આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ બેઠક – ભાજપના ગોવિંદભાઈ રઈજીભાઈ પરમારની જીત


ઉમરેઠ બેઠક પર આખરે ૨૦૦૨ બાદ ભાજપને જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. ક્ષત્રિય મતદારોનું વરચસ્વ ધરાવતી ઉમરેઠ બેઠક પર આ વખતે ભાજપ કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાયો હતો જેમાં ભાજપને જીત મળી હતી. ગોવિંદભાઈ રઈજીભાઈ પરમારને ૬૮૩૨૬ જ્યારે કોગ્રેસના કપીલાબેન ચાવડાને ૬૬૪૪૩ મત મળતા ભાજપનો ૧૮૮૩ મત થી વિજય થયો હતો.  ઉલ્લેખનીય છે કે કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠબંધન ન થતા પહેલે થી જીત માટે ભાજપ આશાવાદી હતુ ત્યારે ભાજપના ક્ષત્રિય ઉમેદવારની જીત થતા સમગ્ર ઉમરેઠ પંથકમાં ભાજપના ટેકેદારોમાં આનંદની લાગણી દેખાઈ હતી. નગરપાલિકા અને પંચવટી વિસ્તારમાં ભાજપની જીત સાથે ભાજપના કાર્યકરો એકઠા થયા હતા અને ફટાકડા ફોડી વિજયોત્સવ ની ઉજવણી કરી હતી. ઉમરેઠ શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, નગરપાલિકાના કાઉન્સિલર ગૌરાંગભાઈ ચોકસી, કનુભાઈ શાહ તેમજ ભાજપના કાર્યકરો અને ટેકેદારો મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે થી પંચવટી વિસ્તારમાં આવ્યા હતા અને ભાજપનો જયજય કાર કર્યો હતો.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.