આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ – હિન્દુ ધાર્મિક સંગઠનો દ્વારા નગરના મંદિરોમાં ધરાવેલ માટી-પાણી અયોધ્યા મોકલાશે.


વિશ્વ હિન્દુ પરીષદ તેમજ બજરંગ દળ સહીતના સંગઠનો દ્વારા નગરના મંદિરોમાં માટી-પાણી ધરાવવામાં આવ્યા.અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા શ્રી રામ મંદિરના નિર્માણ સમયે મંદિરના પાયામાં સમગ્ર ભારતવર્ષ ના વિવિધ ધાર્મિક સ્થાનોમાં જેતે ગામની માટી અને પાણી તેઓના ગામના તમામ ધાર્મિક સ્થળોમાં બિરાજમાન આરાધ્ય દેવ-દેવીઓને ધરાવી અયોધ્યા મોકલવાનું અભિયાન હાથ ધરાયું છે જે માટી અને પાણી શ્રી રામ મંદિરના નિર્માણ સમયે પાયામાં પધરાવવામાં આવશે સદર અભિયાન અંતર્ગત ઉમરેઠના વિવિધ ધાર્મિક સ્થળો પર વિશ્વહિંદુ પરીષદ અને બજરગ દળ સહીતના હિન્દુ સંગઠનો દ્વારા માટી અને પાણી ધરાવવામાં આવ્યા હતા જે એકઠા કરી હવે અયોધ્યા મંદિરના નિર્માણ કાર્ય માટે મોકલવામાં આવશે. ઉમરેઠના શ્રી જાગનાથ મહાદેવ, શ્રી ભદ્રકાળીમાતા મંદિર, શ્રી સંતરામ મંદિર, વડતાલ તેમજ બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ શ્રી ગીરીરાજધામ ખાતેથી માટી અને પાણી એકઠા કરી ભગવાનને ધરાવવામાં આવ્યા હતા સદર કાર્યની સૌ ધાર્મિક સ્થળોના સંત-મહંતશ્રીએ પ્રશંશા કરી હતી.

One response to “ઉમરેઠ – હિન્દુ ધાર્મિક સંગઠનો દ્વારા નગરના મંદિરોમાં ધરાવેલ માટી-પાણી અયોધ્યા મોકલાશે.

  1. Harish Dave July 1, 2020 at 6:15 pm

    Best activities to reunite all Hindus!🙏🙏🙏🌹🌹🌹

    Sent from Yahoo Mail for iPhone

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.