આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ એમ.જી.વી.સી.એલ કચેરી દ્વારા સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની અનોખી પહેલ..!


જિલ્લામાં ઉમરેઠ અને આંકલાવ એમ.જી.વી.સી.એલ કચેરી સૌર ઉર્જાથી ચાલે છે.

હાલમાં વીજ વપરાશ કુદકેને ભુસકે વધી રહ્યો છે. અઠવાડીયામાં એક દિવસ કેટલાય ગામોમાં વીજ કાપનો પણ લોકો સામનો કરી રહ્યા છે. સરકારની જ્યોતિર્ગ્રામની વાતો માત્ર મૃગજળ જેવી સાબિત થઈ રહી છે. નાના ગામડાના લોકો તો કેટલીક વાર આખો દિવસ વીજળી વગર વિતાવવા મજબૂર થઈ ગયા છે. દિવસે દિવસે લોકોનું જીવન ધોરન ફાસ્ટ થતુ જાય છે, અને આવી પરિસ્થિતીમાં આધુનિક ઉપકરણો વગર આપનું જીવન શક્ય નથી. આવા ઉપકરણો મોટા ભાગે વીજળીથી ચાલતા હોવાને કારણે સ્વભાવિક રીતે વીજ વપરાશ વધી જાય છે અને વીજળીના માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાય છે.

જો તમે ઉમરેઠ કે આંકલાવની એમ.જી.વી.સી.એલ કચેરીમાં જાવ અને પંખા અને લાઈટો બેફામ ચાલુ જોવા મળે તો ઉંધુ ન વિચારશો કારણ કે, આણંદ જિલ્લાના ઉમરેઠ અને આંકલાવની વીજ કંપણીઓ સૌર ઉર્જા દ્વારા ચાલે છે. જાતે જ વીજ કંપની સૌર ઉર્જાનો ઉપયોગ કરી અન્ય લોકોને પણ સૌર ઉર્જા વાપરવા માટે પ્રેરીત કરે છે તે ખરેખર સરાહનીય પગલું છે. વીજળીના વિકલ્પ તરીકે હવે, સૌર ઉર્જા શ્રેષ્ઠ સાબીત થઈ શકે છે. વીજ કંપનીઓ દ્વારા વીજ વપરાશમાં કરકસર અને બચત કરવા માટે વિવિધ જાહેરાતો પણ કરવામાં આવે છે સાથે સાથે કેટલીક વીજ કંપનીઓ દ્વારા વીજ બચત કરવા સૌર ઉર્જાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આણંદ જિલ્લામાં ઉમરેઠ તેમજ આંકલાવની એમ.જી.વી.સી.એલ વીજ કંપની દ્વારા સૌર ઉર્જાથી પોતાના કાર્યલયમાં વીજ પૂરવઠો મેળવવાની પહેલ કરવામાં આવી છે.. સૌર ઉર્જા હાલમાં ખુબજ ઓછા લોકો વાપરી રહ્યા છે, પરંતુ જો વિજળીના વિકલ્પ તરીકે લોકો સૌર ઉર્જાનિ ઉપયોગ કરે તો આર્થિક રીતે પણ લોકોને સૌર ઉર્જા સસ્તી પડે છે. વીજળીના બિલ હાલમાં લોકોને ઝટકા આપી રહ્યા છે ત્યારે એક વાર ઈન્વેસ્ટમેન્ટ કરી જો ઘરમાં સૌર ઉર્જાનો ઉપયોગ શરૂ કરવામાં આવે તો સરવાળે બચત જ થાય છે.

સૌર ઉર્જા સસ્તી છે, પરંતુ તેના ઉપકરણો મોંધા અને મોટા હોવાથી મધ્યમ વર્ગ હજૂ સૌર ઉર્જા અપનાવી શકે તેટલો સક્ષમ નથી. પરંતુ જો મોટા કારખાના અને ઉદ્યોગો જો સૌર ઉર્જા તરફ વળે તો ખાસ્સી વિજળી બચી શકે તેમ છે. અને આ બચેલી વીજળીનો સીધો લાભ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને આપી શકાય તેમ છે.અત્યારે પણ ચરોતરના ધનાઢ્ય પરિવારના સમજૂ લોકોએ સૌર ઉર્જાને અપનાવી છે. સૌર ઉર્જા માટે ઉપકરણો મોંધા આવે છે પણ એક વખત સૌર ઉર્જાના સાધનો ઈન્સ્ટોલેશન કરવાથી કાયમ માટે વીજ બચત થાય છે. ખાસ કરીને ચરોતરમાં વાતાવરણને ધ્યાનમાં રાખીયે તો લગભગ બાર મહિનામાં ૮ થી ૧૦ મહિના સૂર્ય પ્રકાશ મળતો જ રહે છે, બાકીના દિવસો માટે સૌર ઉર્જાના ઉપકરણો સ્ટોરેજ કરવા સક્ષમ હોય છે. વીજળીના વિકલ્પ તરીકે ખરેખર સૌર ઉર્જા જ કારગત સાબિત થઈ શકે તેમ છે કારણ કે પરમાનું ઉર્જા આપણે પરવડે તેમ પણ નથી.ઉમરેઠ અને આંકલાવની વીજ કચેરી દ્વારા સૌર ઉર્જા અપનાવઈ ખરેખર સારૂં પગલું ભર્યું છે.

ઉમરેઠ એમ.જી.વી.સી.એલના ઈજનેર જે.જે.પટેલે જણાવ્યુ હતુ કે, સૌર ઉર્જાના ઉપકરણો હાલમાં ઉમરેઠ અને આંકલાવમાં છે અને જિલ્લામાં બંન્ને વીજ કંપનીની કચેરી સૌર ઉર્જાથી ચાલે છે. ગુજરાતમાં કેટલાય સૌર ઉર્જાના ઉપકરણો પૂરા પાડતા એકમો છે તમામના ભાવ તાલ જોઈ ગ્રાહકે સૌર ઉર્જાના એકમો વસાવવા જોઈયે, તેઓએ ઉમેર્યું હતુ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે કેટલાક જરૂરી ટેક્નિકલ ફેરફાર કરવા પડે છે જે સૌર ઉર્જાના ઉપકરણો પ્રસ્થાપીત કંપણી કરી આપે છે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.