આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

એન.સી.પી ની પરંપરાગત કુતિયાણા બેઠક પર કોગ્રેસે ઉમેદવાર જાહેર કરતા, ઉમરેઠ બેઠક પર કોગ્રેસના સંભવીત ઉમેદવારો માટે આશાનું કિરણ – કોગ્રેસ એન.સી.પી ગઠબંધન ને લઈ હજુ અસમંજસ


વિધાનસભા ની ચુંટણી માટે કોગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી દેવામાં આવી છે, જેમાં એન.સી.પી ની પરંપરાગત સીટ કહેવાતી કુતિયાણા બેઠક પર થી કોગ્રેસે પોતાના ઉમેદવાર ને જાહેર કરી દીધા છે જેને પગલે કોગ્રેસ અને એન.સી.પી ગઠબંધન સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે એન.સી.પી અને કોગ્રેસ ગઠબંધન થાય ત્યારે કુતિયાણા સહીત ઉમરેઠ બેઠક પણ એન.સી.પી પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી) માટે ફાળવવામાં આવતી હતી ત્યારે કુતિયાણા બેઠક પર કોગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર કરવામાં આવતા હવે ઉમરેઠ બેઠક પર કોગ્રેસના ઉમેદવારો કે જેઓએ કોગ્રેસ ની ટીકીટ માગી છે તેઓને આશાવાદ જાગ્યો છે. 

૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં ઉમરેઠ બેઠક પર ભાજપના ગોવિંદભાઈ પરમાર કોગ્રેસના કપીલાબેન ચાવડા સામે લગભગ બે હજાર થી પણ ઓછા માર્જીન થી જીત્યા હતા જેને પગલે કોગ્રેસ પૂનઃ કપીલાબેન ચાવડાને ટીકીટ ફાળવણી કરે તો નવાઈ નહિ, બીજી બાજુ ભાજપ પણ પોતાના જીતેલા ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર ને રીપીટ કરી કોગ્રેસ ને ટક્કર આપે તેવા સમીકરણો દેખાઈ રહ્યા છે, હવે એન.સી.પી ના જયંત પટેલ ઉમરેઠ બેઠક પર કોગ્રેસ સાથે ગઠબંધન કરવામાં સફળ થાય છે કે નહી તે જોવું રહ્યું અને જો ગઠબંધન ન થાય તો ૨૦૧૭ ની જેમ ભાજપ ને આકડે મધ જેવી સ્થીતી નો લાભ મળે તો નવાઈ નહી.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.