આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: September 2014

ઉમરેઠમાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું ધારાસભ્ય જયંતભાઈ બોસ્કીના હસ્તે લોકાર્પણ


ધારાસભ્યએ ઉમરેઠને ૧૦૮ એમ્બ્યુલન્સવાન ફાળવવા રજૂઆત કરી હતી.

આખરે ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી)ની રજૂઆતના પગલે ઉમરેઠ નગરમાં ૧૦૮ એમ્યુલન્સવાનનું લોકાર્પણ નવરાત્રિના પહેલ જ દિવસે કરવામાં આવતા સમગ્ર ઉમરેઠ પંથકને રાહતની લાગણી વ્યક્ત કરી હતી. આ પહેલા ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલે ઉમરેઠમાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની ફાળવણી કરવા માટે વારંવાર લેખિતમાં તેમજ મૌખિક આરોગ્યમંત્રી નિતિનભાઈ પટેલને રજૂઆત કરી હતી. આખરે ગત વિધાનસભા સત્રમાં નિતિનભાઈ પટેલ દ્વારા ઉમરેઠને ૧૦૮ એમ્બ્યુલન્સવાન ફાળવણી અંગે જાહેરાત કરી હતી પરંતું જાહેરાત બાદ પણ એક મહીના જેટલો સમય પૂર્ણ થતા ઉમરેઠમાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાન ન આવતા આખરે રૂબરૂમાં પૂન જયંતભાઈ પટેલ દ્વારા રૂબરૂ નિતિનભાઈ પટેલને આ અંગે જાણ કરવામાં આવી હતી ત્યારે આખરે રાજ્ય સરકાર દ્વારા ઉમરેઠને ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવી હતી જેનું ઉમરેઠમાં નવરાત્રિના પહેલા દિવસે ધારાસભ્ય જયંતભાઈ બોસ્કીએ લોકાર્પણ કર્યું હતું,આ પ્રસંગે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ લાલસિંહભાઈ વડોદીયા તેમજ નગરના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Girirajji Umreth Darshan of 20.9.2014


image

Danlila Manorath

અવસાન નોંધ – બેસણું


SAVITABENJIVANLALSHAH

ઉમરેઠના સેજલભાઈ બિપીનભાઈ શાહના દાદી સવિતાબેન જીવનલાલ શાહનું તા.૧૨/૯/૨૦૧૪ના રોજ શ્રીજીચરણ પામ્પા છે.સદ્ઞતનું બેસણું તા.૨૪.૯.૨૦૧૪ને બુધવારના રોજ સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ સુધી એકડીયાની વાડી, ઓડબજાર ઉમરેઠ ખાતે રાખેલ છે.
સંબધીત ફર્મ – પરાગ જ્વેલર્સ ચોકસી બજાર ઉમરેઠ

ઉમરેઠની બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલનો વહીવટ છોડવા અંગે પૂનઃ વિચાર કરવા ગણેશદાસજી મહારાજને રજૂઆત.


બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલનો વહીવટ છોડવાનો ગણેશદાસજીનો નિર્ણય

ગણેશદાસજી મહારાજને હોસ્પિટલના સ્ટાફ દ્વારા રજૂઆત

ગણેશદાસજી મહારાજને હોસ્પિટલના સ્ટાફ દ્વારા રજૂઆત

ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ દ્વારા બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલનનો વહીવટ છોડવાની જાહેતાર કરવામાં આવતા હોસ્પિટલ સ્ટાફે ગણેશદાસજી મહારજને વહીવટ બરકરાર રાખવા માટે રજૂઆત કરી હતી. હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતુ કે, ગણેશદાસજી મહારાજ હોસ્પિટલનો વહીવટ છોડશે તો તેઓ ભૂખ હળતાલ પર પણ ઉતરતા ખચકાશે નહી.‪ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉમરેઠની સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ જનરલ હોસ્પીટલની મળેલી બેઠકમાં સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજે બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલનો વહીવટ છોડવાની જાહેરાત કરતા હોસ્પિટલના ટ્રસ્ટીઓ સહીત સ્ટાફના લોકો અને ઉમરેઠના નગરજનોમાં સોપો પડી ગયો હતો અચાનક ગણેશદાસજીએ હોસ્પિટલનો વહીવટ છોડવાની વાત કરતા હોસ્પિટલ સ્ટાફમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઉમરેઠ ડાકોર રોડ ઉપર આવેલ બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલનો છેલ્લા બે દાયકાથી સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ વહીવટ સંભાળી રહ્યા છે. હોસ્પિટલમાં વિવિધ રોગોના નિષ્ણાંત ર્ડોક્ટરો દ્વારા સેવા પણ આપવામાં આવી રહી છે જેનો લાભ ઉમરેઠ તેમજ તેની આજૂબાજૂના ગામના લોકો લઈ રહ્યા છે. અચાનક હોસ્પિટલનો વહીવટ છોડવાના નિર્ણય અંગે ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ કે, હાલમાં સમયના અભાવથી હોસ્પિટલના વહીવટ પર તેઓ સીધી નજર રાખી શકતા નથી, મેડીકલ ટ્રસ્ટમાં સમય ફાળવ્યા વગર સારો વહીવટ થતો નથી અને જો કોઈ સ્ટાફ થી ભૂલ થાય તો પણ તેઓની છબી ઉપર અસર પડે તેમ છે,વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે હાલમાં અન્ય ટ્રસ્ટને બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલનો વહીવટ સોપવા અંગે ચર્ચા અંતિમ તબક્કામાં ચાલી રહી છે. નવા ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના વિવિધ ચાર્જ પ્રમાનમાં વધારવામાં આવશે તે સાથે અન્ય સુવિધાઓ જે હાલમાં કાર્યરત નથી તે ઉમેરવામાં આવશે જેથી ગામના દર્દીઓને રાહત થશે,તેઓએ નગરજનોને પોતાના નિર્ણયને સમર્થન આપવા માટે વિનંતી કરી હતી અને સાથે જણાવ્યું હતુ કે હરહંમેશા તેઓ ઉમરેઠ અને ઉમરેઠના નગરજનો અંગે સકારાત્મક અભિગમ દાખવી રહ્યા છે અને દાખવશે.ગણેશદાસજી મહારાજને આવેદન પાઠવવા માટે સમગ્ર હોસ્પિટલનો સ્ટાફ સહીત હોસ્પિટલના ટ્રસ્ટી દિપકભાઈ ગાભાવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા.

હોસ્પીટલનો સ્ટાફ યથાવત્ રહેશે – ગણેશદાસજી મહારાજ

હોસ્પિટલમાં અન્ય ટ્રસ્ટ દ્વારા વહીવટ કરવામાં આવશે તો જૂના સ્ટાફને બદલવામાં આવશે કે નહી તે અંગે ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ કે નવા ટ્રસ્ટને હોસ્પિટલનો વહીવટ સોપવામાં આવશે પરંતુ હોસ્પિટલનોઇ જૂનો સ્ટાફ યથાવત્ રહેશે, હાલમાં સ્ટાફને ચુકવવા પાત્ર રકમ પણ તેઓને સત્વરે ચુકવી દેવામાં આવશે.

ગણેશદાસજી મહારાજ વહીવટ છોડશે તો ભૂખ હળતાલ કરીશું – હોસ્પિટલ સ્ટાફ

હોસ્પિટલનો સ્ટાફ

ઉમરેઠ સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલના સ્ટાફના લોકોએ જણાવ્યું હતુ કે,આજે તેઓ દ્વારા ગણેશદાસજી મહારાજને વહીવટ છોડવાના નિર્ણય અંગે પૂનઃ વિચાર કરવા રજૂઆત કરતા આવેદન પત્ર પાઠવ્યું છે છતા પણ ગણેશદાસજી મહારાજ પોતાનો નિર્ણય પરત નહી લે તો આગામી દિવસોમાં નગરમાં બાઈક રેલી તેમજ ભૂખ હળતાલ પર ઉતરતા પણ ખચકાશે નહી.

✔ NEW ARRIVAL ✔ Exclusive Collection Available at #Umreth


Gandhi Dhirubhai Jitendrakumar’s Shop

Kharadi Ni Kodh

Nr Bank Of Baroda

Umreth-388220

CLICK HERE TO VIEW BRIDAL COLLECTION  ON FACEBOOK 

ઉમરેઠમાં જ્યોતિગ્રામ યોજના કે ઈન્વેટરગ્રામ યોજના..?


દર રવીવારે વીજ કાપથી વહેપારીઓ સહીત ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓમાં આક્રોશ

mgvcl-umrethછેલ્લા કેટલાય સમથી ઉમરેઠ નગરમાં વીજ પૂરવઠાને લઈ પ્રજાજનોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે. અવાર નવાર વીજ પૂરવઠો ખોરવાઈ જતા લોકોના કામ ઠપ્પ પડી જાય છે જેને કારણે રોજબરોજના કામમાં વહેપારીઓ,ગૃહિણીઓ સહીત વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઉમરેઠની એમ.જી.વી.સી.એલ કચેરી જિલ્લામાં મોડેલ કચેરી તરીકે વિકસાવવામાં આવી છે, વીજ કચેરીમાં વીજ પૂરવઠો મેળવવા માટે સોલર પેનલ પણ ગોઠવવામાં આવી છે આ ઉપરાંત એ.ટી.પી મશીન દ્વારા વીજ બિલ ભરવાની સુવિધા પણ કરવામાં આવી છે, વિવિધ સુવિધાથી સજ્જ ઉમરેઠનું એમ.જી.વી.સી.એલ તંત્ર જ્યારે વીજ પૂરવઠો આપવાની વાત આવે છે ત્યારે વામણ પુરવાર થાય છે.

ઉમરેઠમાં દર રવીવારે વીજ પૂરવઠો ખોરવાઈ જાય છે જેને કારણે વહેપારીઓ ખાસ્સા પરેશાન થઈ જાય છે. ઉમરેઠમાં ખાસ કરીને સાડી અને રેડીમેડ કપડાની ખરીદી કરવા બહાર ગામથી મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે ત્યારે આવા જ સમયે લાઈટો ન હોવાને કારણે ગ્રાહકો સાથે વહેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને કેટલીક વખત વહેપારીઓને ગ્રાહક ગુમાવવાનો વારો આવે છે. આ ઉપરાંત લાઈટો બંધ થાય ત્યારે ઠંડા પીણા અને આઈસક્રીમના વહેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે, લાઈટો બંધ હોવાને કારણે તેઓ ડીપફ્રીજ ખોલી શકતા નથી અને ગ્રાહક ગુમાવવાનો વારો આવે છે.

બીજી બાજૂ ગૃહિણીઓને પણ રવીવારે પોતાના ઘરમાં અવર જવર હોય કે મહેમાન આવવાના હોય ત્યારે જ લાઈટ બંધ થઈ જતા મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેઓને પોતાના દૈનિક કામકાજમાં અગવડતા થાય છે. સવારે ૯ થી બપોરે ૨ સુધી વીજ પૂરવઠો બંધ થઈ જતા દર રવીવારે ઉમરેઠની ગૃહિણીઓને માથે હાથ દઈ બેસી રહેવાનો વારો આવે છે અને આખા અઠવાડીયાનો સિડીયુલ બગડી જાય છે.

વધુમાં ઉમરેઠ બહાર નોકરી ધંધા કે અભ્યાસ અર્થે બહાર રહેતા યુવાનો પોતાના વતન ઉમરેઠમાં દર રવીવારે આવતા હોય છે ત્યારે આવા જ સમયે લાઈટો ન હોવાને કારણે તેઓ નિરાશ થાય છે, એક તરફ ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં ચોવીસ કલાક લાઈટો પુરી પાડવાની વાતો કરવામાં આવે છે ત્યારે ઉમરેઠ તેમાં અપવાદ હોય તેમ લોકો અહેસાસ કરી રહ્યા છે. નગરના કહેવાતા નેતાઓ પણ આ અંગે એમ.જી.વી.સી.એલમાં કાંઈ ન કહેતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

રીપેરીંગ કામને કારણે વીજ પૂરવઠો બંધ રહે છે.

ઉમરેઠમાં દર રવીવારે વીજ પૂરવઠો ખોરવાઈ જવાનું કારણ પૂછતા ઉમરેઠ એમ.જી.વી.સી.એલ કચેરી ખાતે ઉપસ્થીત લાઈન મેન રાજૂભાઈએ જણાવ્યુ હતુ કે વિવિધ ફીડરોમાં રીપેરીંગ કામ હોવાને કારણે રવીવારે વીજ પૂરવઠો બંધ કરાય છે. આ રવીવારે તેમજ આવતા રવીવારે પણ વીજ રીપેરીંગનું કામ હોવાથી લાઈટો બંધ રહી શકે છે, ઉમરેઠમાં ફીડરોના રીપેરીંગનું કામકાજ ક્યારે પૂર્ણ થશે અને વીજ પૂરવઠો સતત મળતો ક્યારે થશે તેવા પ્રશ્ન અંગે તેઓએ જણાવ્યું હતુ કે કામ તો ચાલું જ રહેવાનું દર રવીવારે રીપેરીંગ હોવાથી સ્ટેગરીંગ કરવામાં આવે છે.

અઠવાડીયે ઘરે આવીયે ત્યારે જ લાઈટો બંધ..!

અભ્યાસ અર્થે બહાર ગામ રહેતા વિદ્યાર્થી સુરજ ભટ્ટે જણાવ્યું હતુ કે, અઠવાડીયામાં એક દિવસ રજા મળે ત્યારે ઉમરેઠ પોતાના ઘરે આવવાનો મોકો મળે છે, અને આજ સમયે ઉમરૅઠ એમ.જી.વી.સી.એલ દ્વારા રીપેરીંગના બહાને વીજ પૂરવઠો બંધ કરી દેવામાં આવે છે જેથી તેઓના પ્લાનિંગ બગડી જાય છે.

ઉમરેઠમાં “મા” વિષય પર ફીલ્મી ગીત સ્પર્ધા “હેતની હેલી” યોજાઈ.


hetniheliUMRETH

ઉમરેઠ નગરની કાછીયા પટેલની વાડી ખાતે આણંદ જિલ્લા ચરોતર વયસ્ક નાગરીક સંગઠન તેમજ ઉમરેઠ કાછિયા પટેલ જ્ઞાતિના વડીલોના વૃંદાવન દ્વારા “મા” વિષય પર ફીલ્મી ગીત સ્પર્ધા “હેતની હેલી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજીત સમારોહમાં મુખ્ય મહેમાન પદે દેવેન્દ્રકુમાર માણેકલાલ પંડ્યા, અતિથિ વિશેષ પદે દિપકભાઈ શેઠ,ઘનશ્યામભાઈ કાછીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમને માહીતી સભર અને રસપ્રદ બનાવવા માટે પ્રસંગને અનુરૂપ વિવિધ કૃતિઓનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતુ. સમારોહને સફળ બનાવવા માટે કા.પટેલ જ્ઞાતિના વડીલોના વૃંદના પ્રમુખ નીરંજનાબેન કા.પટેલ,મંત્રી રંજનબેન કા.પટેલ તેમજ ચરોતર વયસ્ક નાગરીક સંગઠનના પ્રમુખ રમેશભાઈ એસ પટેલ તેમજ મંત્રી અશોકભાઈ એમ.શાહ અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી અને સદર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. વડીલો દ્વારા ફીલ્મી ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી અને તમામ વૃધ્ધોએ સદર કાર્યક્રમને આનંદ ઉલ્લાસ સાથે માન્યો હતો. 

ઉમરેઠના જીવન આધાર સેવા સંકૂલનો ૧૦મા વર્ષમાં મંગલ પ્રવેશ


અમારે ભુખ્યા નથી સુવુ પડતુ…!

jivanaadhar

જીવન આધાર સેવા સંકુલની ટીફીન સેવાનો લાભ લેતા જરૂરિયાતમંદ વૃધ્ધોએ જણાવ્યું હતુ કે સદર સંસ્થાના પ્રતાપે અમારે ભૂખ્યા સુવુ નથી પડતું. સદર સંસ્થા અમો માટે આશિર્વાદ સમાન છે,વૃધ્ધોએ સંસ્થાના સંચાલકો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રવર્તમાન યુગમાં જ્યારે ઘરડા ઘરો ઉભરાઈ રહ્યા છે,વૃધ્ધો પ્રત્યે યુવાન ધૃણા અને તિરસ્કાર ભાવના રાખે છે, કેટલાય યુવાનો પોતાના મા-બાપને પણ પોતાની સાથે રાખતા મોઢું મચકોડે છે અને માતા-પિતા પોતાના પૂત્રોની ઘરે ફુટબોલની જેમ આમ થી તેમ ફરવા મજબુર બને છે,ત્યારે ઉમરેઠના ત્રણ યુવાનો નગરના અશક્ત વૃધ્ધોને દરોજ્જ ઘરે બેઠા પૈષ્ટીક ભોજન પિરસી સમાજમાં સેવાનું અનોખું ઉદાહરણ આપી રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષથી ઉમરેઠના હરિવદનભાઈ શાહ, નિતિનભાઈ શાહ, તેમજ અનિલભાઈ દેસાઈ ઉમરેઠના અશક્ત વૃધ્ધોને ઘરે બેઠા માત્ર બે રૂપિયા ટોકન લઈ ગરમા ગરમ ભોજન પૂરુ પાડે છે જેને લીધે ઉમરેઠના લગભગ સો થી પણ વધુ અશક્ત વૃધ્ધો દરોજ્જ ભરપેટ ભોજન કરી શકે છે.

ઉમરેઠના સદર ત્રણ યુવાનોની સેવાભાવનાને પ્રોત્સાહન આપવા ઉમરેઠના તેમજ ઉમરેઠ બહારના કેટલાય સેવાભાવી લોકો પરોક્ષ રીતે તેઓને આર્થિક સહયોગ કરવા આગળ આવી તેઓના આ ભગીરથ કાર્યને વેગવંતું બનાવે છે. સંસ્થાના સંચાલક હરિવદનભાઈ શાહએ જણાવ્યું હતુ કે,સંસ્થાની શરૂઆત થઈ ત્યારે માત્ર ૨૫ લાભાર્થી હતા હાલમાં ૧૦૯ જરૂરિયાતમંદ વૃધ્ધો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે, તેઓએ ઉમેર્યું હતુ કે સંસ્થાનો વહીવટ વ્યવસ્થીત રીતે થાય અને પારદર્શીતા જળવાઈ રહે તે માટે સંસ્થાના અન્ય વહીવટ કર્તા અનિલભાઈ દેસાઈ અને નિતિનભાઈ શાહ સાથે વિવિધ કાર્યોની વહેંચની કરેલ છે જેથી નિયમિત પ્રત્યક્ષ રીતે સંસ્થાના કાર્ય ઉપર નજર રાખી શકાય. અનિલભાઈ દેસાઈએ જણાવ્યું હતુ કે, અઠવાડિયાના તમામ દિવસે અલગ અલગ ભોજન આપવામાં આવે છે અને દરેક વાર પ્રમાને મેનું પહેલેથી નક્કી કરેલ છે જેથી દરોજ્જ સવારે સંસ્થાના રસોઈયા જે-તે વાર મુજબ નક્કી કરેલ ભોજન બનાવી દેતા હોય છે અને સવારે ૧૧ કલાકથી સંસ્થાના માણસો રીક્ષા દ્વારા જરૂરિયાતમંદોને ભોજન આપવા નિકળી પડે છે. વધુમાં સંસ્થાના અન્ય વહીવટકર્તા નિતિનભાઈ શાહએ જણાવ્યું હતુ કે સંસ્થાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૩,૨૮,૦૫૯ ટીફીનનું લાભાર્થિઓને વિતરણ કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા વાર-તહેવારે મેનુ તહેવારને અનુલક્ષી બનાવવામાં આવે છે હોળીમાં ધાણી-ચણા અને દશેરાએ ફાફડા-જલેબીનું પણ વિતરણ કરવામાં આવે છે, તેઓએ સંસ્થાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવા આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થા દ્વારા કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા પણ માંગી હતી.

૧૦૯ જરૂરિયાતમંદ વૃધ્ધો સદર સેવાનો લાભ લઈ રહ્યા છે.

 

આજે રાજભોગ પિરસાયો…!

આજે જીવન આધાર સેવા સંકૂલનો દશમાં વર્ષમાં પ્રવેશ થતા રાજભોગની સામાગ્રી બનાવવામાં આવી હતી જે જરૂરિયાત મંદ વૃધ્ધોને પિરસવામાં આવી હતી તે સંસ્થાના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તમે પણ કરી શકો છો સંસ્થાને મદદ

જીવન આધાર સેવા સંકૂલના સદર ભગીરથ કાર્યમાં તમે પણ પરોક્ષ રીતે સહભાગી બની શકો છો. જીવન આધાર સેવા સંકુલની સેવા અવિરત ચાલું રહે તે માટે તમે આર્થિક સહયોગ કરી શકો છો, સંસ્થાનો દેના બેન્કનો એકાઊન્ટ નંબર – ૦૦૯૦૧૦૦૦૪૩૪૮ છે.

વધુ માહીતી માટે સંસ્થાના કાર્યકરોના સંપર્ક સુત્ર –

હરિવદન કનૈયાલાલ શાહ મો. ૯૪૨૯૬ ૬૩૭૩૭ અને ૯૩૨૭૯૬૪૮૧૩

નિતિનભાઈ રમણલાલ શાહ (ઘંટીવાળા) મો. ૯૪૨૬૫ ૨૪૦૦૯

અનિલભાઈ ઠાકોરલાલ દેસાઈ મો.૯૪૨૮૪ ૩૫૫૦૨

ગિરિરાજજી દર્શન – ઉમરેઠ


ગિરિરાજજી દર્શન – ઉમરેઠ

This slideshow requires JavaScript.

ઉમરેઠના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ


સોસાયટીના રહીશો તેમજ ખ.વે.સંઘના વહેપારીઓને ચિંતા સાથે અગમચેતી દાખવી

Jpeg Jpeg Jpeg Jpeg

ઉમરેઠમાં બે દિવસથી પડેલા અવિરત વરસાદને કારન કેટલાક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને બેચરી ફાટક પાસે આવેલ ઝુપડ પટ્ટી વિસ્તારના લોકો ખાસ્સા પ્રભાવિત થયા હત. નગારી ફાટક તેમજ મફતલાલની ચાલી વિસ્તારની ઝુપડપટ્ટીમાં અચાનક પાણી આવી જતા લોકોને પોતાના સામાન ખસેડવાનો સમય પણ મળ્યો ન હતો. કેટલાક ઝુપડા સંપૂર્ણ નષ્ટ થઈ ગયા હતા. ઉમરેઠ ડુંગરીપૂરા માર્ગ પર કેડસમા પાણી ભરાઈ ગયા હતા. આજે સવારે પાણીનું સ્તર વધતા નગારી ફાટકનું પાણી બેચરી ફાટક પાસે આવેલા ડેન્સા થી ગાયત્રિ મંદિર રોડ પર પોલીસ લાઈન સુધી આવી ગયું હતુ પરંતુ આજે સવારથી વરસાદ નહીવત રહેતા હવે પાણી ઓસરવાની લોકોને આશા જાગી છે છતા કાળા વાદળોને કારણે લોકોને શંકા કુશંકા થઈ રહી છે. ઉમરેઠમાં રેલ્વે ફાટક પાસેની કેટલીક સોસાયટીના રહીશો દ્વારા અગમચેતી સ્વરૂપે પોતાના ઘરનો સામાન પણ યોગ્ય ઉંચાઈએ મુકયો હતો જ્યારે ખ.વે.સંઘના વહેપારીઓ દ્વારા પણ અગમચેતી રાખવામાં આવતી હોવાનું જાણવા મળે છે.

ઉમરેઠ ગિરિરાજધામ બહાર ટ્રક ફસાઈ


truck_Umreth

ઉમરેઠમાં બે દિવસથી પડતા અવિરત વરસાદને કારને જય અંબે એવન્યુ,ગિરિરાજધામ,સહીતની સોસાયટી બહાર રસ્તાની સાઈડો ધોવાઈ ગઈ હતી જેને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા હતા. આ અંગે સ્થાનિકોને ખબર હોવાને કારણે તેઓ તકેદારી રાખી આ વિસ્તાર માંથી પોતાના વાહનો લઈ અવર જવર કરતા હતા ત્યારે આજે વહેલી સવારે એક ટ્રક આ વિસ્તાર માંથી પસાર થતા ગિરિરાજ ધામ બહાર, ટ્રક જમીનના ધોવાનને કારણે ફસાઈ ગઈ હતી, ટ્રકમાં ડુંગળી ભરેલી હતી જેથી તેને બહાર કાઢવા માટે ક્રેન મંગાવવી પડી હતી.

ઉમરેઠના બેચરી ફાટક પાસે ઝુપડપટ્ટી વિસ્તારમાં પાણી ભરાયા..!


અચાનક પાણી આવતા માલસામાન પલળી ગયો.

ઉમરેઠમાં બે દિવસ પડેલા અવિરત વરસાદના પગલે બેચરી ફાટક પાસે આવેલા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. બેચરી ફાટક પાસે આવેલ નગારી વિસ્તાર ખુબજ નિચાણવાળો છે, તેમજ આ વિસ્તારમાં ખાડામાં ઝુપડ પટ્ટી વિસ્તાર હોવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અચાનક રાત્રિના સમયે પાણી આવી જતા લોકોને પોતાની ઘરવખરી ખસેડવાનો પણ સમય મળ્યો ન હતો. બેચરી ફાટક પાસે પાણી ભરાઈ જતા ઉમરેઠ થી ભરોડા તેમજ અહીમા જવાના ડુંગરીપૂરા માર્ગ પર ઘુંટણસમા પાણી ભરાઈ ગયા હતા તેમજ આ વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે બપોરબાદ વરસાદે વિરામ લેતા હવે પાણી ઓસરવાની આશા દેખાઈ રહી છે પરંતુ જો વરસાદ પૂનઃ પડશે તો પાણી વધી પણ શકે તેમ સ્થાનિકો મત પ્રગટ કરી રહ્યા છે.

ઉમરેઠમાં ગણેશ વિસર્જન શરૂ – મોડી રાત્રિ સુધી વિસર્જન પ્રક્રિયા ચાલવાની સંભાવના


ઉમરેઠમાં ગણેશ વિસર્જન ભારે ભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. સવારથી વરસાદીયા વાતાવરનમાં વિવિધ વિસ્તારમાં ગણેશજીની શોભાયાત્રા નિકળી હતી. વરસાદ હોવાને કારણે ગણેશ ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો અને લોકો ઉમંગ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. નગરના વિવિધ વિસ્તારમાં ઠેર ઠેર ગણેશજીની શોભાયાત્રાને આવકાર આપવામાં આવ્યો હતો. કેટલીક જગ્યાએ પાણી,છાસ તેમજ ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે વિસર્જન માટે મલાવ તળાવની પસંદગી કરવામાં આવી હતી, મામલતદાર કચેરી સામે આવેલા કિનારા થી વિસર્જન કરવામાં માટે ઉમરેઠ નગરપાલિકા દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તરાપા,ફ્લડલાઈટ તેમજ તરવૈયાઓ સાથે મેડીકલ ઈમરજન્સી ટીમ ખડે પગે તૈયાર રાખવામાં આવી હતી. ઉમરેઠ પોલીસ દ્વારા નગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વિના વિધ્ને ભક્તિભેર ગણેશજીની શોભાયાત્રા સંપન્ન થઈ હતી.

ગણેશજીને વિદાય આપવા મેઘરાજા પણ પધાર્યા …!


ઉમરેઠમાં સવારથી અવીરત વરસાદ ચાલું છે છતા પણ ગણેશ મંડળોનો ઉત્સાહ અકબંધ રહ્યો છે. નગરના અનેક વિસ્તાર માંથી ગણેશજીની શાહી સવારી સવારથી નિકળવાની શરૂ થઈ ગઈ છે. ઉમરેઠ પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડળોને રૂટ મુજબ શોભાયાત્રા નિકાળવાનું સુચન કરેલ છે જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય. ઉમરેઠના ચોકસી બજાર,ઠાકરવગા, ગટરની ખડકી,મોચીવાડ,કાછીયાવાડ,શેલતિયાકૂવા સહીત વાંટા વિસ્તારના ગણેશજીની શોભાયાત્રા નિકળી છે જે વિસર્જન સ્થળના માર્ગે આગળ વધી ગઈ છે કેટલાક નાના ગણેશ મંડળો દ્વારા નાસિકવાળા હોલ પાસે આવેલ ચારૂણી માતાના મંદિરના તળાવમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું ઉપરોક્ત તસ્વીરમાં ઉમરેઠના વ્યાસચોરાના બાપાની શોભાયાત્રા દ્રશ્યમાન છે, ગણેશ ભક્તો વરસાદ હોવા છતા પણ ઉત્સાહભેર ગણેશજીને વિદાય આપવા ભક્તિ-ઉમંગભેર શોભાયાત્રામાં જોડાયા છે.

ઉમરેઠમાં ગણપતિબાપાને અન્નકુટ ધરાવાયો.


ઉમરેઠમાં ગણેશ મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે નગરના વિવિધ ગણેશ મંડળો દ્વાર ગણેશજીને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. ઉમરેઠમાં દરજીવાડના નાકે વિધ્નરાજ ગૃપ, ત્રિવેદીવગા,કાછીયાવાડ,શેલતિયાકૂવા,પંચવટી,ચોકસી બજાર સહીતના વિસ્તારોમાં ભવ્ય અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ જે દિવ્ય દર્શનનો ભક્તોએ મોટી સંખ્યામાં લાહ્વો લીધો હતો અને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ઉમરેઠમાં ચલણી નોટીથી ગણેશજીનો શણઘાર કરાયો.

ગટરની ખડકી,ચોકસી બજાર

ગટરની ખડકી,ચોકસી બજાર

ઉમરેઠના ચોકસી બજાર વિસ્તારમાં આવેલ ગટરની ખડકીમાં બિરાજમાં ગણેશજીને ગણેશ મહોત્સવના અંતિમ દિવસે ચલણી નોટોનો શણઘાર તેમજ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠ પાસે ઓવર બ્રીજ રીપેર કરવાનું કામ શરૂ.


બે-ત્રણ દિવસમાં ઓવર બ્રીજ રાબેતા મુજબ શરૂ થશે.

ઉમરેઠ ઓડ માર્ગ પર જી.આઈ.ડી.સી પાસે આવેલ ઓવર બ્રીજ છેલ્લા બે મહીનાથી બિસ્માર થઈ ગયો હતો, ઓવર બ્રીજના સળિયા પણ રસ્તા બહાર ઉપસી આવ્યા હતા જેને કારણે આ ઓવર બ્રીજ પરથી અવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડતી હતી અને કેટલાક બાઈક ચાલકો તો પટકાયા પણ હતા.ઓવર બ્રીજની ખરાબ હાલત અંગે ઉમરેઠ,ઓડ તેમજ હમિદપૂરાના નાગરીકો અને ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી જેના પગલે ગતરોજ વે.રેલ્વેના અધિકારીઓ સ્થળ તપાસ માટે આવ્યા હતા અને યુધ્ધના ધોરણે ઓવર બ્રીજનું સમારકામ શરૂ કરાવ્યું હતું. ઓવર બ્રીજનું કામ શરૂ થતા ઉમરેઠ ઓડ તેમજ હમિદપૂરા સહીત ઉમરેઠ થી વડોદરા તરફ જતા વાહન ચાલકોને રાહત થશે હાલમાં આ બ્રીજ બંધ હોવાને કારણે વડોદરા તરફ જતો ટ્રાફિક ભાલેજ તેમજ બેચરી ફાટક થી ડાઈવર્ટ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ઓવર બ્રીજનું કામ બે-ત્રણ દિવસમાં પૂર્ણ થશે. – ભૃગરાજસિંહ ચૌહાણ

ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાને જણાવ્યું હતુ કે ઓવરબ્રીજ મુદ્દે તેઓ સતત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે સંપર્કમાં છે તેઓએ ઉમેર્યુ હતું કે ઓવર બ્રીજનું કામ બે-ત્રણ દિવસમાં પૂર્ણ થઈ જશે તેમ સુપરવાઈઝર દ્વારા જણાવવામાં આવેલ છે જેથી સોમવાર સુધીમાં આ બ્રીજ વાપરવા લાયક થઈ જશે. ઉલ્લેખનીય છે કે ભૃગુરાજસિહ ચૌહાને જ આ બ્રીજની બિસ્માર હાલત અંગે તંત્રનું ધ્યાન દોરી પરિણાત્મક રજૂઆત કરી હતી.

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના ગણેશજીની શોભાયાત્રા નિકળી


ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરના ગણેશજીના વિસર્જન અર્થે શોભાયાત્રા આજે સ્વામિનારાયણ મંદિર ખાતેથી નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઢોલનગારા સાથે જોડાયા હતા. સ્વામિનારાયણ મંદિરથી નિકળેલ શોભાયાત્રા ઓડ બજાર મોચીવાડના માર્ગે ચોકસી બજાર થઈ નગરના અન્ય વિસ્તારમાં ફરી હતી અને અંતે ઢેટુળી તલાવ ખાતે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. ગણેશજીને ભક્તોએ શ્રધ્ધાભેર ભાવભીની વિધાય આપી આવતા વર્ષે રિધ્ધિ સિધ્ધિ સહીત પૂનઃ પધારવા માટે આજીજી કરી હતી. ગણેશજીની શોભાયાત્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિરના સંત-મહંત સહીત બાળધૂન મંડળ અને યુવાનો તેમજ મહીલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભક્તિસભર વાતાવરણમાં ગણેશજીને વિધાય આપી હતી.

ઉમરેઠ ડાકોર માર્ગ પર આવેલ પુલ્હાશ્રમ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી


pulhashram

ઉમરેઠ ડાકોર માર્ગ ખાતે આવેલ પુલ્હાશ્રમ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ જાતે શિક્ષક બની અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું અને એક દિવસ શિક્ષક બનવાનો અહેસાસ કર્યો હતો. સિનિયર કે.જી અને જૂનિયર કે.જીના બાળકોને શાળાની વિદ્યાર્થીની શીવાંગી પટેલ અને પૂર્વી પટેલે શિક્ષક આપ્યું હતુ તેમજ શિક્ષક દિવસનું મહત્વ સમજાવ્ય્ં હતું. પોતાની સાથે જ ભણતા સહપાઠીઓને શિક્ષક તરીકે જોતા વિદ્યાર્થીઓમાં પણ અનેરો આનંદ છવાઈ ગયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય સાહૂસાહેબ તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓની પ્રશંશા કરી હતી અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

ઉમરેઠ ઓડ ઓવરબ્રીજની રેલ્વેના ઉચ્ચ અધિકારીઓએ સમીક્ષા કરી


રેલ્વેના અધિકારીઓએ પત્રકારો સાથે વાતકરવાનું ટાળ્યું

ઉમરેઠ ઓડ માર્ગ પર જી.આઈ.ડી.સી પાસે આવેલ ઓવર બ્રીજ છેલ્લા બે ત્રણ મહીનાથી બિસ્માર હાલતમાં થઈ જતા ઉમરેઠ સહીત હમિદપુરા અને ઓડના રહીશો તેમજ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા સબંધીત તંત્રને રજૂઆતો કરી હતી, પરંતુ આ અંગે પરિણાત્મક પગલા ન ભરવામાં આવતા આખરે પ્રજાની ધીરજ ખૂટતા પ્રજાએ જાતે આ ઓવર બ્રીજ રીપેર ન થાય ત્યાં સુધી બંધ કરી દીધો છે.

આ અંગે જિલ્લા કલેકટર્શ્રીને જાણ કરવામાં આવતા તેઓ દ્વારા રેલ્વે ઓથોરીટીસને નોટીશ પાઠવી સત્વરે આ બ્રીજ રીપેર કરવા આદેશ કર્યો  હોવાનું જાણવા મળ્યું હતુ ત્યારે આજે બપોરે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ ઉમરેઠ પાસેના બિસ્માર ઓવર બ્રીજની મુલાકાત લેવા આવી પહોચ્યા હતા અને પરિસ્થિતીથી વાકેફ થયા હતા. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ વડોદરાથી વે.રેલ્વેના અધિકારીઓ ઓવર બ્રીજની મુલાકાત કરવા આવ્યા ત્યારે એક સમયે બ્રીજની હાલત જોઈ તેઓની આંખો પહોળી થઈ ગઈ હતી તેઓ એક બીજા સાથે વાતો કરતા બ્રીજ માંથી બહાર નિકળતા સળિયા અને બ્રીજના બીંબ માંથી પાણી લીકેજ થતું હોવાનું જોયું હતું જેની તેઓએ ગંભીર નોંધ લીધી હતી. અને ક્યાંક ને ક્યાંક બ્રીજ બનાવવામાં લાલીયાવાડી થઈ હોવાનો તેઓની બોડી લેંગવેજ પરથી લાગતું હતું. બ્રીજ ક્યારે રીપેર થશે..? કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાશે..? તેવા યક્ષ પ્રશ્નોનો પત્રકારોએ અધિકારીઓ પાસે જવાબ માગ્યો હતો પરંતું રેલ્વેના અધિકારીઓએ પત્રકારો સાથે વાતચીત કરી ન હતી અને પોતાનું કામ કરી ચાલતી પકડી હતી. અધિકારીઓએ પત્રકારો સાથે વાત ન કરતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે ત્યારે હજૂ પણ બ્રીજ ક્યારે રીપેર થશે તે યક્ષ પ્રશ્ન યથાવત રહ્યો છે. આગામી દિવસોમાં રેલ્વે તંત્ર કેવા પગલા ભરશે તે સમય જ બતાવશે.

ઉમરેઠ તાલુકા યુવા મહોત્સવની ઉજવણી.


ઉમરેઠ તાલુકા યુવા મહોત્સવ તાજેતરમાં ખાનકૂવા ખાતે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સદર યુવા મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા,ગીત સંગીત, ડીબેટ,નાટક તેમજ નિબંધ જેવી સ્પર્ધા પણ યોજાઈ હતી. સદર સ્પર્ધા અને કાર્યક્રમમાં ઉમરેઠ તાલુકાની વિવિધ સ્કૂલોના વિધાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. પ્રાસંગીક પ્રવચન કરતા તા.પં.પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાને જણાવ્યું હતુ કે, વિદ્યાર્થીઓના વિકાસ માટે ભણતર સાથે ઈતર પ્રવૃત્તિઓનું પણ સરખુ જ મહત્વ છે તેઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપ વિવિધ વાતો કરી હતી. સદર યુવા મહોત્સવમાં આચાર્ય યોગેશભાઈ,મહેન્દ્રસિંહ તેમજ કન્વીનર દક્ષેસભાઈ, ખાનકૂવાના સરપંચ અને કેળવની મંડલના સભ્યો ઉપસ્થીત રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.