આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: December 2021

ઉમરેઠની સટાકપોળના વૈષ્ણવો દ્વારા ગુંસાઈજી પ્રાગટ્ય મહોત્સવ ની ઉજવણી


ઉમરેઠની સટાક પોળના વૈષ્ણવો દ્વારા પરમ દયાલ શ્રી ગુસાંઈજીના પ્રાગટ્ય મહોત્સવ ની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુંસાઈજી પ્રાગટ્ય દિવસની પૂર્વ સંધ્યાએ સટાક પોળ ખાતે કિર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય મહોત્સવ ના દિવસે પરોઢે પ્રભાત ફેરી તેમજ બપોરે શોભાયાત્રા નિકળી હતી જેમાં સૌ વૈષ્ણવોએ ભક્તિભેર ભાગ લીધો હતો.

ઉમરેઠ બાર એસોસિએશન ના હોદ્દેદારો વરાયા


સન ૨૦૨૨ માટે ઉમરેઠ બાર એશોશિયેશન ના હોદ્દેદારોની વરણી તાજેતરમાં સર્વાનુમતે કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે મુકેશભાઈ ત્રિવેદી, ઉપ-પ્રમુખ પદે બિપીનભાઈ સોલંકી, મંત્રી પદે શ્રેણિક શુક્લ, અને સહ મંત્રી પદે લાલજીભાઈ તળપદા ની વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોને પ્રવર્તમાન પ્રમુખ પી.એલ.મહીડા, અને મંત્રી ઐયુબભાઈ પઠાને શુભેચ્છા વ્યક્ત કરી હતી. નવા હોદ્દેદારોએ પોતાની પસંદગી કરવા બદલ બાર એશોસિયેશન ની તમામ સભ્યો અને હોદ્દેદારો નો આભાર વ્યક્ત કર્યો હતો.