આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: July 2020

ચંન્દ્રમુળેશ્વર મહાદેવ , ઉમરેઠ


ઉમરેઠ #આપણુંઉમરેઠ #મહાદેવ #ચંન્દ્રમુળેશ્વરમહાદેવ

સંકલન – વિવેક દોશી #આપણુંઉમરેઠ

લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા ઉમરેઠ જ્યારે અમરાવતી નગરી નામે ઓળખાતુ હતુ અને જહાં પટેલે ઉમરેઠ વસાવ્યું હતુ ત્યારે પણ ઉમરેઠમાં દક્ષિણ-પૂર્વ દીશામાં સ્વયં-ભુ ચંન્દ્રમુળેશ્વર મહાદેવ અસ્તીત્વમાં હતું તેવી લોક માન્યતા ઉમરેઠ નગરમાં પ્રવર્તમાન છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવ હાલમાં ઉમરેઠમાં મહાદેવજીના ભક્તો માટે ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સવાર સાંજ આરતી અને પુજા માટે મોટી સંખ્યામાં ભક્તો મહાદેવની મુલાકાત કરતા હોય છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવની ગૌરવ ગાથા કહેતા મંદિરના પુજારી પરિવારના શદાશીવભાઈ દવેએ જણાવ્યું હતુ કે તેઓના દાદા હંમેશા કહેતા હતા કે ઉમરેઠનું ચંન્દ્રમુળેશ્વર મહાદેવ સ્વયં-ભુ છે તેની પાછળ એક દંત કથા પણ જોડાયેલ છે, જેના અનુસાર જહાં પટેલ જ્યારે ઉમરેઠ નગર વસાવતા હતા ત્યારે ઉમરેઠ ઉમરાવતી નગરી તરીકે ઓળખાતું હતું તે સમયે માત્ર બ્રાહ્મણના ગણ્યા ગાંઠા ઘર હતા તે સમયે હાલમાં જ્યાં ચંન્દ્રમુળેશ્વર મહાદેવ છે તે વિસ્તારમાં એક ગાય હંમેશા પોતાના ચાંચળ માંથી બધુ દૂધ ઠાલવી દેતી હતી સાંજે ગાયના માલિક ગાયનું દૂધ નિકાળતા હતા ત્યારે તે ચોક્ક્સ ગાય દૂધ આપતી ન હતી આવું નિરંતર બનતું હતુ જેથી એક દિવસનો માલિક તે ગાય પાછળ આખો દિવસ ફર્યો ત્યારે તેને જોયું કે તે ચોક્કસ જગ્યાએ પોતાની ચાંચળ નું દૂધ ખાલી કરી દેતી હતી આવું બે ત્રણ દિવસ ચાલ્યું જેથી જે જગ્યાએ ગાય દૂધ ઢાલવતી હતી તે જગ્યાની સાફ સફાઈ વ્યવસ્થીત રીતે કરતા તે જગ્યાએ શિવલીંગ મળી આવ્યું હતુ જે જોઈ નગરના બ્રાહ્મણો વિચારમય બની ગયા હતા અને તે જગ્યાએ ત્યાર થી શીવલીંગ અસ્તીત્વમાં આવ્યું છે અને ત્યાર થી ચંન્દ્રમુળેશ્વર મહાદેવનું શીવલીંગ સ્વયં-ભુ હોવાની માન્યતા છે. તેઓએ ઉમેર્યું હતું કે પ્રાચીનકાળ થી સદર મહાદેવ અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે, રાજા રજવાડાના સમયમાં સંત-મહંત ની સમાધી પણ મહાદેવ આસપાસ લીધી હતી જેના પુરાવા હાલમાં પણ મહાદેવ પરીસરમાં હાજરા હજૂર છે. સંત મહંતઓ દ્વારા મહાદેવ આસપાસ જે જગ્યાએ સમાધી લીધી હતી તે જગ્યાએ તેઓની ડેરી પણ બનાવવામાં આવી છે. સિધ્ધરાજ જયસિંહ નામના રાજાની માતા મિનળદેવીને આ મહાદેવનું ધાર્મિક મહત્વ ખબર પડતા સદર મહાદેવનો જીર્ણોધ્ધાર કરી મિનળદેવીએ મહાદેવનું નવ નિર્માણ કર્યું હતું, હકીકતમાં સદરમ મહાદેવ પહેલા ચંન્દ્ર મૌલીશ્વર મહાદેવ તરીકે ઓળખાતુ હતુ, પરંતુ ઉચ્ચારણ દિવસે દિવસે બદલાતા આજે ચંન્દ્રમુળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. મહાદેવમાં બીરાજમાન શીવજી ચંન્દ્રજી ધારાણ કરે છે જેથી પહેલાના વખતમાં મહાદેવને ચંન્દ્રમૌલિશ્વર તરીકે લોકો ઓળખતા હતા. ઉલ્લેખનીય છે કે મહાદેવમાં બીરાજમાન શીવજી મુંખારવીંદ સ્વરૂપે વર્ષમાં બે વખત નગર વિહાર કરે છે. મહાશીવરાત્રી ના દિવસે તેમજ શ્રાવણમાસમાં છેલ્લા સોમવારે મશાલ,પાલખી,છડી,ચામર સાથે ઠાઠ થી શીવજી નગરવિહાર કરે છે અને અશક્ત અને મહાદેવમાં ન આવી શકે તેવા લોકોને ઘરે બેઠા દર્શન આપે છે આ સમયે શીવજીનું દયાળું સ્વરૂપ ના દર્શન કરી ભક્તો ધન્ય થઈ જાય છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવના પરીસરમાં શીતળામાતા અને બળીયાદેવનું પણ મંદિર આવેલ છે. શીતળામાતાનું મંદિર ખુબજ જુજ પ્રમાણમાં હોય છે ત્યારે ઉમરેઠમાં એક માત્ર ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જ શીતળામાતાનું મંદિર આવેલ છે. આ ઉપરાંત બળીયાદેવની બાધા માટે તમામ ધર્મોના લોકો મહાદેવમાં આવે છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં શ્રાવણ માસ દરમ્યાન ઘી ના કમળ, ફુલવાડી સહીત વિવિધ સણગારના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ઐતિહાસીક અને અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવતા શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં અષાઢી જોખવાની પરંપરા છેલ્લા કેટલાય વર્ષો થી ચાલે છે.લગભગ દોઢસો વર્ષથી શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં અષાઢ સુદ એકમના દિવસે અષાઢી જોખવાની પરંપરા ચાલે છે. પૂનમની સાંજે જૂદા જૂદા ધાન્યો અને કઠોળનું વજન કરી કોરા કટકામાં તેની પોટલી બનાવી મુકવામાં આવે છે અને તમામ પોટલી એક કુંભમાં મુકી તે કુંભ મહાદેવના ગર્ભ ગૃહમાં પંચ રૂબરૂ મુકવામાં આવે છે. બીજા દિવસે એટલે કે, અષાડ સુદ એકમના દિવસે પંચ રૂબરૂ કુંભ બહાર કાઢી ફરી તમામ ધાન્યો અને કઠોળ તોલવામાં આવે છે અને જે ફેરફાર નોંધાય તેને અષાઢી કહેવાય છે. જો કોઈ કઠોળ કે ધાન્યનું વજન ઓછું થાય તો તેનો પાક ઓછો થાય છે અને વહેપારીઓ તે વસ્તુનો ધંધો કરવામાં તકેદારી રાખતા હોય છે, જ્યારે કોઈ વસ્તુના વજનમાં વધારો થાય તો તે વસ્તુનો પાક સારો થાય છે તેવી ઉમરેઠ પંથકના ખેડૂતો અને વહેપારીઓમાં માન્યતા છે. શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જોખાતી અષાઢી માત્ર ઉમરેઠ પંથકમાં જ નહી સૌરાષ્ટ્રમાં પણ ખુબ પ્રચલીત છે,ત્યાંના ગંજ બજારના વહેપારીઓ તેમજ ખેડૂતો પણ અષાઢીના વર્તારા માટે મંદિર પ્રશાશનને ફોન કરી પુછતા હોય છે.

મહાદેવજીની આરતીનું આધ્યાત્મિક મહત્વ – ઉમરેઠમાં આવેલ શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જે આરતી ગવાય છે તે જવલ્લેજ અન્ય મહાદેવમાં ગવાતી હશે તેમ કહેતા શદાશીવભાઈ દવેએ જણાવ્યું હતુ કે મહાદેવજીની આરતીમાં બાર જ્યોતિર્લીંગ તેમજ શીવ તાંડાવ નૃત્યનો પણ ઉલ્લેખ આવી આરતી લગભગ અન્ય કોઈ મહાદેવમાં ગવાતી નથી જેથી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં ગવાતી આરતીનું વિશેષ ધાર્મિક મહત્વ

ઉમરેઠ હવે બજારો સવારે ૮ થી ૪ કલાક સુધી જ ખુલ્લા રહેશે.


શાકમાર્કેટ તેમજ ફ્રુટની લારી એસ.એન.ડી.ટી ગ્રાઉન્ડ થી ગણપતિ મંદિર સુધી બેસી શકસે.

ઉમરેઠમાં કોરોના સંક્રમન ને અટકાવવા માટે પાલીકા તંત્ર દ્વારા નગરના બજારો તા.૧૬.૭.૨૦૨૦ થી તા.૩૧.૭.૨૦૨૦ સુધી સવારે  ૮ થી સાંજે ૪ કલાક સુધી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે ઉમરેઠ નગરપાલીકા સવારે ૧૦ થી બપોર ના ૨ સુધી પ્રજાકીય કાર્યો માટે ખુલ્લી રહેશે. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ સમગ્ર રાજ્યમાં અનલોક દરમ્યાન કુદકે ને ભુસકે કોરોના કેસ વધી રહ્યા છે જેમાં આણંદ જિલ્લાનું તાલુકા મથક ઉમરેઠ પણ બાકાત નથી ત્યારે હવે વધુ કોરોના કેસ ન પ્રસરે માટે ઉમરેઠ પાલીકા દ્વારા બજારો સવારે ૮ થી સાંજે ૪ ખુલ્લા રાખવાનો તેમજ કામ સીવાય કોઈ વ્યક્તિ ઘરની બહાર ન નિકળે સદર બંન્ને નિર્ણય પ્રજાજનો ચુસ્ત રીતે અમલ કરે તેવી પાલીકા તંત્રએ વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે આવશ્યક સેવા તેમજ મેડીકલ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ પાલીકાના સૂત્રોએ જણાવ્યું હતું તેમજ સદર ઠરાવ અંગે ઉમરેઠ તાલુકા મામલતદાર તેમજ પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવશે.

માસ્ક નહી પહેરો તો રૂ.૨૦૦નો દંડ

ઉમરેઠ પાલીકા દ્વારા કોરોના સંક્રમન વધે નહી તે માટે માસ્ક તેમજ શોશિયલ ડીસ્ટન્સનો નગરજનોને ચુસ્ત રીતે અમલ કરવા જણાવ્યું છે, નગરમાં દૂકાનદારો સહીત ગ્રાહકો અને પ્રજાજનો માસ્ક પહેર્યા વગર નજરે પડશે તો તેઓને રૂ.૨૦૦નો દંડ ફટકારવામાં આવશે જે કામ માટે પાલીકા સહીત પોલીસ તંત્રએ કમર કસી હોવાનું જાણવા મળે છે.

શાક માર્કેટ કાયમ માટે એસ.એન.ડી.ટી મેદાન માર્ગ પર ખસેડવા માંગ

હાલના ઠરાવ મુજબ શાકમાર્કેટ એસ.એન.ડી.ટી મેદાન થી ખારવાવાડી ગણેશ મંદિર માર્ગ પર કાર્યરથ થશે પરંતુ હંગામી ધોરણે નહી પણ કાયમ માટે આજ સ્થળે શાક માર્કેટ કાર્યરત કરવા સ્થાનિકોની માંગ છે. ઉલ્લેખનીય છે કે,  ઉમરેઠમાં હાલમાં શાક માર્કેટ ગાંધીશેરી થી વ્હોરવાડ તેમજ ઢાકપાલ વિસ્તારમાં કાર્યરત છે, સદર રહેનાંક વિસ્તાર હોવાને કારણે શાક માર્કેટને કારને સ્થાનીકોને દૈનિક અવરજવરમાં તકલીફ પડી રહી છે તેમજ ગીચ વિસ્તારને કારણે ભીડ થઈ જાય છે જેથી શાક માર્કેટ કાયમ માટે એસ.એન.ડી.ટી મેદાન તરફના રસ્તે કાર્યરત કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

ઉમરેઠ મામલતદાર કચેરી દ્વારા ગૌરીવ્રતની બાળાઓને કીટ વિતરણ કરાયું


ગૌરીવ્રતની બાળાઓને કીટ વિતરણ
ગૌરીવ્રતની બાળાઓને કીટ વિતરણ

ઉમરેઠ તાલુકા મામલતદાર ઝેડ.વી.પટેલ તેમજ ના.મામલતદાર અને સ્ટાફ દ્વારા આજે ઉમરેઠના ઝુપડ પટ્ટી વિસ્તારમાં ગૌરીવ્રત નિમિત્તે બાળકીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન કોરોના મહામારીને કારણે ગરીબો ને ખાવા માટે અનાજ પણ સરકારી યોજના દ્વારા આપવામાં આવે છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં આવા લોકો ગૌરીવ્રત માટે સુકોમેવો કે અન્ય ખાદ્ય સામગ્રી કેવી રીતે ખરીદી શકે? તેવા વિચાર સાથે મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગૌરીવ્રત ની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉમરેઠ – ઐતિહાસીક અષાઢી જોખાઈ ખેતી લાયક વરસાદનો વર્તારો


ઉમરેઠ સહીત સૌરાષ્ટ્રના ખેડૂતો અને વહેપારીઓ અષાઢીના વર્તારા મુજબ ખેતી અને વહેપાર કરતા હોવાની માન્યતા.

ઉમરેઠના ઐતિહાસિક શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે પરંપરાગત રીતે અષાઢ વદ એકમના રોજ અષાઢી જોખવામાં આવે છે, આજે પણ મહાદેવમાં પંચ ની હાજરીમાં અષાઢી જોખવામાં આવી હતી જેમાં પાક ને અનુકુળ વરસાદ સહીત આ વર્ષે ખેતી ક્ષેત્રે સારું રહેશે તેવો વર્તારો દેખાયો હતો. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે દિલીપભાઈ સોની દ્વારા અષાઢી જોખવામાં આવી હતી, જ્યારે અષાઢીનો વર્તારો પંચ સમક્ષ મહાદેવના પુજારી ગીરીશભાઈ દવેએ જાહેર કર્યો હતો. સંવત ૨૦૭૫ ની સરખામણીમાં સંવત ૨૦૭૬માં મગ ૨ વધારે, ડાંગર ૧૫ વધારે, જુવાર ૧૨ વધારે,ઘઊં ૩ વધારે, તલ ૧૮ વધારે, અડદ ૧ ઓછો, કપાસ ૧|| વધારે, ચણા ૧|| વધારે, બાજરી ૮ ઓછી તેમજ માટી ૦|| રતી વધારે નો વર્તારો દેખાયો હતો. જેને કારણે આગામી વર્ષ પાક અને વરસાદ ની દ્રષ્ટીએ સારુ રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠમાં જોખાતી અષાઢીનું આગવું મહત્વ છે. ઉમરેઠ સહીત સૌરાષ્ટના અનાજ અને તેલીબીયાના વહેપારીઓ તેમજ ખેડૂતો પણ અષાઢીના વર્તારાની આતુરતા થી રાહ જોતા હોય છે. અષાઢી જોખાઈ તે સમયે નરેન્દ્રભાઈ ગાભાવાળા (વહેપારી), પ્રફુલભાઈ (વકીલ), ધર્મેશભાઈ શાહ (વહેપારી) સહીત જયંતીભાઈ પટેલ (ખેડૂત અગ્રણી), તરૂણભાઈ ચાંગ સહીતના અગ્રણીઓ તેમજ મહાદેવના પુજારી ગીરીશભાઈ દવે ઉપસ્થીત રહ્યા હતા. 

ઉમરેઠ – સંતરામ મંદિરમાં શોશીયલ ડીસ્ટન્સ રાખી ગણેશદાસજી મહારાજે ભક્તો ને આશિર્વાદ પાઠવ્યા.


શોશિયલ ડીસ્ટન્સ સાથે સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે ભક્તો ને આશિર્વાદ પાઠવ્યા.

ઉમરેઠ સંતરામ મંદિર માં કોરોના મહામારી ને કારણે આજે સાદગી પૂર્ણ ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યુ હતુ કે કોરોના સંક્રમન ન થાય જેને પગલે આજે મહા પ્રસાદ તેમજ સમુહ પાદૂકા પુજન કાર્યક્રમ રાખ્યો નથી અને ગુરૂ પૂર્ણીમાના પવિત્ર દિવસે વિશ્વના તમામ જીવો ઉપર ભગવાન ની ખુબ  કૄપા રહે અને કોરોના મહામારી થી વિશ્વના તમામ જીવ મુક્ત થાય તેવી પ્રભુ ને પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભક્તો ને દર્શન આપવા શ્રી ગણેશદાસજી મહારાજ શોશિયલ ડીસ્ટન્સ જાળવી ગાદી પર બિરાજમાન થયા હતા તેમજ સૌ ભક્તો માસ્ક પહેરી તેમજ શોશિયલ ડીસ્ટન્સ રાખી મહારાજ ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ડોક્યુમેન્ટ સ્કેન કરી PDF કે JPGમાં કન્વર્ટ કરવા માટે ચાઈનીસ એપ્લીકેશન CamCanner ના અથવામાં ભારતીય એપ્લીકેશન NoteBloc શ્રેષ્ઠ વિકલ્પ.


સ્ટુડન્ટ તેમજ ઓફિસમાં વર્ક કરતા લોકો માટે ડોક્યુમેન્ટ ને પીડીએફ ફાઈલમાં કન્વર્ટ કરવા માટે CamCanner લોકપ્રિય એન્ડ્રોઈડ એપ્લીકેશન હતી, પરંતુ તાજેતરમાં ભારત સરકાર દ્વારા ૫૯ જેટલી ચાઈનીઝ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવતા સ્ટુડન્ટ સહીત ઓફિસ વર્ક કરતા લોકો CamCanner સ્કેનરને મીસ કરી રહ્યા છે. CamCanner સ્કેનર વાપરવામાં ખુબ જ શરળ હતી અને પલભરમાં ડોક્યુમેન્ટ સ્કેન થઈ પીડીએફ કે જેપીજી ફોર્મેટમાં ડાઉનલોડ આ એપ્લીકેશન થી થઈ શકતા હતા ઉપરાંત જેતે ડોક્યુમેન્ટ અન્ય એપ્લીકેશનમાં મોકલવા માટે પણ ઓપ્શન હતા. ચાઈનીસ એપ્લીકેશન હોવાને કારણે હવે આ એપ્લીકેશન લોકો મોબાઈલ માંથી દુર કરી રહ્યા છે ત્યારે હવે ભારત ની NoteBloc એપ્લીકેશન CamCanner ના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે લોકપ્રિય થઈ રહી છે. NoteBloc એપ્લીકેશન ની ખાસીયત છે કે તે પણ CamCanner એપ્લીકેશન ની જેમ વાપરવામાં ખુબજ શરળ છે, આ એપ્લીકેશન ભારત ની ચે તેમજ CamCanner કરતા એક સ્ટેપ આગળ વધી સ્કેન કરેલા ડોક્યુમેન્ટ પીડીએફ અને જેપીજી ફોર્મેટમાં કનવર્ટ કરવાની સાથે તેની સાઈઝ કેટલી રાખવી છે તેના અલગ અલગ ઓપ્શન પણ આપે છે જ્યારે CamCanner માં ડોક્યુમેન્ટ સ્કેન થઈ જેપીજી અને પીડીએફ ફોર્મેટમાં કનવર્ટ તો થતા હતા પણ તેની સાઈઝ ફીક્સ રહેતી હતી જેથી પીડીએફ અને જેપીજી ફાઈલ કનવર્ટ કર્યા પછી તેની સાઈઝ નાનઈ કરવા માટે અલગ એપ્લીકેશન નો ઉપયોગ કરવો પડતો હતો. જો હજૂ પણ તમારા મોબાઈલમાં CamCanner એપ્લીકેશન હોય તો આજે જ રીમુવ કરી NoteBloc પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરો અને તમારા ડોક્યુમેન્ટ શરળતા થી સ્કેન કરી પીડીએફ કે જેપીજીમાં કન્વર્ટ કરી શેર કરો. ગુગલ પ્લે માંથી NoteBloc એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીન્ક ક્લીક કરો.
https://play.google.com/store/apps/details?id=com.notebloc.app&hl=en_IN

ઉમરેઠ – હિન્દુ ધાર્મિક સંગઠનો દ્વારા નગરના મંદિરોમાં ધરાવેલ માટી-પાણી અયોધ્યા મોકલાશે.


વિશ્વ હિન્દુ પરીષદ તેમજ બજરંગ દળ સહીતના સંગઠનો દ્વારા નગરના મંદિરોમાં માટી-પાણી ધરાવવામાં આવ્યા.અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા શ્રી રામ મંદિરના નિર્માણ સમયે મંદિરના પાયામાં સમગ્ર ભારતવર્ષ ના વિવિધ ધાર્મિક સ્થાનોમાં જેતે ગામની માટી અને પાણી તેઓના ગામના તમામ ધાર્મિક સ્થળોમાં બિરાજમાન આરાધ્ય દેવ-દેવીઓને ધરાવી અયોધ્યા મોકલવાનું અભિયાન હાથ ધરાયું છે જે માટી અને પાણી શ્રી રામ મંદિરના નિર્માણ સમયે પાયામાં પધરાવવામાં આવશે સદર અભિયાન અંતર્ગત ઉમરેઠના વિવિધ ધાર્મિક સ્થળો પર વિશ્વહિંદુ પરીષદ અને બજરગ દળ સહીતના હિન્દુ સંગઠનો દ્વારા માટી અને પાણી ધરાવવામાં આવ્યા હતા જે એકઠા કરી હવે અયોધ્યા મંદિરના નિર્માણ કાર્ય માટે મોકલવામાં આવશે. ઉમરેઠના શ્રી જાગનાથ મહાદેવ, શ્રી ભદ્રકાળીમાતા મંદિર, શ્રી સંતરામ મંદિર, વડતાલ તેમજ બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ શ્રી ગીરીરાજધામ ખાતેથી માટી અને પાણી એકઠા કરી ભગવાનને ધરાવવામાં આવ્યા હતા સદર કાર્યની સૌ ધાર્મિક સ્થળોના સંત-મહંતશ્રીએ પ્રશંશા કરી હતી.

ઉમરેઠ – ગુરૂપૂર્ણિમા નિમિતે સંતરામ મંદિરમાં પાદુકા પુજન તેમજ ભંડારો બંધ રહેશે.


આગામી તા.૫ જુલાઈના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉમરેઠ સંતરામ મંદિર ખાતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સાદગી થી ઉજવવામાં આવશે તેમ ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા તેઓએ ઉમેર્યું હતુ કે, હાલમાં કોરોના વાઈરસને કારણે વિશ્વ વ્યાપી મહામારી સામે દુનિયા ઝઝુમી રહી છે. જેને પગલે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈન મુજબ એક સ્થળ પર વધુ લોકો જમા ન થાય અને કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે શ્રી સંતરામ મંદિરમાં ગુરૂપૂર્ણિમાને દિવસે પાદૂકા પુજન તેમજ મહા પ્રસાદ ભંડારા નું આયોજન રદ્દ રાખ્યું છે. આ ઉપરાંત આ દિવસે મહારાજ ના દર્શન શોશિયલ ડીસ્ટન્સ સાથે ભક્ત કરે તેવું તેઓએ જણાવ્યું હતુ ઉપરાંત એક સાથે મંદિરમાં ભક્તો ની ભીડ ન થાય તે માટે તેઓએ ઉમેર્યું હતુ કે, મંદિર આખો દિવસ ચાલુ રહેશે જેથી જુદા જુદા સમયે લોકો દર્શન નો લાભ લઈ શકે અને મંદિરમાં ભીડ ન થાય, મંદિર પ્રશાશને તેમ પણ જણાવ્યું હતુ કે મંદિરમાં દર્શન કરતા સમયે ભક્તોએ એક બીજા થી ચાર-પાંચ ફુટનું અંતર અવશ્ય રાખવું તેમજ માસ્ક વગર મંદિરમાં પ્રવેશ ન કરવા જણાવ્યું હતું.