આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

શ્રી ચંન્દ્રમૌલિશ્વર મહાદેવના જીર્ણોધ્ધાર નો પ્રારંભ


ઉમરેઠ ના ઐતિહાસિક શ્રી ચંન્દ્રમૌલિશ્વર મહાદેવ ના મહાદેવ તેમજ પ્રાંગણ ના જીર્ણોધ્ધાર નો આજે જન્માષ્ટમી ના પાવન પર્વે કુમુદભાઇ મનહરલાલ શેલત તેમજ હર્ષાબેન કુમુદભાઇ શેલત ના મુખ્ય યજમાન પદે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં સંત-મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ અને નગરના નામાંકિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ચંન્દ્રમૌલિશ્વર મહાદેવ ટ્રસ્ટ ના પ્રમુખ સદાશિવ દવેએ મહાદેવ નો ઐતિહાસિક વારસાની રૂપરેખા પ્રસ્તુત કરી હતી અને મહાદેવના ભવ્ય નવનિર્માણ અંગે દાન આપનાર દાતાશ્રીઓ નો આભાર વ્યક્ત કરી વધુ દાતાશ્રીઓ સદર ભગીરથ કાર્યમાં નિમિત બને તેવી અપેક્ષા દાખવી હતી. આ શુભ અવસરે અખીલ ભારતીય સંત સમિતિના પ્રમુખ પ.પુ.શ્રી નૌતમ સ્વામિજી (શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ) ના વરદ હસ્તે શ્રી ચંન્દ્રમૌલેશ્વર મહાદેવ ની વેબસાઇટ ખુલ્લી મુકવામાં આવી હતી.

3 responses to “શ્રી ચંન્દ્રમૌલિશ્વર મહાદેવના જીર્ણોધ્ધાર નો પ્રારંભ

  1. Harish Dave September 14, 2021 at 5:55 pm

    મહાદેવ ના મંદીર માટે સેવા કરવી હોય તેમણે ક્યાં સંપર્ક કરવો તે જણાવશો …આભાર…🙏🙏🙏

    Sent from Yahoo Mail for iPhone

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.