આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં રાબેતા મુજબ બજારો ખુલ્યા.


ગઈકાલે ગુજરાત બંધના પગલે સમગ્ર ઉમરેઠ સજ્જડ બંધ રહ્યું હતું. આજે સવારથી નિયમિત રીતે ઉમરેઠમાં બજારો ખુલવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે હજૂ પણ એસ.ટી સેવા સંપૂર્ણ રીતે બહાલ કરવામાં ન આવી હોવાને કારણે નોકરી ધંધા અર્થે બહારગામ જતા લોકોએ ખાનગી રીક્ષા કે છકડાનો સહારો લેવો પડ્યો હતો. જ્યારે આણંદ તેમજ ગોધરા લાઈન પર ટ્રેન દ્વારા લોકોએ મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું.આજે ઉમરેઠમાં બજારો અને બેંકો રાબેતા મુજબ કાર્યરત થતા જનજીવન સામાન્ય થયું હતું.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.