આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

લખનૌ ખાતે આંતરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ-૨૦૧૮માં ઉમરેઠની શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ ભાગ લેશે.


GSU_3388.JPG

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા ભારતીય આંતરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ-૨૦૧૮ જે આગામી ૫ ઓક્ટોમ્બર થી ૮ ઓક્ટોમ્બર દરમ્યાન લખનૈ મુકામે યોજાનાર છે જેમાં “સાયન્સ વિલેજ” પ્રોગ્રામ અંતર્ગત રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયા દ્વારા શ્રી સરસ્વતી સ્કૂલના પાંચ વિદ્યાર્થી તેમજ એક વિજ્ઞાન શિક્ષકની નિમણુક કરી વિજ્ઞાનના સદર મહા ઉત્સવમાં ભાગ લેવાની તેઓને તક આપી છે, જે અંતર્ગત પૂર્વતૈયારીના ભાગ રૂપે રાજ્યસભા સાંસદ સભ્ય લાલસિંહ વડોદીયા દ્વારા સ્કૂલની મુલાકાત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા “સાયન્સ વિલેજ” પ્રોગ્રરામ અંતરગત માહીતી મેળવી જરૂરી સુચનો આપ્યા હતા. આ પ્રસંગે વિદ્યાલયના ચેરમેન ર્ડો.મધુસુધન એમ.ભગત, ટ્રસ્ટ્રી સુજલ શાહ તેમજ આચાર્ય રાજેશભાઈ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ શાળાનું નામ રોશન કરે તેવા આશીષ પાઠવી શાળાના વિદ્યાર્થીઓને આવી અમુલ્ય તક આપવા બદલ રાજ્યસભા સાંસદ સભ્ય લાલસિંહ વડોદીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. 

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.