આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ વીશા ખડાયતા વયસ્ક મહીલા સંગઠનના પ્રમુખની વરણી


screenshot_20180417-234609-124692895.jpg

screenshot_20180417-234502154461824.jpg

screenshot_20180417-234541129948941.jpg

ઉમરેઠ વીશા ખડાયતા વયસ્ક મહીલા સંગઠનના પ્રમુખ પદે સામાજિક કાર્યકર કુસુમબેન કિરીટભાઈ ચોકસી (ગાભાવાળા)ની સર્વાનુંમતે  વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં મુખ્ય મહેમાન પદે જાગૃતિબેન સોની,રશ્મિભાઈ શ્રોફ,પૂર્વ પ્રમુખ સુધાબેન શાહ,રમેશભાઈ શાહ, તેમજ દિપીકાબેન જે શાહ અને જયશ્રીબેન શાહ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. સમારોહની શરૂઆતમાં ઉપસ્થીત મહેમાનો અને આમંત્રીતોને શાબ્દીક આવકાર આપી તેઓનો પરિચર રજૂ કર્યો હતો. પ્રાસંગીક પ્રવચન કરતા પૂર્વ પ્રમુખ સુધાબેન શાહએ જણાવ્યું હતુ કે છેલ્લા ત્રણ વર્ષ થી ઉમરેઠ વીશા ખડાયતા વયસ્ક મહીલા સંગઠન અનેક સારા કાર્યો કરી રહ્યું છે. સંગઠનને મજબુત કરવા જ્ઞાતિની બહેનો દ્વારા આપવામાં આવેલ સહયોગ બદલ તેઓનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતુ કે જે રીતે જ્ઞાતિની બહેનોએ તેઓને પોતાના પ્રમુખ પદ દરમ્યાન સાથ સહકાર મળ્યો તેજ રીતે કુસુમબેન ચોકસીને પણ સૌ નો સાથ મળશે. તેઓએ ઉમેર્યું હતુ કે સંગઠન દ્વારા અત્યાર સુધીમાં ધાર્મિક, મનોરંજન સહીત, રસોઈને લગતી તેમજ ઈતર પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. તેઓએ અત્યાર સુધી વીશા ખડાયતા વયસ્ક મહીલા સંગઠન દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કર્યો હતો. દિપકભાઈ શાહએ પ્રાસંગીક પ્રવચન કરતા મહીલાઓનું સમાજમાં સ્થાન અને તેઓની જવાબદારીઓ અંગે છનાવટ સાથે રજૂઆત કરી હતી. જયશ્રીબેન સોનીએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતુ કે તેઓ કુસુમબેન ચોકસી સાથે સ્વામિનારાયણ મહીલા મંડળના સભ્ય પણ છે, તેઓની નેતૃત્વની કુશળતાનો વીશા ખડાયતા વયસ્ક મહીલા મંડળને લાભ મળશે અને તેઓના પ્રમુખ પદ દરમ્યાન વીશા ખડાયતા વયસ્ક મહીલા મંડળ પ્રગતિ કરશે તેવો તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કુસુમબેન ચોકસીએ પોતાને પ્રમુખ પદની જવાબદારી સોપવા બદલ ઉમરેઠ વીશા ખડાયતા વયસ્ક મહીલા સંગઠનની કારોબારી કમીટી તેમજ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ ઉમેર્યું હતુ કે મહીલાઓના શશક્તિકરણ માટે મહીલાઓએ જાતે આગળ આવવું પડશે અને સમાજમાં પોતાનું સ્થાન મજબુત કરવું પડશે તેઓએ આગામી સમયમાં મહીલાઓ માટે અનેક પ્રોજેક્ટ કરવાની ખાતરી આપી હતી સાથે સાથે તેઓને મળેલ જવાબદારી અંગે સકારાત્મકતા દાખવવા અને પ્રોત્સાહન પુરુ પાડવા માટે કિરીટભાઈ નટવરલાલ ચોકસીનો આભાર વ્યક્ત કર્યો હતો. કુસુમબેન ચોકસીને પ્રમુખ પદ મળતા ઉમરેઠના અગ્રણીઓ દ્વારા શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. 

 

રેડ ચીલી, ગ્રીન ચીલી, અને સોયા સોસ આકર્ષક પેકિંગ અને અદભુદ સ્વાદ સાથે…

– હવે પિત્ઝા સોસ પણ ઉપલબ્ધ –

કદમ સ્ટોર્સ ,પરબડી પાસે,ઓડ બજાર ઉમરેઠ- ટીનાભાઇ
ભગત ચવાણાવાળા,કોર્ટરોડ-ઉમરેઠ

One response to “ઉમરેઠ વીશા ખડાયતા વયસ્ક મહીલા સંગઠનના પ્રમુખની વરણી

  1. Surendra Shahpatel April 18, 2018 at 1:12 am

    Glad to read all UMRETH news

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.