આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં અષાઢી જોખાઈ


જૂવાર,ઘઊં, મગ અને ચણાનો પાક વધારે થવાનો વર્તારો

ચંન્દ્રમુળેશ્વર મહાદેવના ચમત્કારી ગોખ માંથી પંચ સમક્ષ મુકેલ ધાન્યોની પોટલી મુકેલો ઘડો પુજારીએ પંચ સમક્ષ બહાર નિકાળ્યો હતો, જેમાં મુકેલા ધાન્યોને પૂનઃ નગરના વહેપારી દિલીપભાઈએ ફરી જોખ્યા હતા.

ઉમરેઠના સ્ટેશનરોડ વિસ્તારમાં આવેલ ચંન્દ્રમૂળેશ્વર મહાદેવ ખાતે આજે સવારે પંચની હાજરીમાં ઐતિહાસીક અષાઢી જોખવામાં આવી હતી. જેમાં જૂવાર,ઘઊં,મગ અને ચણાનો સારો પાક થશે તેવો વર્તારો જોવા મળ્યો હતો. સોમવારે સાંજે મંદિરના ચમત્કારી ગોખમાં પંચની રૂબરૂ અષાઢીના ધાન્યોને જોખી એક કોરી પોટલીમાં મુકી ગોખને પંચની રૂબરૂ બંધ કરી શીલ કરવામાં આવ્યું હતું બીજા દિવસે આ ગોખમાં મુકેલા ધાન્યોને પંચરૂબરૂ બહાર કાઢી જોખવામાં આવ્યા હતા અને તેમાં થયેલ વધઘટને અષાઢીના વર્તારા તરીકે માનવામાં આવે છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં પરંપરાગત રીતે આજે ઉમરેઠના પ્રતિષ્ઠીત વહેપારી દિલીપભાઈ સોનીએ અષાઢીમાં જોખાતા ધાન્યોના વજનમાં વધગટ જોવા મળી હતી જેના આધારે ઉમરેઠ પંથકના ખેડૂતોએ પોતે કયા ધાન્યોની ખેતિ કરવી તેનો અંદાજ લીધો હતો.  સંવત ૨૦૬૮ની સરખામણીમાં ચાલુ વર્ષે ધાન્યોમાં મગ ૪ વધારે, જૂવાર ૧૦ વધારે, ઘઊં ૫ વધારે, અડદ ૧ વધારે જોખાયા હતા જેથી આવનારા દિવસોમાં આ કઠોડ વધારે થશે તેવો વર્તારો આવ્યો હતો. જ્યારે ગત વર્ષની સરખામણીમાં ડાંગર અને બાજરી ઓછી થતા તેનો પાક ઓછો થશે તેવો ખેડૂતોએ મત વ્યક્ત કર્યો હતો. જ્યારે માટી પણ સાધારણ ઓછી જણાતા વરસાદ ઓછો થશે તેવી માન્યતા બંધાઈ છે. ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જોખાયેલ અષાઢીના સમયે નગરના પ્રતિષ્ઠીત વહેપારીઓ, ખેડૂતો તેમજ સ્થાનિકો સહીત મંદિરના પુજારી હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્રના ખેડૂતોને ટપાલ દ્વારા વર્તારો મોકલાશે – ચંન્દ્રમુળેશ્વર મહાદેવના પુજારીએ જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રમાં ઉમરેઠમાં જોખાતી અષાઢીનું ખુબજ મહત્વ છે. ત્યાંતા ગંજ બજારના વહેપારીઓ અને ખેડૂતો હંમેશા ટપાલ લખી અષાઢીના વર્તારા અંગે પુચ્છા કરે છે. તેઓને મંદિર તરફથી કાયમ અષાઢીનો વર્તારો ટપાલથી અમે મોકલીએ છે.

 

ધાન્યનું નામ

  

ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનો વર્તારો

 

 

મગ

૪ વધારે

 

ડાંગર

 

૭ ઓછી

જુવાર

 

૧૦ વધારે

ઘઊં

 

૫ વધારે

તલ

 

સમધારણ

અડદ

 

૧ વધારે

કપાસ

 

રતીભાર વધારે

ચણા

 

૧ વધારે

બાજરી

 

રતીભાર ઓછી

માટી

રતીભાર ઓછી

 

2 responses to “ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં અષાઢી જોખાઈ

  1. PANKAJ SHAH July 23, 2013 at 3:46 pm

    Pride of Umreth.It continues sing long ago.It might be at Umreth only.& as per the prist they are sending post to saurashtra every year means it has been famous to long distance cities also.

    Like

  2. hitesh dave August 6, 2013 at 9:42 am

    FIRST OF ALL LET ME APPRECIATE THAT U HAVE STARTED DOING GUD THINGS..WE ARE SITTING VERY FAR FROM OUR HOME TOWN AND GEETING THE UPDATE OF OUR NATIVE PLACE FROM U. SO, LET ME CONGRATULATE FOR THAT.
    I WOULD LIKE TO SUGGEST ONE CORRECTION IN THE POSTED PHOTO. INSTEAD OF POSTING PEOPLES PHOTOS IF YOU COULD POST SHREE MAULESWAR MAHADFEV SHIV LING PHOTOS THAT WOULD BE MORE APPRECIABLE. B’CAUSE WE ARE MISSING A LOT OF MAHADEVJI. AND NOT ABLE TO COME UMRETH REGULARLY. SO, ON THIS SPECIAL EVENT HOW MAHADEVJI IS LOOKING???? WE ARE INTRESTED MORE TO SEE THAT.

    THANKS

    Like

Leave a reply to PANKAJ SHAH Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.