આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: જાહેરાત

વાંચક મિત્રો…


આપણા ઉમરેઠમાં ભૂતકાળમાં કેટલાય વ્યક્તિઓ એવા થઈ ગયા જેમને ઉમરેઠનું નામ સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં ગુંજતુ કર્યું. પોતાના કાર્યક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ટોચના સ્થાને પહોંચી પોતાનું ,પોતાની જ્ઞાતિ-પરિવાર સહીત ઉમરેઠનું ગૌરવ વધાર્યું, સરકારી ઉચ્ચ હોદ્દા થી માંડી નાની મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજવાનો શ્રેય કેટલાય ઉમરેઠના નાગરિકોને પ્રાપ્ત થયો છે. આવા લોકોની અનન્ય સિધ્ધિને બિરદાવવા માટે “આપણું ઉમરેઠ” બ્લોગ દ્વારા ઉમરેઠના પ્રતિભાશાળી લોકોની એક યાદી બ્લોગમાં મુકવાનું આવનારા થોડા દિવસોમાં આયોજન છે. બ્લોગના એક વાંચક એન.બી.ભટ્ટ દ્વારા સદર સુચન સહીત ઉમરેઠના પ્રતિભાશાળી લોકોની એક યાદી પ્રાપ્ત થયેલ છે, જે બદલ તેઓનો ખુબ ખુબ આભાર. આ સાથે અન્ય વાંચકોને જણાવવાનું કે તમારા ધ્યાનમાં પણ ઉમરેઠની કોઈ પણ તેવી વ્યક્તિ હોય કે જેને ઉમરેઠ માટે કાંઈ કર્યું છે અને ઉમરેઠ માટે ગૌરવ લેવા જેવું કાંઈ છે તો તમે નીચેનું ફોર્મ ભરી અમને મોકલી શકો છો.

મકાન અને દૂકાન વેચવાનું છે.


ઉમરેઠના ચોકસી બજારમાં

રોડ ટચ દૂકાન સાથેનું સંપૂર્ણ સુવિધા ધરાવતું મકાન વેચવાનું છે.

રસ ધરાવનાર વ્યક્તિ

મો.૯૮૨૪૩૩૮૦૨૮ 

અને

મો.૯૩૨૮૬૬૫૩૬૬

ઉપર સંપર્ક કરી શકે છે.

આધાર કાર્ડ અંગે તમને થતા પ્રશ્નો અને નિરાકરણ


  • આધાર કાર્ડ શા માટે જરૂરી છે..?

સરકાર જે તે સેવા કે વસ્તુ ઉપર સબસીડી આપે છે તે હવે આધાર કાર્ડના માધ્યમથી મળશે, જેથી સરકાર દ્વારા મળવાપાત્ર સબસીડીનો લાભ લેવા માટે તે ખુબજ જરૂરી છે. આ ઉપરાંત ફોટો ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે પણ વિવિધ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે.

  • ઉમરેઠમાં આધાર કાર્ડ ક્યાં નિકાળવામાં આવે છે.

 ઉમરેઠમાં આધાર કાર્ડ જૂની પંચાયત કચેરી, જલારામ મંદિર પાસે નિકાળવામાં આવે છે.

  •  આધાર કાર્ડ નિકાળવા માટે શું પુરાવા જોઈયે.

આધાર કાર્ડ નિકાળવા માટે લાઈટબીલની ઝેરોક્ષ (બે કોપી), ચુંટણી કાર્ડની ઝેરોક્ષ (બે કોપી) રેશનકાર્ડ ઝેરેક્ષ (બે કોપી) અને ગેસ રીફીલ કરાવવા માટેની પાસબુકની ઝેરોક્ષ એક કોપી, (ગેસ રીફીલ પાસબુકની ઝેરોક્ષ સાથે હોય તો આધાર કાર્ડ નિકાળવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.)

  • આધાર કાર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેનો પુરાવો શું..?

જવાબ – તમે આધાર કાર્ડ નિકાળવા માટે રજિસ્ટ્રેશન કરાવો એટલે તમને એક પાવતી આપે છે તેમાં તમે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન ક્યારે કેટલાવાગે કરાવ્યું છે તેની વિગતો દર્શાવેલ હોય છે. આ રજિસ્ટ્રેશનની પાવતી ખુબજ અગત્યની છે. આધાર કાર્ડ મળ્યા પછી ગુમ થઈ જાય ત્યારે આધાર કાર્ડની ડુપ્લીકેટ કોપી મેળવવા માટે તે જરૂરી છે.

  • આધાર કાર્ડ રજીસ્ટ્રેશન કર્યા પછી ક્યારે મળે…?

જવાબ – આધાર કાર્ડ માટે રજિસ્ટ્રેશન કર્યા પછી લગભગ ત્રણ-ચાર મહિનામાં મળી જાય છે.

  • આધાર કાર્ડનું રજિસ્ટ્રેશન કરાવે ચાર મહિના થયા પણ આધાર કાર્ડ મળ્યું નથી તો મારે શું કરવું..?

જવાબ – આધાર કાર્ડ પોસ્ટમાં આવે જેથી કદાચ તમોને ડીલીવરી મળવામાં મોડું પણ થાય અથવા પોસ્ટમાં આડું અવડું ડીલીવર પણ થાય આ પરિસ્થિતિમાં તમારે http://eaadhaar.uidai.gov.in/eDetails.aspx લીન્ક ઉપર જઈ જરૂરી વિગતો ભરી આધાર કાર્ડ સોફ્ટ કોમી મેળવી શકો છો અને તેની પ્રિન્ટ નિકાળી આધાર કાર્ડ તરીકે ઉપયોગ કરી શકો છો.

  • આધાર કાર્ડ મળ્યા પછી ખોવાઈ જાય તો ડુપ્લીકેટ આધાર કાર્ડ કેવી રીતે મેળવું..?

જવાબ – આધાર કાર્ડ ગુમ થઈ જાય તો , આધાર કાર્ડ રજિસ્ટ્રેશનની પાવતીથી આધારની વેબ સાઈટ http://eaadhaar.uidai.gov.in/eDetails.aspx ઉપરથી જરૂરી વિગતો ભરી સોફ્ટ કોપી રૂપે મળી જાય છે. જેની પ્રિન્ટ નિકાળી તમે લેમિનેશન કરાવી સાચવી શકો છો. આધાર કાર્ડ સોફ્ટ કોપી મેળવવા માટે તમારી પાસે રજિસ્ટ્રેશન કોપી હોવી જરૂરી છે.

  • ગેસ એજન્સીમાં અને બેંકમાં આધાર કાર્ડ કેવી રીતે સબમીટ કરાવવું..?

જબાબ – આધાર કાર્ડ અને ગેસ રીફીલ કરાવવા માટેની પાસબુકની ઝેરોક્ષ ગેસ એજન્સીમાં જમા કરાવવી, ગેસ એજન્સી દ્વારા તમારા ખાતામાં તમારો આધાર નંબર સબમીટ કરી દેવાશે. તેજ રીતે એક આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી તમારી બેન્કમાં તમારા ખાતા નંબર સાથે આપવી જેથી બેન્કમાં પણ તમારા ખાતામાં આધાર નંબર સબમીટ કરી શકાય.

  • શું ગેસ એજન્સીમાં ઓનલાઈન આધાર કાર્ડ જમા કરાવી શકાય..?

જબાબ – જી, હા બિલકુલ તમે ગેસ એજન્સીમાં ગયા વગર તમે ઓનલાઈન તમારું આધાર કાર્ડ ગેસ એજન્સીમાં જમા કરાવી શકો છો, આ માટે તમારે નીચેની લીન્ક ઉપર ક્લીક કરી એક ફોર્મ ઓપન થાય તે ભરવું પડશે, આ માટે તમારો ગ્રાહક નંબર , ગેસ એજન્સીનું નામ અને આધાર કાર્ડનો નંબર તૈયાર રાખો…

https://rasf.uidai.gov.in/seeding/User/ResidentSelfSeeding.aspx

ઉપરની લીન્ક ઓપન કર્યા પછી, ત્રણ સ્ટેપમાં તમે તમારું આધાર કાર્ડ ગેસ એજન્સીમાં ગયા વગર જમા કરાવી શકો છો. આ ઉપરાંત તમે એસ.એમ.એસ દ્વારા પણ આધાર કાર્ડ નંબર ગેસ એજન્સીમાં જમા કરાવી શકો છો જે માટે વધુ માહિતી મેળવવા નીચેની લીન્ક ક્લિક કરો.

https://rasf.uidai.gov.in/seeding/User/sms.htm

દાંતનું દવાખાનું.


બેસણું


મુંબઈથી નવનીતલાલ કે.પરીખના જયશ્રી કૃષ્ણ. સખેદ જણાવવાનું કે ,

મારા ધર્મ પત્નિ જયાબેન પરીખનું તા.૧૦.૧૨.૨૦૧૧ના રોજ અવસાન થયેલ છે.

સ્વ.જયાબેન નવનીતલાલ પરીખ

સદ્ગતનું બેસણું

તા.૨૨.૧૨.૨૦૧૧ને ગુરૂવારના રોજ સવારે ૯.૦૦ થી ૧૦.૩૦ કલાક સુધી રાખેલ છે.

સ્થળ 

નાસિકવાળા હોલ , માર્કેટ યાર્ડ સામે – ઉમરેઠ

લિ.

નવનીતલાલ કે. પરીખ   મો.૦૯૮૬૭૦ ૨૩૫૧૪
યોગેશ એન.પરીખ           મો.૦૯૮૨૧૦ ૯૫૯૯૬
અનિલ એન પરીખ           મો.૦૯૮૨૦૨ ૪૦૫૯૧

 ઈ-મેલ – navneetparikh@hotmail.com

પરીખ પરીવાર – સ્મરણાંજલિકા કેસેટવાળા

મુંબઈ, વીલે પાર્લા (ઈસ્ટ)

શ્રી ગૃપ, ઉમરેઠ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-૨૦૧૧


શ્રી ગૃપ, ઉમરેઠ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-૨૦૧૧

જાહેરાત – સ્ટોલ બુકીંગ માટે ઉપરોક્ત નંબર ઉપર સંપર્ક કરો.

Imitation Fashion Jewellery


http://uniqueshoppy.com/ please click

uniqueshoppy.com

Unique Shoppy.Com is an exclusive online store for Imitation Fashion Jewellery including Unique Products of all kinds since 2006. The blends of Ethnic, western and traditional designs provide the essence of what we stand for. The diverse range of jewellery we provide is used for several occasions and religious events which occur throughout the world. Countries spanning all continents have acknowledged and appreciated our jewellery and our services.

http://uniqueshoppy.com/ please click for more details