આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: July 2016

ઉમરેઠ ચોકસી મહાજનના હોદ્દેદારોનો પદગ્રહન સમારોહ યોજાયો.


This slideshow requires JavaScript.

ઉમરેઠ ચોકસી મહાજનના હોદ્દેદારોનો પદગ્રહન સમારોહ ટેક્ષ કન્સલટન્ટ કીરીટભાઈ બી.શાહ (નડીયાદ)ના પુરોહીત પદે ઉમરેઠ નાસિકવાળા હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં પ્રમુખ પદે ખડાયતા સમાજના અગ્રણી જ્ઞાતિરત્ન જયંતિલાલ કાચવાળા અતિથિ વિશેષ પદે સંગીતાબેન પટેલ ઉપસ્થીત રહ્યા હતા. કૃપા દોશી અને નિશિતા ચોકસીએ પ્રાર્થના દ્વારા સમારોહની શરૂઆત કરી હતી ત્યાર બાદ મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી સ્મારોહ ખુલ્લો મુખ્યો હતો. આવકાર પ્રવચન કરતા ચોકસી મહાજના વિદાયમાન પ્રમુખ દિવ્યેશભાઈ ચોકસીએ ઉપસ્થીત મહેમાનો અને આમંત્રીતોને આવકારી નવા પ્રમુખ તરીકે પદભાર લેતા રાકેશભાઈ ચોકસી ને શુભેચ્છા પાઠવી હતી,એક્સાઈઝ ડ્યુટી આંદોલનમાં ચોકસી મહાજન દ્વારા મળેલ સાથ સહકાર બદલ પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. ચોકસી મહાજનના મંત્રી પરાગભાઈ ચોકસી દ્વારા ચોકસી મહાજન દ્વારા વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કર્યો હતો. તેઓએ ઉમેર્યું હતુ કે ચોકસી મહાજન દ્વારા માત્ર ધંધાકિય પ્રવૃત્તિઓ જ નહી પરંતુ બ્લડ ડોનેશન કેમ્પ સહીત અન્ય સામાજીક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. સમારોહમાં પુરોહીત પદે ઉપસ્થીત કીરીટભાઈ શાહ દ્વારા એક્સાઈઝ ડ્યુટીના આંદોલનને ટાંકી જણાવ્યું હતુ કે, આગામી સમયમાં સરકાર દ્વારા જી.એસ.ટી બીલ સહીત એક્સાઈઝ ડ્યુટીનો કાયદો રાખવામાં આવશે. તેઓએ પ્રવર્તમાન ટેક્ષ પધ્ધતિ અને આવનાર જી.એસ.ટી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ અને નવા કાયદા બાદ વહેપારીઓએ તકેદારી રાખવાના વિવિધ મુદ્દા અંગે સલાહ સુચન આપ્યા હતા. સમારોહના પ્રમુખ પદે સંબોધન કરતા ખડાયતા જ્ઞાતિના અગ્રણી જયંતિલાલ કાચવાળાએ નવા વરણી પામેલ પ્રમુખ રાકેશભાઈ ચોકસી અને તેઓની ટીમને શુભેચ્છા પાઠવી હતી અને ઉમેર્યું હતુ કે ઉમરેઠના આર્થિક ક્ષેત્રે વિકાસનું ચોકસી મહાજન એન્જીન છે અને નગરમાં ચોકસી ની દૂકાનો ની ગ્રાહાકી અન્ય વહેપારીઓના ધંધા પર પણ પરોક્ષ રીતે અસર કરે છે તેમ જણાવ્યું હતુ. પોતાના માદરે વતન ઉમરેઠ ખાતે ડાકોર માર્ગ પર તેઓએ ભવ્ય કોર્ટયર્ક મંદિર બનાવવાની પણ તેઓએ જાહેરાત કરી હતી જેને ઉપસ્થીત મહેમાનોએ તાળીયોના ગળગળાટ થી વધાવી લીધી હતી. સમારોહમાં જયંતભાઈ એન.ચોકસી, કાપડ મહાજનના અગ્રણી સંજયભાઈ શહેરાવાળા, રોટરી કબલના પ્રમુખ ગૌરાંગભાઈ ચોકસી, રશ્મીભાઈ શ્રોફ દ્વારા પ્રાસંગીક પ્રવચન કરવામાં આવ્યા હતા. ડાકોર એચ.ડી.એફ.સી બેન્કના મેનેજર આ સમારોહમાં વિશેષ ઉપસ્થીત રહ્યા હતા અને ચોકસી મહાજન ઉમરેઠના નવા પ્રમુખ રાકેશભાઈ ચોકસીને શુભેચ્છા પાઠવી હતી. સમારોહના અંતે ભરતભાઈ બાવાવાળાએ આભાર વિધિ કરી હતી સમગ્ર સમારોહનું સફળ સંચાલન હિમાંશુભાઈ ચોકસીએ કર્યું હતું.