આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: સંતરામ મંદિર, ઉમરેઠ

ઉમરેઠ સંતરામ મંદિરમાં પોષી પુનમ નિમિત્તે સાંકરવર્ષા


પોષી પૂનમે સંતરામ મંદિરમાં બોર-સાંકર વર્ષા કરી ભક્તોએ બાધા પૂરી કરી.

ઉમરેઠ સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે પોષી પુનમે શ્રી ગણેશદાજી મહારાજના સાંનિધ્યમાં સાંકર-બોર વર્ષા કરવામાં આવી હતી. સાંકર-બોર વર્ષા દરમ્યાન મોટી સંખ્યામાં સંત-મહંત તેમજ ઉમરેઠ સહીત આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.કેટલાક બાળકો પાંચ વર્ષના થાય પછી પણ મમ્મી પપ્પા જેવા શબ્દો બોલી શકતા નથી. બાળકોને જલ્દી બોલતા પણ આવડતું નથી આવા બાળકોના માતા પિતા સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે. માન્યતા છે કે સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર વર્ષા કરવાથી પોતાનું બાળક જલ્દી બોલતું થાય છે. દર વર્ષે સંતરામ મંદિરની વિવિધ શાખાઓમાં સાંકર બોર વર્ષા કરવામાં આવે છે. ખાસ કરીને ઉમરેઠ, કરમસદ,કાલસર અને નડિયાદમાં સાંકર વર્ષામાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થતા હોય છે, અને પોતાનું બાળક જલ્દી બોલતું થાય તેવી બાધા રાખતા હોય છે અને જેઓનું બાળક બોલતું થઈ ગયું હોય તે પોતાની બાધા પૂર્ણ કરવા બોર-સાંકર વર્ષા કરતા હોય છે.

ભક્તો દ્વારા ઉછાળવામાં આવેલ બોર-સાંકર પ્રસાદ સ્વરૂપે ઉપસ્થિત અન્ય ભક્તો આરોગતા હોય છે. આ દિવસે મંદિરના મહંત દ્વારા વિશેષ પુજન પણ કરવામાં આવે છે અને મંદિર પરિસરમાંથી સાંકર-બોર વર્ષાની શરૂઆત કરવામાં આવે છે.આજે સાંકર વર્ષા દરમ્યાન શ્રી ગણેશદાસજી મહારાજ,શ્રી હરેકૃષ્ણદાસજી મહારાજ,સહીત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ઉમરેઠ સંતરામ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી


ઉમરેઠ સંતરામ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજના આર્શિવાદ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રી ગણેશદાસજી મહારાજએ આશિર્વચન આપતા ગૂરૂ અને શિષ્યના સબંધનું મહત્વ સમજાવ્યું હતું. શ્રી ગણેશદાસજીના ભક્તોએ ગુરૂપુજન કરી પોતાની શ્રધ્ધા દર્શાવી હતી. સમગ્ર ઉમરેઠ સહીત થામણા,ઓડ,લીંગડા,સુંદલપૂરા અને કાલસરના ભક્તો પણ શ્રી ગણેશદાસજી મહારાજના આર્શિવાદ મેળવવા આવી પહોંચ્યા હતા. ભક્તો માટે શ્રી સંતરામ મંદિર દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પ્રસાદી લઈ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, ભાજપ જિલ્લા સંગઠનના વિપુલભાઈ પટેલ, લાલસિંહભાઈ વડોદિયા સહીત તેમજ ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ બોસ્કીના અગ્રણીઓએ શ્રી ગણેશદાસજી મહારાજના આશિર્વાદ લીધા હતા.

શ્રી ગણેશદાસજી મહારાજનો જન્મ દિવસ


ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજને જન્મ દિવસની શુભેચ્છા..

શ્રી સંતરામ મંદિર વ્યાસ ચોરા પાસે ઉમરેઠ ફોન નં.૨૭૬૩૫૧

ઉમરેઠ સંતરામ મંદિર દેવ દિવાળીએ ૨૫૦૦૦ દીપથી ઝળહળી ઉઠ્યું..!


ઉમરેઠ સંતરામ મંદિરમાં દેવ દિવાળી નિમિત્તે દીપમાળાના દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરમાં લગભગ પચ્ચીસ હજાર જેટલા દીપ પ્રગટાવવામાં આવ્યા હતા જેથી મંદિર દિવ્ય પ્રકાશમાં ઝળહળી ઉઠ્યું હતું. આ અલૈકિક દર્શનનો લાભ લેવા ઉમરેઠ સહીત ઓડ,બેચરી,નવાપૂરા,લીંગડા,થામણા સહીતના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. દેવ દિવાળી નિમિત્તે મંદિરમાં અન્નકુટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ કે ગાદી સમક્ષ જૂદી જૂદી લગભગ ૭૫૧ જેટલી વાનગીઓ ધરાવવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો પણ ભક્તોએ મોટી સંખ્યામાં લાહ્વો લીધો હતો. દેવ દિવાળીના દીપમાળાના દર્શન અને ભવ્ય અન્નકૂટ મહોત્સવને સુંદર રીતે પાર પાડવા માટે શ્રી હરિકૃષ્ણદાસજી, ભરતભાઈ અને ભુપેન્દ્રભાઈ સહીત મંદીરના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.  (તસ્વીર – પિનાક આર્ટ)

ઉમરેઠ સંતરામ મંદિરમાં રામદેવબાબાની પધરામણી


  • સંતરામ મંદિરની પ્રવૃત્તિઓની પ્રશંશા કરી

બાબા રામદેવ ગુજરાતના પ્રવાસ દરમ્યાન ગતરોજ ઉમરેઠ સંતરામ મંદિરની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, ઓડના અગ્રણી પરમાનંદભાઈ પટેલ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી ગણેશદાસજી મહારાજે બાબા રામદેવનો ઉષ્માભેર આવકાર કર્યો હતો. બાબા રામદેવએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતુ કે, ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ દ્વારા લોકસેવાની પ્રવૃત્તિ ખરેખર પ્રશંશાને પાત્ર છે. તેઓ વીશે આ પહેલા સાંભળ્યું હતું, પરંતુ તેઓની મુલાકાત કરી તેઓ વીશે જે પણ કાંઈ જાણ્યું હતુ તે ઓછું લાગ્યુ. બાબા રામદેવે ઉમરેઠ સંતરામ મંદિરની ગાદીના દર્શન કર્યા હતા. તેઓએ ગુજરાતીમાં સ્પષ્ટ ઉચ્ચારણો સાથે ઉદ્બોધન કરતા શ્રોતા ગણ વિચારમય બન્યો હતો અને બાબા ખરેખર જ્ઞાનિ જ છે તેવી ચર્ચા કરી હતી.

ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજને મનાવવા ભક્તો દ્વારા ૨.૬.૨૦૧૨ના રોજ આત્મમંથન મહારેલીનું આયોજન.


  • આક્ષેપથી નાસીપાસ થઈ મહારાજે નગરમાં સેવાકિય પ્રવૃત્તિઓ બંધ કરી છે.

ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ઉમરેઠ તેમજ આજૂબાજૂના ગામડાની સેવાકાજે નગરમાં કેટલીય સંસ્થાઓ કાર્યરત કરી છે. સંતરામ મંદિર દ્વારા બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલ અને સંતરામ દાંતનું દવાખાનું અને જીમ્નેશિયમના માધ્યમથી ઉમરેઠ તાલુકાના દર્દીઓને સ્વાસ્થય સેવા રાહતદરે પુરી પાડવામાં આવતી હતી. આ ઉપરાંત ઉમરેઠ રતનપુરા માર્ગ ઉપર વર્ષોથી બિસ્માર પડેલ સ્મશાનભૂમિને પણ સંતરામ મંદિરના વહિવટી તંત્રએ સુંદર બનાવી આજે ઉપવન જેવું સ્મશાન નગરજનોને સુવિધા સાથે અર્પણ કર્યું છે. અવાર નવાર સંતરામ મંદિર દ્વારા ઉમરેઠના નગરજનો માટે લોક ઉપયોગી કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે છતા પણ સમાજમાં રહેતા કેટલાક ઈર્ષાળુંઓ દ્વારા શ્રી ગણેશદાસજીને બદનામ કરવા માટે અવાર નવાર પ્લાનો ઘડાય છે, જેના ભાગરૂપે તાજેતરમાં શ્રી ગણેશદાસજી મહારાજને નિશાન બનાવી તેઓ ઉપર આ ઈર્ષાળું લોકોએ કાદવ ઉછાળવાનો હિન્ન પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આવા અસામાજિક તત્વો શ્રી ગણેશદાસજી મહારાજ ઉપર હાવી થઈ જતા શ્રી ગણેસદાસજી મહારાજ નાસીપાસ થઈ નગરમાં તેઓ દ્વારા ચલાવવામાં આવતિ આરોગ્ય લક્ષી સેવા બંધ કરી દીધી હતી. લગભગ છેલ્લા પચ્ચીસ દિવસથી ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા સંચાલિત દાંતનું દવાખાનું અને જીમ્નેશિયમ બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ટુંક સમયમાં સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલ નો વહિવટ પણ શ્રી ગણેશદાસજી મહારાજ છોડી દેનાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ માટે રાજીનામા પણ શ્રી ગણેસદાશજી મહારાજે ધરી દીધા છે. જો આવી સંસ્થાઓ માંથી શ્રી ગણેશદાસજી હાથ પાછા ખેંચશે તો આ સંસ્થાઓમાં થતી સેવાકિય પ્રવૃત્તિઓનું વ્યપારીકરણ થવાનું નક્કી છે. જેથી શ્રી ગણેશદાસજી અસામાજિક તત્વોથી નાસીપાસ થયા વગર આ સંસ્થા પૂનઃ તેઓનાજ હસ્તક રાખી નગરમાં સેવાકિય પ્રવૃત્તિઓ ચાલુ રાખે તેવી આજીજી કરવા માટે સંતરામ યુવા શક્તિ ઉમરેઠ અને આજૂબાજૂના ગામના ભક્તો તા.૨.૬.૨૦૧૨ના રોજ ઓડ બજાર સ્વામિનારાયણ મંદિર પાસેથી સવારે નવ કલાકે રેલી કાઢી નગરમાં ફરશે અને મોટી સંખ્યામાં ભક્તો શ્રી ગણેશદાસજી મહરાજને મનાવવા પ્રયાસ કરશે.

બાગની જગ્યાએ શોપિંગ સેન્ટર ચાલે,તો શૈક્ષણિક સંસ્થાની જગ્યાએ પાર્ટી પ્લોટ કેમ નહી..?

ઉમરેઠ ઓડ ચોકડી ઉપર શ્રી સંતરામ મંદિર સંચાલિત વ્રજભૂમિ પાર્ટી પ્લોટનો દૂર ઉપયોગ થયો હોવાનું કેટલાક લોકો ચર્ચા કરી રહ્યા છે. કહેવાય છે મંદિરને શૈક્ષણિક હેતુસર વપરાશ માટે તે જગ્યા ફાળવવામાં આવી હતી અને તેનો ઉપયોગ પાર્ટી પ્લોટ તરીકે કરવામાં આવે છે. કહેવાય છે લાગતા વળગતા તંત્ર દ્વારા આ જગ્યા શ્રી સંતરામ મંદિર પાસેથી પરત મેળવવા ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યા છે. પરંતું નગરની જનતા લાગતા વળગતા તંત્રને પુછવા માગે છે કે, જો ઉમરેઠના ઓડ બજારમાં શ્રીજીબાગની જગ્યા ઉપર ખૂદ નગરપાલિકા તંત્ર જાતે જ શોપિંગ સેન્ટર બનાવી રોકડી કરતું હોય ત્યારે બીજા ઉપર આંગળી ચીંધવાનો તેમને શો હક્ક છે..? આ શોપિંગ સેન્ટર બન્યું ત્યારે સત્તાધીશો કે વિપક્ષો દ્વારા કેમ અવિરોધ ન થયો..? જો સંતરામ મંદિરને આપેલ જગ્યા ઉપર પાર્ટી પ્લોટ અયોગ્ય કહેવાય તો શ્રીજીબાગની જગ્યા ઉપર શોપિંગ સેન્ટર કેટલું યોગ્ય કહેવાય..? અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં વ્રજભૂમિ પાર્ટી પ્લોટનું બુકિંગ પણ સંતરામ મંદિરના વહિવટી તંત્ર દ્વારા સ્થગીત કરી દેવામાં આવ્યું છે..!

 ૨.૬.૨૦૧૨ના રોજ ઉમરેઠ સ્વયંભૂ બંધ શ્રી ગણેશદાસજીના સમર્થનમાં અને નગરમાં શ્રી ગણેશદાસજી મહારાજ સ્વાસ્થય અને અન્ય સેવા કાર્યરત રાખે તે માટે ઉમરેઠના વહેપારી મહાજનો એક દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મહાજનો બંધ રાખી નગરના વિકાસમાં રોડા નાખનાર અસામાજિક તત્વોને જબાબ આપવા માગે છે.

સંતરામ યુવા શક્તિ – ઉમરેઠ


image

ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા સેવાકિય પ્રવૃત્તિઓ અટકાવાઈ..!


  • શ્રી ગણેશદાસજી મહારાજ ઉપર કિચ્ચડ ઉછાડનાર તત્વો ઉપર ભક્તોનો આક્રોશ – બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલનો વહિવટ છોડવા સંતરામ મંદિરના વહિવટી તંત્ર દ્વારા ચક્રો ગતિમાન..!
  • દાતનું દવાખાનુ તેમજ જીમ્નેશિયમ પણ બંધ,વ્રજધામ પાર્ટી પ્લોટનું બુકિંગ પણ બંધ કરાયું.

ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ ઉપર આડકતરી રીતે આક્ષેપબાજી કરતા કથિત સમાચાર એક સમાચાર પત્રમાં પ્રસિધ્ધ થયા હતા. જેનાથી વ્યથીત થઈને શ્રી ગણેશદાસજી મહારાજે નગરમાં સંતરામ મંદિર દ્વારા થતી આરોગ્ય લક્ષી સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. નગરમાં છેલ્લા કેટલાય દશકાથી સંતરામ મંદિર દ્વારા થતી સેવાકિય પ્રવૃત્તિઓથી કોઈ અજાણ નથી પરંતું કેટલાક અસામાજિક તત્વો દ્વારા શ્રી ગણેશદાસજી વિરૂધ્ધ ષડયંત્ર રચવામાં આવતું હોવાની ગંધ લોકોને આવી રહી છે. હાલમાં નગરમાં ગણેશદાસજી મહારાજે સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલ, દાંતનું દવાખાનું તેમજ જીમ્નેશિયમ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોની વાત ધ્યાનમાં લઈએ તો તબક્કાવાર સંતરામ મંદિર દ્વારા ચાલતી તમામ સંસ્થાઓ બંધ થશે અને વહિવટ અન્ય લોકોને સોપી દેવામાં આવશે સંતરામ મંદિર દ્વારા માત્ર ને માત્ર મંદિરને લગતી ધાર્મિક પ્રવૃત્તિઓ જ કરવામાં આવશે.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, આવા સમાચાર પત્રોના લેખથી વ્યથીત ન થવા નગરના સજ્જનો સહીત અન્ય પત્રકારોએ પણ શ્રી ગણેશદાસજી મહારાજની મુલાકાત કરી પોતાના દ્વારા થતી સેવાકિય પ્રવૃત્તિઓ ચાલુ રાખવા વિનંતી કરી હતી. આવનારી તા.૨.૬.૨૦૧૨ના રોજ નગરજનો મોટી સંખ્યામાં શ્રી ગણેશદાસજી મહારાજને મનાવવા પ્રયત્નો કરનાર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

સંતરામ મંદિર દ્વારા અંબાજીમાં નવચંડી યજ્ઞ અને અન્નકુટ


અંબાજી ખાતે ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા તાજેતરમાં નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માતાજીને સોનાના થાળમાં અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો. નવચંડી યજ્ઞ તેમજ અન્નકુટના દર્શન કરવા માટે ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો પણ અંબાજી પહોંચ્યા હતા.  ઉપરોક્ત તસ્વીરમાં ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ તેમજ અન્ય યજમાન નવચંડી યજ્ઞ વિધિ કરતા નજરે પડે છે.  (ફોટો – મેહૂલ પટેલ)

ઉમરેઠ સંતરામ મંદિરમાં પોષી પુનમ નિમિત્તે સાંકરવર્ષામાં ભક્તોનું ઘોડાપુર


  •  પોષી પૂનમે સંતરામ મંદિરમાં બોર-સાંકર વર્ષા કરી ભક્તોએ બાધા પૂરી કરી.

ઉમરેઠ સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે પોષી પુનમે શ્રી ગણેશદાજી મહારાજના સાંનિધ્યમાં સાંકર-બોર વર્ષા કરવામાં આવી હતી. સાંકર-બોર વર્ષા દરમ્યાન મોટી સંખ્યામાં સંત-મહંત તેમજ ઉમરેઠ સહીત આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કેટલાક બાળકો પાંચ વર્ષના થાય પછી પણ મમ્મી પપ્પા જેવા શબ્દો બોલી શકતા નથી. બાળકોને જલ્દી બોલતા પણ આવડતું નથી આવા બાળકોના માતા પિતા સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે. માન્યતા છે કે સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર વર્ષા કરવાથી પોતાનું બાળક જલ્દી બોલતું થાય છે. દર વર્ષે સંતરામ મંદિરની વિવિધ શાખાઓમાં સાંકર બોર વર્ષા કરવામાં આવે છે. ખાસ કરીને ઉમરેઠ, કરમસદ,કાલસર અને નડિયાદમાં સાંકર વર્ષામાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થતા હોય છે, અને પોતાનું બાળક જલ્દી બોલતું થાય તેવી બાધા રાખતા હોય છે અને જેઓનું બાળક બોલતું થઈ ગયું હોય તે પોતાની બાધા પૂર્ણ કરવા બોર-સાંકર વર્ષા કરતા હોય છે.

ભક્તો દ્વારા ઉછાળવામાં આવેલ બોર-સાંકર પ્રસાદ સ્વરૂપે ઉપસ્થિત અન્ય ભક્તો આરોગતા હોય છે. આ દિવસે મંદિરના મહંત દ્વારા વિશેષ પુજન પણ કરવામાં આવે છે અને મંદિર પરિસરમાંથી સાંકર-બોર વર્ષાની શરૂઆત કરવામાં આવે છે. સંતરામ મંદિર ઉમરેઠ ખાતે યોજાયેલ સાંકર વર્ષા પૂર્વે પૂ.મોરારીબાપુની કથામાં ઉપસ્થિત સંત મહંતોનું પુજન કરવામાં આવ્યું હતું અને શ્રી ગણેશદાસજી મહારાજે સૌ સંત તેમજ અન્ય સંતરામ સેવા સમિતિના સભ્યોનો ખૂબ આભાર માન્યો હતો. આજે સાંકર વર્ષા દરમ્યાન શ્રી ગણેશદાસજી મહારાજ,શ્રી હરેકૃષ્ણદાસજી મહારાજ, દેવાંગભાઈ પટેલ,પરમાનંદભાઈ પટેલ સહીત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (ફોટો – પંકજ શ્રીધપ)

પૂ.સંત મોરારીબાપુએ પાઘડી પહેરી..


આજે પૂ.મોરારીબાપુ નવા જ અંદાજમાં જોવા મળ્યા હતા. પૂ.ગણેશદાસજી મહારાજ અને પૂ.મોરારીબાપુની કથાના મુખ્ય યજમાન દેવાંગભાઈ પટેલના હસ્તે પૂ.મોરારીબાપુએ કથાની શરૂઆતમાં પાઘડી ધારન કરી હતી. આજે કથાનો લાભ લેવા ઉમરેઠની સ્કૂલના બાળકો પણ મોટી સંખ્યામાં દેખાયા હતા. આજે કથા દરમ્યાન પૂ.બાપુએ શ્રી રામ જન્મનું મહત્વ અને સંત સાથે સત્સંગ વિષય ઉપર ધારદાર વિચારો રજૂ કર્યા હતા. કથામાં વધતા જતા ભક્તોની સંખ્યા જોઈ સંતરામ સેવા સમિતિ દ્વારા છેલ્લા બે દિવસથી કથા મંડપ મોટો કરવામાં આવી રહ્યો છે. મુખ્ય ડોમની પાસે મંડપની બંન્ને બાજૂ બે બ્લોક વધુ ઉમેરો કરવામાં આવ્યો છે. ઉમરેઠ પંથક હાલમાં પૂ.મોરારીબાપુની કથામા મગ્ન થઈ ગયો છે.  (ફોટો- મેહૂલ પટેલ, ઉમરેઠ)

ઉમરેઠના સંતરામધામ ખાતે રક્તદાન શિબિર યોજાયો.


ઉમરેઠમાં પૂ.મોરારીબાપુના કથા સ્થળ સંતરામ ધામ ખાતે સ્વ. અશોકભાઈ ભટ્ટની સ્મૃતિમા લાયન્સ કલબ ઓફ ઉમરેઠના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જેના પગલે ૩૬૦ રક્તની બોટલો આ કેમ્પ દરમ્યાન એકઠી થઈ હતી. આ સમયે પૂ.ગણેશદાસજી મહારાજ, કથાના યજમાન દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા) તેમજ અન્ય સંત-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ખાડીયાના ધારાસભ્ય ભુષણ ભટ્ટ દ્વારા રક્તદાતાઓન ઉત્સાહ વધારવા માટે મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો અને રક્તદાતાના લોહીની મફત તપાસ કરાવી આપી હતી.  (ફોટો – મેહૂલ પટેલ)

પૂ.મોરારીબાપુ – ફુરસદની ક્ષણોમાં ભક્તો સાથે..


પૂ.મોરારીબાપુ પોતાની ફુરસદની ક્ષણોમાં પોતાના ઉતારા સ્થાને ભક્તો સાથે ગોષ્ઠી કરી રહ્યા છે. (ફોટો – મેહૂલ પટેલ)

પૂ.મોરારીબાપુની કથા (ફોટા)


દૈનિક ૨૫,૦૦૦ ભક્તોને મહાપ્રસાદનો લાભ…

ઉમરેઠ – પૂ.મોરારીબાપુની કથાનો લાહ્વો લેવા માટે દૂર-દૂરથી આવેલા ભક્તોને સવાર સાંજ નિયમિત સુંદર રીતે ભોજનની વ્યવસ્થા સંતરામ મંદિર દ્વારા કરવામાં આવી છે.મંદિરના અગ્રણી કાર્યકર ભેપેન્દ્રભાઈ પટેલના જણાવ્યા મુજબ દૈનિક લગભગ ૨૫,૦૦૦થી પણ વધુ ભક્તોને મહા-પ્રસાદ મળી રહે તે માટે કાર્યકરો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે મોટી સંખ્યામાં સ્વયંમ સેવકો ખડે પગે રહી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે રીત મહાપ્રસાદ પિરસી સેવાનીનોખી મિશાલ કાયમ કરી રહ્યા છે. ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામની બહેનો પણ કોઈ શરમ રાખ્યા વગર સંતરામ મંદિરમાં શાક સમારવાથી માંડી અન્ય કામોમાં પોતાનો સહયોગ આપી પોતાની સેવા આપી રહી છે.

સંત-મહંતોનો ઉમરેઠમાં જમાવડો..

ગો.૧૦૮ શ્રી વલ્લભલાલજી મહારાજ (વીકીબાવા) ગઈકાલે સંતરામધામ ખાતે મોરારીબાપુની કથાનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પૂ.મોરારીબાપુ સાથે ગોષ્ઠી કરી હતી, અને જણાવ્યું હતું પૂ.મોરારીબાપુના આશિર્વાદ મેળવ્યા હતા. આ પહેલા પૂ.મોરારીબાપુની કથા દરમ્યાન પૂ.દ્વારકેશલાલજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર- મેહૂલ પટેલ, ઉમરેઠ)

પૂ.મોરારીબાપુની કથા – ઉમરેઠ


ઉમરેઠના સંતરામ ધામ ખાતે સંતરામ મંદિર દ્વારા પૂ.મોરારીબાપૂની કથાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો લાભ ઉમરેઠ સહીત ચરોતરની ધર્મપ્રિય જનતા લઈ રહી છે. (ફોટો – મેહૂલ પટેલ, ઉમરેઠ)

ઉમરેઠમાં પૂ.મોરારીબાપુની દિવ્ય વાણીમાં રામકથાનો આરંભ


શ્રી સંતરામ મંદિર, ઉમરેઠના સાર્ધ શતાબ્દી મહોત્સવ તથા ૧પ૧ માં વાર્ષિકોત્સવ પ્રસંગે ઉમરેઠના સંતરામ ધામ ખાતે આજે ભક્તિભેર પૂ.મોરારીબાપુની વાણીમાં કથાનો આરંભ થયો હતો. આ પ્રસંગે પોથીયાત્રા શ્રી સંતરામ મંદિર ખાતેથી નિકળી હતી જે વારાહીચકલા થી સંતરામધામ ખાતે પહોંચી હતી. પોથીયાત્રામાં ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ સહીત બહારગામથી પધારેલા સંત-મહંત અને ઉમરેઠ અને આજુબાજુના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમયે નગરમાં અનેરૂં ભક્તિસભર વાતાવરણ જામ્યું હતું.

સંતરામધામ ખાતે યોજાયેલ ઉદ્ગાટન સમારોહમાં દેવપ્રસાદજી મહારાજ, પ્રકાશમુની મહારાજ,નવરામજી મહારાજ,પંચમપીઠાધીશ પ.પૂ.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ, પૂ.રમેશભાઈ ઓઝા(પૂ.ભાઈ),સંસદ સભ્ય હરીનભાઈ પાઠક તેમજ સંતરામ મંદિરની વિવિધ શાખાના સંત મહંતશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંતરામ મંદિર ઉમરૅઠના ગણેશદાસજી મહારાજએ આશિર્વચન તેમજ આવકાર કરતા જણાવ્યું હતું કે, ઉમરૅઠની ભૂમિ ઉપર આજે સંત મહંતોના ચરણ પડ્યા છે અને સંતશ્રી પૂ.મોરારીબાપુની દિવ્ય વાણીમાં ઉમરેઠ તેમજ આજૂબાજૂના ધર્મપ્રિય ભક્તો ભક્તિભેર કથાનો લાભ લઈ ધન્યતા અનુભવશે તેમાં કોઈ બે મત નથી કથાના મુખ્ય યજમાન દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા)નો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે કથાના આયોજનમાં પ્રત્યક્ષ કે પરોક્ષરીતે સાથ સહકાર આપનાર સર્વેનું તેઓએ ઋણ સ્વિકાર્યું હતું. કથાનો આરંભ દિપ પ્રાગ્યટ્ય કરી કરવામાં આવ્યો હતો. દિપ પ્રાગટ્ય ઉપસ્થિત સંત-મહંતો તેમજ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, પરમાનંદભાઈ પટેલ(સૂર્ય પરિવાર),ઓડ, ઉમરેઠના ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયા, દેવાંગભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

પૂ.મોરારીબાપૂએ પોતાની દિવ્ય વાણીની શરૂઆત સાથે જણાવ્યું હતું કે શ્રી રામકથાના ચાર ઘાટ છે, દરેક ઘાટનો પોતાનો દિવ્ય પ્રકાશ છે. રામકથાના મહીમાનો તેઓએ ઉપસ્થિ ભક્તોને સાર જણાવ્યો હતો સાથે સાથે હળવામૂળમાં જણાવ્યું હતુ કે, તેઓને સંત કે પૂજ્ય કહીને સંબોધ્યા વગર સામાન્ય માણસ તરીકે તેમને બોલાવવામાં આવે તો સારું, તેઓએ જણાવ્યું હતુ હું પણ સામાન્ય માણ છુ જેમ બીજા લોકો નાનાથી મોટા થયા છે તેમ તેઓ તેજ રીતે મોટા થયા છે.

ઉમરેઠના કોહિનુર બેન્ડથી પૂ.મોરારીબાપુ પ્રભાવિત થયા હતા ઉદ્ઘાટન સમારોહમાં ઉમરેઠના કોહીનુર બેન્ડના પરફોમન્સથી પ્રભાવિત થઈ પૂ.મોરારીબાપુએ બેન્ડના સભ્યોને સ્ટેજ ઉપર આવી પોતાની કલા બતાવવા આમંત્રણ આપ્યું હતું અને બેન્ડના સંચાલક રફીકભાઈનું શાલ ઓઢાળી સન્માન કર્યું હતું.

પૂ.મોરારીબાપુએ ડાકોર રણછોડજીના દર્શન કર્યા

ઉમરેઠ- ઉમરેઠ સંતરામધામ ખાતે કથા પ્રારંભ પૂર્વે સવારના સમયે પૂ.મોરારીબાપુ ડાકોરના ઠાકોરના દર્શને પહોંચ્યા હતા. આ સમયે મંદિર પરિસરમાં પૂ.મોરારીબાપુની ઝાંખી કરવા ભક્તોએ રીતસર પડાપડી કરી હતી. મંદિરમાં શ્રી રાજારણછોડના દર્શન કરી મંદિર પરિસરમાં સંતશ્રી પૂ.મોરારીબાપુની ઝાંખી કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ઉમરેઠ સંતરામ મંદિરમાં દેવ દિવાળીની ઉજવણી.


દિપમાળા દર્શન - સંતરામ મંદિર - ઉમરૅઠ

અન્નકુટ દર્શન - સંતરામ મંદિર - ઉમરેઠ

સંધ્યા આરતી - દેવ દિવાળી સંતરામ મંદિર - ઉમરેઠ

ઉમરેઠ સંતરામ મંદિરમાં ભક્તિભેર દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. દેવ દિવાળી નિમિત્તે મંદિરમાં અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે સંતરામ મંદિરમાં દિપમાળાના દર્શન કરવા ઉમરેઠ સહીતઆજૂ બાજૂના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાંજના સમયે સંતરામ મંદિરના હજ્જારો દિવડાઓથી ઝગમગ થયું હતું. સંતરામ મંદિરની દિવ્ય ઝાંખી જોવા લોકો મોટી સંખ્યામાં મંદિર પહોંચ્યા હતા જ્યારે સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે સંધ્યા આરતી કરી હતી. (તસ્વીર – પિનાક આર્ટ – ઉમરેઠ)

(TO VIEW MORE PHOTOS  OF SANTRAM TEMPLE  PLEASE OPEN YOUR FACEBOOK ACCOUNT AND CLICK HEAR)

ઉમરેઠમાં સંતરામ મંદિર દ્વારા પૂ.મોરારીબાપુની રામકથાનું આયોજન.


ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા નગરના વ્રજધામ ખાતે પૂ.મોરારી બાપુની રામ કથાનું આયોજન તા.૩૧.૧૨.૨૦૧૧ થી તા.૮.૧.૨૦૧૨ સુધી રાખવામાં આવેલ છે. ઉમરેઠ સહીત આજૂ બાજૂના ગામની ધર્મપ્રિય જનતા સહીત અન્ય લોકોને પણ પૂ.મોરારીબાપૂની રામકથાનું રસપાન કરવા ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે એક યાદીમાં જણાવેલ છે. તા.૮.૧.૨૦૧૨ના રોજ કથાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે જ્યારે તા. ૯.૧.૨૦૧૨ના રોજ પોષી પૂનમની સંતરામ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ઉમરેઠમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની સંભાવનાને જોઈ સમગ્ર સંતરામ મંદિરના કાર્યકરો અને ભક્તો કથાના આયોજનને લઈ તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે પૂ.મોરારી બાપૂની કથાને લઈ ઉમરૅથની ધર્મપ્રેમિ જનતા ઉત્સુક છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા ગત વર્ષે પણ પૂ.મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતું પૂ.મોરારીબાપુની તબિયત નાદુરસ્ત હોવાને કારણે ગત વર્ષે કથાનું આયોજન બંધ રહ્યું હતું.

ઉમરેઠમાં સંતરામ મંદિર ખાતે ગૂરૂપૂર્ણિમાં મહોત્સવની ઉજવણી


ઉમરૅઠ સંતરામ મંદિર ખાતે ભક્તિભેર ગુરૂપૂર્ણિમાં ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો મોટિ સંખ્યામાં પૂ.ગણેશદાસજી મહારાજના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા હતા. ઉમરેઠ સંતરામ મંદિરમાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ગૂરૂપુજન કરી ભક્તોએ ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી. ગૂરૂપૂર્ણિમાં નિમિત્તે સંતરામ મંદિરમાં મહા પ્રસાદનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

સંતરામ મંદિરમાં દિપમાળાના ભવ્ય દર્શન, સવિતામાસીને ત્યાં તુલસી વિવાહ યોજાયો.


  • ઉમરેઠમાં દેવ દિવાળીની ભક્તિભેર ઉજવણી

ઉમરેઠમાં દેવ દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉમરેઠમાં સંતરામ મંદિર ખાતે અગિયાર હજાર દિપમાળાના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ તેમજ અન્નકુટ દર્શન પણ યોજાયા હતા જેનો લાભ લેવા માટે ઉમરેઠ સહીત આજૂ બાજૂના ગામડાના ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દિપમાળા અને અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ઉમરેઠમાં ત્રણપોળ ખાતે પણ સવિતામાસીને ત્યાં લાલાના તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે યજમાન પદે પ્રકાશભાઈ શાહ પરિવારને લાહ્વો મળ્ય હતો. તુલસી વિવાહ નિમિત્તે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે શોભાયાત્રા બાદ ત્રણપોળ ખાતે વિધિવધ તુલસી વિવાહ સંપન્ન થયો હતો.