા આહ્વાન કર્યું હતું. આ સમયે ગુજરાત એન.સી.પીના પ્રભારી મુકેશભાઈ ગાંધીએ પણ ઉમરેઠના વિકાસ માટે એન.સી.પીને વિજેયતા બનવા મતદારોને અપીલ કરી હતી. આજે પ્રચારના અંતિમ દિવસે ઉમરેઠ પંથકમાં સ્ટાર પ્રચારક રવીના ટંડન સહીત ભોજપુરી ફિલ્મ સ્ટાર કિશન આવતા એન.સી.પી ખેમામાં ભારે ઉત્સાહ ફેલાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં રેલી સહીત સભામાં લોકો હાજર રહ્યા હતા

ઉમરેઠમાં હેમા માલીનીએ ભાજપની સભા સંબોધી


ઉમરેઠમાં ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારના પ્રાચાર અર્થે નગરના ભગવાન વગા વિસ્તારમાં આજે બપોરી ફિલ્મ સ્ટાર ડ્રીમ ગર્લ હેમા માલીની આવ્યા હતા અને સભા સંબોધતા ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારને વિજેયતા બનાવવા ઉપસ્થિત જનમેદનીને આહવાન કર્યું હતું. તેઓએ જનાવ્યું હતુ કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં ખૂણે ખૂણે વિકાસ કરવામાં આવ્યો છે જેથી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત બનાવવા લોકોને અપીલ કરી હતી. હેમા માલીનીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને મહીલાઓ વધારે ઉપસ્થીત રહી હતી. સભામાં ભૃગુરાજસિંહ ચૌહાણ, વિષ્ણુભાઈ પટેલ ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર સહીત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીર – રીતેશ પટેલ)

ઉમરેઠ બેઠક ઉપર ક્ષત્રિય મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે


એન.સી.પીના જયંતભાઈ પટેલ અને સુભાષ શેલત ફેશબુક ઉપર સક્રીય
 
ઉમરેઠ બેઠક ઉપર યુવા મતદારોને આકર્ષીત કરવા માટે એન.સી.પીના ઉમેદવાર જયંતભાઈ પટેલ સહીત અપક્ષ ઉમેદવાર સુભાષ શેલત સક્રીય થયા છે. આ ઉપરાંત બી.જે.પી દ્વારા આઈ.ટી સેલ પણ સક્રીય થઈ યુવા મતદારોને આકર્ષવા મથામન કરી રહ્યો છે. હાલમાં ફેશબુકમાં એન.સી.પીના જયંતભાઈ પટેલના ૭૮૫ , સુભાષ શેલતના ૬૭૯, તેમજ ભાજપ આઈ.ટી સેલ ઉમરેઠના ૧૩૮ ફોલોઅર્સ છે. ખૂબજ ટુંકા ગાળામાં એન.સી.પીના જયંતભાઈ પટેલ ફેશબુક ઉપર સારસા સહીત ઉમરેઠના યુવાનોમાં લોકપ્રિય સાબીત થઈ રહ્યા છે.

વિધાનસભાની ચુંટણીને આડે હવે, ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકિય પક્ષોના ઉમેદવારો સહીત અપક્ષ ઉમેદવારો પણ પ્રચાર અભિયાનમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, અને કોઈપણ ભોગે પ્રજાને પોતાની તરફ વાળવા પ્રયાસ કરી રહ્યા છે. ઉમરેઠમાં આમતો એન.સી.પી અને બી.જે.પી વચ્ચે સીધી ટક્કર છે. પરંતું ઉમરેઠ બેઠક ઉપર ત્રણ વખત વિધાનસભાની ચુંટની જીતી ચુકેલા માજી આરોગ્યમંત્રી સુભાષભાઈ શેલત પણ અપક્ષ મેદાનમાં આવી ગયા હોવાને કારણે ઉમરેઠ બેઠક ઉપર ચુંટણી જંગ રોમાંચક સાબીત થાય તો નવાઈ નથી.ઉમરેઠ બેઠક ઉપર હાલમાં એન.સી.પી અને કોગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હોવાને કારણે કોગ્રેસ માંથી વિધાનસભાની ચુંટણી જીતેલા લાલસિંહ વડોદીયાની ટીકીટ કપાઈ ગઈ હતી જેથી નારાજ થઈ લાલસિંહ વડોદીયા હાલમાં ભાજપમાં જોડાઈ જતા ઉમરેઠ પંથકના ક્ષત્રિય મતદારો કેવો અભિગમ દાખવશે તેની ઉપર એન.સી.પી સહીત ભાજપ અને અપક્ષ ઉમેદવારોની પણ નજર હોય તેમાં નવાઈ નથી.

  • એન.સી.પીના ઉમેદવાર જયંતભાઈ પટેલ (બોસ્કી)ને તમાકુંના ધંધાને કારણે સારસા મત વિસ્તાર સહીત ઉમરેઠ મત વિસ્તારમાં ક્ષત્રિય સમાજના લોકો સાથે ના ધંધાકિય સબંધો કામ લાગશે અને તેઓ ક્ષત્રિય મતમાં મોટું ગાબળું પાડી શકવા સક્ષમ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે ઉમરેઠ બેઠક ઉપર લગભગ ૪૯ ટકા જેટલા ક્ષત્રિય મતદારો છે. હાલમાં સ્થાનિક ઉમરેઠમાં અપક્ષ ઉમેદવાર સુભાષભાઈ શેલતનું જોર લાગી રહ્યું છે. જેને કારણે સીધું નુકશાન ભાજપના ઉમેદવારને થઈ શકશે. સ્થાનિક ઉમરેઠના લગભગ ૫૧ ટકા જેટલા મત ગત વિધાનસભાની ચુંટણીમાં ભાજપના વિષ્ણુભાઈ પટેલને મળ્યા હતા જ્યારે કોગ્રેસના લાલસિંહ વડોદીયાની જીત થઈ હોવા છતા તેઓને સ્થાનિક ઉમરેઠના માત્ર ૩૯ ટકા જેટલા જ મત મળ્યા હતા જેથી સ્વભાવિક રીતે ઉમરેઠના જે મત સુભાષભાઈ શેલત મેળવશે તેની સીધી ખોટ ભાજપે સહન કરવાનો વારો આવે તેમાં બે મત નથી.ઉમરેઠના સ્થાનિક વોટ મેળવવા માટે હાલમાં જયંતભાઈ પટેલ (બોસ્કી) પણ મેદાનમાં આવી ગયા છે. આ ઉપરાંત તાજેતરમાં જયંતભાઈ પટેલ દ્વારા ઉમરેઠના તમામ વિસ્તારમાં લોક સંપર્ક પણ કરવામાં આવ્યો હતો આ સમયે ઠેર થેર તેઓનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જેથી અપક્ષને વોટ ન આપવો તેવી માનસીકતા ધરાવતા મોટાભાગના બુધ્ધિજીવીઓ જયંતભાઈ પટેલ(બોસ્કી)ને મત આપે તો નવાઈ નહી આ પરિસ્થિતીમાં સ્થાનિક ઉમરેઠના વધુ ને વધુ મત મેળવી બોસ્કી ભાજપના પ્રભુત્વવાળા થામણા,ભાટ્ટપુરા,બેચરી,જાખલા,ફતેપુરા,રાહતલાવ,ખાંખણપુર જેવા ગામનો લીડ સરભર કરી શકે છે પરંતું તે પણ જરૂરી નથી કે ગત સમયે ભાજપ તરફ જોખ રાખનાર ગામડા ચાલુ વર્ષે પણ તેજ અભિગમ સાથે મતદાન કરે.

  • સુભાષ શેલતને કારણે ભાજપના વોટ બગડશે આ ઉપરાંત ઉમરેઠ સહી ભાલેજ સુરેલી ધુળેટા જેવા ગામના મુસ્લીમ મત સુભાષ શેલતને મળે તો તેની સીધી અસર એન.સી.પીના મતને થશે.

હાલમાં ભાજપનું પ્રભુત્વ ધરાવતા બેચરી પટ્ટાના ગામોના વોટ જી.પી.પીના ઉમેદવાર અશ્વિન પટેલ ખેંચી જાય તેવી શક્યતા છે, જેથી આ વિસ્તાર માં પણ જી.પી.પીના ઉમેદવારોને કારણે ભાજપને નુકશાન નથી શકે તેમ છે.બીજી બાજૂ ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર ક્ષત્રિય હોવાને કારણે તેઓ ઉમરેઠ પંથકના ક્ષત્રિય મતો મેળવી પોતાની જીત પાક્કી હોવાનું માની રહ્યા છે. આ ઉપરાંત તેઓ સાથે ઉમરેઠની સ્થાનિક ભાજપની બોડી પણ ખભે ખભા મિલાવી પ્રચાર કરી રહી છે. પરંતુ ઉમરેઠ પંથકના ક્ષત્રિય મત કોગ્રેસની વોટ બેન્ક હોવાનું પણ નિષ્ણાંતો મત પ્રગટ કરી રહ્યા છે. ખાસ કરીને ઉમરેઠ વિધાનસભાના કોગ્રેસી અગ્રણી ગણપતસિંહ ચૌહાણ સહીત લક્ષ્મણસિંહ ચાવડા જેવા ક્ષત્રિય અગ્રણીઓ આ વિસ્તારના ક્ષત્રિયો ઉપર સારી પક્કડ ધરાવે છે. હાલમાં ઉમરેઠ કોગ્રેસમાં શુન્યવકાશ છે જેથી એન.સી.પીને દેખીતી રીતે કોગ્રેસનો જોઈયે તેવો સપોર્ટ ન મળતો હોવાનું દેખાઈ રહ્યું છે જેથી ક્ષત્રિય મતોનું ધ્રુવિકરણ થાય અને તેનો સીધો લાભ ભાજપ લઈ જાય તો એન.સી.પી માટે આ બેઠક કપરા ચઢાન રૂપ સાબિત થાય તેમા બે મત નથી. હાલમાં કોગ્રેસના ગણપતસિંહ ચૌહાણ અને લક્ષ્મણસિંહ ચાવડા નિષ્ક્રીય થઈ ગયા છે. જેથી ક્ષત્રિય સમાજ કયો માર્ગ પકડશે તે એન.સી.પી સહીત ભાજપ માટે યક્ષ પ્રશ્ન છે. કહેવાય છે, ભાજપના ગોવિંદભાઈ પરમાર ક્ષત્રિય ઉમેદવાર હોવાથી ભાજપે તેઓ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે, ત્યારે ક્ષત્રિયો પોતાના પરંપરાગત કોગ્રેસ પક્ષને છોડી ભાજપ તરફી મતદાન કરશે..? કે પછી કોગ્રેસના સહયોગી એન.સી.પી તરફ તેઓનો જોખ રહેશે તેની ઉપર રાજકિય પક્ષોના ઉમેદવારોનું ભાવી નક્કી થશે.

  • ભાજપના ગોવિંદભાઈ પરમાર પક્ષ પલ્ટું ઈમેજ ધારણ કરતા હોવાથી ક્ષત્રિયો તેઓને પુરેપુરો સપોર્ટ કરે તેવી શંભાવના ઓછી છે, સાથે લાલસિંહ વડોદીયાને કારણે પણ ક્ષત્રિય સમાજ ભાજપને વોટ ન આપે તેવા પણ સમિકરનો રચાય તો નવાઈ નહી.

ઉમરેઠમાં ભાજપ દ્વારા પ્રચારના શ્રીગણેશ કરાયા – કાલથી એન.સી.પી મેદાનમાં આવશે..!


ગોવિંદભાઈ પરમારચુંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકિય પક્ષો દ્વારા લોક સંપર્ક અને પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. રવીવારે ઉમરેઠમાં ભાજપ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. આ સમયે ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર સહીત વિષ્ણુભાઈ પટેલ અને ઉમરેઠ નગરપાલિકાના સભ્યોએ નગરના વિવિધ બજારમાં વહેપારીઓનો સંપર્ક કરી ભાજપને વોટ આપવા માટે અપીલ કરી હતી.

વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ એન.સી.પીના ઉમેદવાર મંગળવારથી ઉમરેઠ પંથકમાં પ્રચાર લોકસંપર્ક કરશે. ઉમરેઠમાં ભાજપ અને એન.સી.પી વચ્ચે કાંટાની ટક્કર છે, ત્યારે સ્થાનિક અને લોકપ્રિય ઉમેદવાર સુભાષભાઈ શેલત બંન્ને રાજકિય પક્ષના ઉમેદવારોને હંફાવવા સક્ષમ છે અને સુભાષભાઈ શેલત આ ચુંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેમ પણ રાજકિય નિષ્ણાંતો ચર્ચા કરી રહ્યા છે. બીજી બાજૂ ઉમરેઠના ખોરવાડના ગણપતસિંહ ચૌહાણને કોગ્રેસે મેન્ડેટ ન ફાળવતા તેઓ પોતાની ઉમેદવારી પરત ખેંચી શકે છે તેઓ કોગ્રેસના અપક્ષ ઉમેદવાર સુભાષભાઈ શેલતને સમર્થન કરશે કે કોગ્રેસની સહયોગી પાર્ટી એન.સી.પીને સમર્થન કરશે તે યક્ષ પ્રક્ષ છે ત્યારે ગણપતસિંહ ચૌહાણનું સમર્થન મેળવી ક્ષત્રિય વોટ ઉપર જે પક્ષ પોતાનું પ્રભુત્વ સ્થાપશે તે પક્ષનો વિજય થાય તેમાં બે મત નથી.

ઉમરેઠમાં એન.સી.પીનું કાર્યાલય ખુલશે.


જયંતભાઈ પટેલ(બોસ્કી) રૂબરૂ સવારે ૯ થી ૧૨ મળી શકશે.

જયંતભાઈ પટેલ(બોસ્કી)

જયંતભાઈ પટેલ(બોસ્કી)

ઉમરેઠમાં ભાજપ અને એન.સી.પી દ્વારા સારસા મત વિસ્તારના ઉમેદવારોને ટીકીટ ફાળવવામાં આવતા ઉમરેઠ પંથકના નાગરિકો પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરવા માટે સારસા સુધી લાંબા થવું પડશે તેવી અટકળો થઈ રહી હતી પરંતુ એન.સી.પીના સારસા મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ઉમરેઠના નાગરિકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે છેક સારસા કે ચિખોદરા સુધી લાંબા નહી થવું પડે ઉમરેઠ ઓડ ચોકડી પાસે મિરા કોમ્પ્લેક્ષ ખાતે એન.સી.પીની કાયમી ધોરણે ઓફિસ કાર્યરત થશે જ્યાં સવારે ૯ થી ૧૨ સુધી જયંતભાઈ પટેલ(બોસ્કી) રૂબરૂ નગરજનોના પ્રશ્નોને વાચા આપવા હાજર રહેશે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, તેઓની ગેરહાજરીમાં પણ ઓફિસ કાર્યરત રહેશે અને ઉપસ્થિત તેઓના પ્રતિઓનિધિ સવારે ૧૨ થી ૫ સુધી લોક પ્રશ્નોનુ નિરાકરણ લાવવા કાર્યરત રહેશે જેથી ઉમરેઠની જનતા નિસંકોચ તેઓનો સંપર્ક કરી નગરના વિકાસમાં સહભાગી બની શકે.

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ભાજપ સહીત બે અપક્ષોએ ઉમેદવારી નોંધાવી


ભાજપના ગોવિંદભાઈ પરમાર, કોગ્રેસ અગ્રણી ગણપતસિંહ ચૌહાણ તેમજ સમાજવાદી પક્ષના ઉમેદવારે અલીમુદ્દીન કાઝીએ ફોર્મ ભર્યા.

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે આજે ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારે પોતાના સમર્થક વિષ્ણુભાઈ પટેલ, ભૃગુરાજસિંહ ચૌહાણ તેમજ લાલસિંહ વડોદીયા અને કાર્યકરો સાથે ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પહેલા નગરના અમરેશ્વર મહાદેવ ખાતે ભાજપના કાર્યકરો એકઠા થયા હતા અને પદયાત્રા કરી મામલતદાર ખાતે આવી પહોંચ્યા હતા. ઉમરેઠમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપના ઉમેદવારને લઈ અટકટો થઈ રહી હતી પરંતુ છેલ્લી ઘડીએ ભાજપમાં સારસા મત વિસ્તારના ગોવિંદભાઈ પરમારને ટીકીટ આપતા ઉમરેઠના સ્થાનિક નેતા સહીત કાર્યકરોમાં નિરાશા વ્યાપી હતી છતા પણ ઉમરેઠ નગર પાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ તેમજ કોગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલા લાલસિંહભાઈ વડોદીયા ગોવિંદભાઈ પરમાર સાથે હાજર રહ્યા હતા.

બીજી બાજૂ ઉમરેઠ કોગ્રેસના અગ્રણી ગણપતસિંહ ચૌહાણે પણ ઉમેદવારી પત્રક ભરતા રાજકિય સમિકરણો બદલાવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ગણપતસિંહ ચૌહાણ કોગ્રેસમાં છેલ્લા કેટલાય વર્ષથી સક્રીય સભ્ય છે આ ઉપરાંત ૨૦૦૨માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પણ ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર ચુંટણી લડ્યા છે અને લગભગ ૧૮૦૦૦ જેટલા મત મેળવેલા છે, અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ગણપતસિંહ ચૌહાણે કોગ્રેસના મેન્ડેટ વગર અને અપક્ષ તેમ બે ફોર્મ ભર્યા છે જો કોગ્રેસ મેન્ડેટની ફાળવણી કરશે તો કોગ્રેસના ઉમેદવાર તરીકે તે મેદાનમાં આવી જશે અને ઉમરેઠ બેઠક ઉપર મોટી ઉથલ પાથલ કરશે તેવું રાજકિય નિષ્ણાંતો ચર્ચા કરી રહ્યા છે. વધુમાં સમાજવાદી પક્ષ તરફથી ઉમરેઠના અલીમુદ્દીન કાઝીએ પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. પોતાના સમર્થક સાથે ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા આવેલ અલીમુદ્દીન કાઝીએ જણાવ્યું હતુ કે, હું નગરમાં યુવા કાર્યકર હોવાને કારણે નગરની જનતા મને સાથ આપશે અને ઉમરેઠના વિકાસ માટે આગળ આવશે. ઉમરેઠ વિધાનસભા બેઠકને લઈ ભારે ઉત્સુકતા સાથે રાજકારણ ગરમાયું છે. એન.સી.પી ,બીજેપી સહીત કોગ્રેસના અગ્રણી સુભાષ શેલત અને ખોરવાડના ગણપતસિંહ ચૌહાણ પણ મેદાનમાં આવી જતા અનેક અટકળો થઈ રહી છે. હવે ફોર્મ ખેંચવાની તારીખ ન જાય ત્યાં સુધી ચિત્ર અસ્પષ્ટ જ રહેશે તેમાં કોઈ બે મત નથી. કહેવાય છે કે સુભાષભાઈ શેલત અને ગણપતસિંહ ચૌહાણને અપક્ષ માંથી ઉમેદવારી પાછી ખેંચી લેવવા માટે મોટા રાજકિય પક્ષો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

વિષ્ણુભાઈ પટેલની ભાજપ માંથી બાદબાકીને લઈ ઉમરેઠના મતદારો ખફા..!

ઉમરેઠ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પદે વિષ્ણુભાઈ પટેલ પ્રબળ દાવેદાર તરીકે આગળ આવ્યા હતા. આ પહેલા ૨૦૦૨માં તેઓ ભાજપને જીતાડી પણ લાવ્યા હતા. હાલમાં તેઓ નગર પાલિકાના પ્રમુખ પણ હોવાને કારણે તેઓને ભાજપ તરફથી ટીકીટ મળવાની પુરેપુરી શક્યતાઓ હતી પરંતું ઉપરકક્ષાએ થી મોટું રાજકારણ રમાઈ જતા તેઓની ટીકીટ છેલ્લી ઘડીએ કપાઈ ગઈ હોવાનું કાર્યકરોમાં ચર્ચા થઈ રહી છે. ભાજપે વિષ્ણુભાઈની બાદબાકી કરી હોવા છતા તેઓએ સકારાત્મક અભિગમ દાખવી આજે ગોવિંદભાઈ પરમાર સાથે ફોર્મ ભરતા સમયે હાજરી આપી હતી. છતા પણ ભાજપના કેટલાક યુવા કાર્યકરોમાં વિષ્ણુભાઈને ટીકીટ ન મળી હોવાનો છુપો રોષ દેખાઈ રહ્યો છે અને જેને કારણે ઉમરેઠ બેઠક ઉપર ભાજપને સંભવીત ખોટ થઈ શકે તેમાં નવાઈ નથી. ભાજપના ઉમેદવારને લઈ ઉમરેઠના સ્થાનિક કાર્યકરો સહીત નેતાઓનો સકારાત્મક અભિગમ કેટલો આગળ ધપશે તે આવનારો સમય જ બતાવશે

ઉમરેઠ બેઠક ઉપર ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર અશ્વિન પટેલે ઉમેદવારી પત્ર ભર્યું.


કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર અશ્વિનભાઈ પટેલે ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ ભર્યું હતું                           (તસ્વીર – પિનાક આર્ટ)

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે આજે બપોરે કેશુભાઈની ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર અશ્વિનભાઈ પટેલે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. અશ્વિન પટેલ ઉમરેઠ પાસેના બેચરી ગામના હોવાથી તેઓએ ઉમરેઠ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી છે તેઓએ જણાવ્યું હતુ કે, અત્યાર સુધીના રાજકિય નેતાઓએ ઉમરેઠ પંથકનો જોઈએ તેવો વિકાસ કર્યો નથી ઉમરેઠના ગામડાઓમાં હજૂ પણ માળખાગત સુવિધા માટે ગરીબો વલખાં મારે છે જેથી ઉમરેઠ સહીત ગ્રામ્ય વિસ્તારની પ્રજા પરિવર્તન ઈચ્છી રહ્યા હોવાથી પોતાના કાર્યકરોના સમર્થનથી કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ઉમરેઠની પ્રજા સમક્ષ આવ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા ઉમરૅઠ બેઠક માટે એન.સી.પીના ઉમેદવાર જયંતભાઈ પટેલ (બોસ્કી), અપક્ષ ઉમેદવાર સુભાષભાઈ શેલત અને સુંદલપુરાના શંભુભાઈ રાવણે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે આવનારા દિવસમાં ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર તેમજ બી.એસ.પીના ઉમેદવાર મુકેશ પટેલ (લારા) પણ કોઈ પણ સમયે ઉમેદવારી પત્ર ભરે તેવી શક્યતાઓ છે.

ઉમરેઠના કોગ્રેસી ધારાસભ્ય લાલસિંહ વડોદીયા ભાજપમાં જોડાયા – કોગ્રેસ જમીન દોસ્ત


  • માજી કોગ્રેસી ધારાસભ્ય સુભાષભાઈ શેલતે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

ઉમરેઠ વિધાનસભા ચુંટનીમાં ૨૦૦૭માં ભાજપના વિષ્ણુભાઈ પટેલને ૪૦૦૦ જેટલા મતથી માત આપનાર કોગ્રેસના ધારાસભ્ય એકા એક આજે બપોરે ભાજપમાં જોડાઈ જતા, કોગ્રેસના કાર્યકરો સહીત મતદારો પણ અચંબામાં પડી ગયા છે. ૨૦૦૭માં ભાજપે લાલસિંહ વડોદીયાની અવગણના કરી વિષ્ણુભાઈ પટેલને ટીકીટ આપી હતી જેથી રીસાયેલા લાલસિંહ વડોદીયા કોગ્રેસમાં જોડાયા હતા જ્યારે ૨૦૧૨માં કોગ્રેસ અને એન.સી.પીનું ગઠબંધન થતા ઉમરેઠ બેઠક એન.સી.પીના ફાળે ગઈ છે. ત્યારે કોગ્રેસના કાર્યકરો અને નેતાઓ નવરા પડી ગયાનો અહેસાસ કરી રહ્ય અછે.

કોગ્રેસના અગ્રણી નેતા અને હાલના ધારાસભ્ય લાલસિંહ વડોદીયાએ આજે બપોરે કોગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતુ કે ભાજપમાં તેઓનો પ્રવેશ બિન શરતી છે. છતા પણ કોગ્રેસ સહીત ભાજપના કાર્યકરોમાં અંદરો અંદર લાલસિંહ વડોદીયા ટીકીટની આશાએ ભાજપમાં જોડાયા છે. પરંતુ આ વાતને લાલસિંહ વડોદિયાએ સમર્થન ન આપ્યું હતુ અને ભાજપમાં એક કાર્યકર તરીકે જ કામ કરવાની તૈયારી બતાવી હતી. હાલમાં ભાજપના સંભવિત ઉમેદવાર પદે ઉમરેઠના વિષ્ણુભાઈ પટેલ , ભુષણ ભટ્ટ સહીત ભૃગુરાજસિંહ ચૌહાણ તેમજ ગોવિંદ પરમાર ના નામ ઉપર વિશેષ ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે હવે લાલસિંહ વડોદીયા પણ ભાજપમાં જોડાતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. જો ભાજપ લાલસિંહ વડોદીયાને ટીકીટ આપે તો ભાજપના કાર્યકરો કેવો અભિગમ દાખવશે તે જોવાનું રહ્યું.

લાલસિંહ વડોદીયાની ભાજપ તરફ દોટ અંગે એન.સી.પીના ઉમેદવાર જયંતભાઈ બોસ્કીએ જણાવ્યું હતુ કે, પોતાના લાભ માટે વારંવાર પક્ષ પલટો કરનારને જનતા સમય આવે યોગ્ય જવાબ આપશે.

ઉમરેઠ બેઠક ઉપર વધુ બે અપક્ષોએ ઉમેદવારી નોંધાવી.


  • આણંદ જિલ્લા પંચાયતના માજી સભ્યએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે આજે ખાનકૂવાના કોગ્રેસી અગ્રણી અને આણંદ જિલ્લા કોગ્રેસના માજી સભ્ય પ્રવિંણસિંહ ઠાકોરએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકિય ચહેલ પહેલ વધી ગઈ છે. કોગ્રેસ અને એન.સી.પીના ગઠબંધન ને કારણે ઉમરેઠ બેઠક એન.સી.પીના ફાળે આવતા કોગ્રેસના કેટલાક અગ્રણીઓમાં અસંતોષ વ્યાપ્યો હતો. શનિવારે ઉમરૅઠના માજી ધારાસભ્ય સુભાષભાઈ શેલત બાદ આજે સોમવારે જિલ્લા પંચાયતના માજી સભ્ય પ્રવિણસિંહ ઠાકોરે પણ ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

આ ઉપરાંત ઉમરેઠના સુંદલપૂરાના યુવા સામાજિક કાર્યકર શંભુભાઈ પટેલે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવતા કાઠાગાળાના ગામમાં નવા રાજકિય સમીકરણો જોડાવવાની ચર્ચા થઈ રહી છે. સુંદલપૂરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સામાજિક કાર્ય તરીકે સક્રીય તેવા શંભુભાઈ કોઈ પક્ષ સાથે શંકળાયેલ નથી પરંતુ પોતાના વિસ્તારના વિકાસ માટે તેઓએ ઉમેદવારી નોંધાવી હોવાનું તેઓએ જણાવ્યું હતું અને પ્રજા તેમને સહકાર આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. વધુમાં કોગ્રેસના સીટીંગ ધારાસભ્ય લાલસિંહ વડોદિયા એન.સી.પીના ઉમેદવાર સાથે ઉમેદવારી પત્ર ભરતા સમયે હાજર રહેતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આવનારા સમયમાં લાલસિંહ વડોદીયા કેવો અભિગમ દાખવશે તેને લઈને પણ નગરમાં અનેક ચર્ચા થઈ રહી છે.

ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર એન.સી.પીના ઉમેદવાર જયંતભાઈ પટેલ(બોસ્કી)એ જણાવ્યું હતું કે, સુભાષભાઈ શેલતની ઉમેદવારી અમારા માટે અચરજ ભરી છે. તેઓ અમારા વડીલ છે અને તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવી અમોને અપેક્ષા ન હતી. લોકશાહીમાં તમામને ચુંટણી લડવાનો હક્ક છે. હવે પ્રજા નક્કી કરશે તે ખરૂં…!

ઉમરેઠના માજી.ધારાસભ્ય સુભાષભાઈ શેલતે અપક્ષ ઉમેદવારી નોંધાવી.


ઉમરેઠના માજી ધારાસભ્ય સુભાષભાઈ શેલતે આજે સવારે ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ઉમરેઠ વિધાનસભા બેઠક માટે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરતા રાજકિય વાતાવરણ ગરમાયું છે. કહેવાય છે સુભાષભાઈ શેલતને કોગ્રેસ દ્વારા ટીકીટ ન ફાળવવામાં આવતા તેઓએ કોગ્રેસ સાથે છેડો ફાળ્યો હોવાનું કહી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હોવાનું જણાવ્યું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી સુભાષભાઈ શેલત કોગ્રેસ સાથે સક્રીય રીતે જોડાયા હતા જ્યારે કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠબંધન થતા સુભાષ શેલતે કોગ્રેસ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમરેઠ વિધાનસભા માટે ઉમેદવારી નોંધાવી છે. તેઓએ જણાવ્યું હતુ કે, ઉમરેઠનો વિકાસ છેલ્લા દશ વર્ષથી થંભી ગયો છે, આ ઉપરાંત ઉમરેઠ વિધાનસભામાં ઉમેરાયેલા સારસા મત વિસ્તારમાં પણ માળખાગર સુવિધાઓનો અભાવ છે જેથી આ વર્ષે પોતાના વિસ્તારમાં વિકાસ માટે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રજા સમક્ષ આવ્યા છે. ભૂતકાળની જેમ આ વર્ષે પણ પ્રજા તેમને આવકારશે તેવી તેઓએ આશા વ્યક્ત કરી હતી.

ઉમરેઠ બેઠક માટે એન.સી.પીના ઉમેદવાર જયંતભાઈ પટેલ(બોસ્કી)એ ફોર્મ ભર્યું.


ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર કોગ્રેસ અને એન.સી.પીનું ગઠબંધન થતા એન.સી.પીના ઉમેદવાર પદે પ્રદેશ પ્રમુખ જયંતભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં તેઓના સમર્થકો હાજર રહ્યા હતા અને તેઓના નેતા જયંતભાઈ પટેલને જીતાડવા તૈયારી બતાવી હતી. આ સમયે જયંતભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ઉમરૅઠ મત વિસ્તારમાં પ્રજાનો અમોને અદ્ભુત આવકાર મળેલ છે જેથી એન.સી.પી આ વર્ષે ઉમરેઠ બેઠક ઉપરથી કોગ્રેસ ગઠબંધન સાથે ચુંટની લડશે તેઓએ ઉમેર્યું હતુ કે ઉમરેઠની પ્રજાના સુખકારી માટે નગર સહીત ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે તેઓ હંમેશા તત્પર રહેશે અને પ્રજા તેમને મોકો આપે તેવી તેઓએ કટિબધ્ધત દર્શાવી હતી.

પાકીસ્તાનનો ઉમેદવાર હોય તો પણ ચિંતા નથી – જયંતભાઈ પટેલ

ભાજપ એન.સી.પી સામે ઉમરેઠ બેઠક ઉપર અમદાવાદના ઉમેદવારને ઉભો કરશે તો..? તેવા સવાલના જવાબમાં જયંતભાઈ બોસ્કીએ જણાવ્યું હતુ કે, અમદાવાદતો શું પાકીસ્તાનનો ઉમેદવાર આવે તો પણ ચિંતા નથી તેઓ પ્રજાના કામ માટે આવ્યા છે અને પ્રજા તેમને જીતાડશે

ઉમરેઠ બેઠક ઉપર થી એન.સી.પીના ઉમેદવાર પદે જયંતભાઈ પટેલ (બોસ્કી)જાહેરાત.


ઉમરેઠ ૧૧૧ વિધાનસભા બેઠક ઉપરથી એન.સી.પીના ઉમેદવાર પદે જયંતભાઈ બોસ્કીની જાહેરાત કરવામાં આવી છે. કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે કેટલીક બેઠકો ઉપર સમજૂતિ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, જેમાં ઉમરેઠ બેઠક એન.સી.પીના ફાળે ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપ દ્વારા હજૂ ઉમરેઠ બેઠક માટે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યો નથી. પરંતું એન.સી.પીના પટેલ ઉમેદવાર સામે ભાજપ પટેલ ઉમેદવાર મુકે તો વિષ્ણુભાઈ પટેલના ચાન્સ વધારે છે, આ ઉપરાંત ક્ષત્રિય મતદારોનું આ બેઠક ઉપર વરચસ્વ હોવાને કારણે કદાચ ભૂગુરાજસિંહ ચૌહાણ અથવા ગુજરાત ભાજપમાં મોટું માથું ગણાતા ભૂષણ ભટ્ટને પણ ભાજપ દિગ્ગજ જયંત બોસ્કી સામે ઉતારે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. હવે ભાજપ એન.સી.પી સામે કયો ઉમેદવાર મુકે છે તે આવનારો સમય જ બતાવશે.બીજી બાજુ ઉમરૅઠના માજી ધારાસભ્ય સુભાષભાઈ શેલત પણ અપક્ષ ચુટણી લડે તેવી ચર્ચાઓ નગરમાં થઈ રહી છે. જો આમ થશે તો ભાજપના ઉમેદવારને સીધો લાભ મળશે તેમ પણ રાજકિય વિશેષજ્ઞો મત પ્રગટ કરી રહ્યા છે. પરંતું સુભાષભાઈ શેલત અપક્ષ ચુંટણી લડે તેવી નહિવત શક્યતા છે. હવે કોગ્રેસના સીટીંગ ધારાસભ્ય લાલસિંહ વડોદિયા અને કોગ્રેસ અગ્રણી ગણપતસિંહ ચૌહાણ કેવો અભિગમ દાખવે છે તે આવનારો સમય બતાવશે. આ બંન્ને કોગ્રેસી દિગ્ગજો સકારાત્મક અભિગમ સાથે એન.સી.પી સાથે આગળ વધશે તો ભાજપના કોઈ પણ ઉમેદવાર માટે ઉમરેઠ બેઠક મેળવવી લોઢાના ચણાચાવવા જેવી સાબિત થશે.

ઉમરેઠ ખાતે ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો


  • બોરીયાવીના એન.સી.પી.ના બે સભ્યો ભાજપમાં જોડાયા 
  • આણંદ જિલ્લા કોગ્રેસ મહામંત્રી પણ ભાજપમાં જોડાયા

ઉમરેઠ – ઉમરેઠના નાસિકવાળા હોલ ખાતે ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ તેમજ ખાડિયાના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ સહીત ભાજપના અગ્રણી રાજેશભાઈ પટેલ અને ગોવિંદભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ભાજપના અગ્રણીઓએ તમામ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી, અને ભાજપના કાર્યકરોને સંબોધન કરતા આગેવાનોએ આગામી વિધાનસભાની ચુંટણી માટે સજ્જ થવા આહ્વાન કર્યું હતું. આ સમારોહ દરમ્યાન બોરીયાવી એન.સી.પીના બે સભ્યોકનુભાઈ શંકરભાઈ વાઘેલા અને મંજૂલાબેન કનુભાઈ રાઠોડ સહીત આણંદ જિલ્લા કોગ્રેસના મહામંત્રી અને ઝાલાબોરડીના પૂર્વ સરપંચ રમેશભાઈ સોઢા પરમાર પોતાના પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. આ તમામ કાર્યકરોને ભૃગુરાજસિંહ ચૌહાણે કેસરીય પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો હતો.