આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના સ્વ.હરિકૃષ્ણભાઈ શાહનું અવસાન થતા દેહદાન કરવામાં આવ્યું.


મૂળ નડિયાદના અને હાલ ઉમરેઠના વતની હરિકૃષ્ણ રસીકલાલ શાહનું તા.૧૯.૨.૨૦૨૨ના રોજ ૮૦ વર્ષની વયે અવસાન થતા તેઓના પરિવાર દ્વારા તેઓના પાર્થિવ દેહને નડિયાદ ખાતે એન.ડી.દેસાઈ મેડીકલમાં દાન કર્યો હતો. આ અંગે માહિતી આપતા સ્વ.હરિકૃષ્ણ ભાઈ શાહના પુત્ર સમીરભાઈ શાહએ જણાવ્યું હતુ કે તેઓ જીવતા હતા ત્યારે જ તેઓએ દેહદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેને પગલે તાજેતરમાં તેઓનું અવસાન થતા તેમની ઇચ્છા મુજબ તેઓના દેહ નું દાન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે હરિકૃષ્ણ શાહ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં ઓફિસર તરીકે કાર્યરત હતા, તેઓની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની સફર વિરમગામ થી શરૂ થઈ હતી અને છેલ્લે ઉમરેઠ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા બ્રાન્ચ માંથી નિવૃત થયા હતા. ત્યારબાદ રિટાયર્ડ થયા બાદ ઉમરેઠ સિનિયર સિટીઝન તેમજ નડિયાદ વડીલોનું વિશ્રામ સંસ્થાના પ્રમુખ પદે પોતાની સેવા આપી સમાજ સેવા અર્થે કાર્યરત હતા. તેઓના પરિવારજનોએ તેઓના દેહદાન નો નિર્ણય આવકારી એન.ડી.દેસાઈ મેડિકલ નડિયાદ ખાતે દાન કરી ગર્વની લાગણી અનુભવી હતી.

One response to “ઉમરેઠના સ્વ.હરિકૃષ્ણભાઈ શાહનું અવસાન થતા દેહદાન કરવામાં આવ્યું.

  1. Harish Dave March 1, 2022 at 1:09 am

    Best way to leave…ૐ શાંતિ …..

    Sent from Yahoo Mail for iPhone

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.