આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં ગણેશ મહોત્સવની ભક્તિભેર ઉજવણી .


ઉમરેઠમાં ગણેશ મહોત્સવની ભક્તિભેર ઉજવણી શરૂ થઈ ગઈ છે. સવારે ભક્તિભાવ સાથે નગરના વિવિધ વિસ્તારમાં ગણેશજીની સ્થાપણા કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમ્યાન નગરના ગણેશ મંડળો દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષની જેમ ઉમરેઠના કાછીયાવાડ વિસ્તારમાં ઈન્દ્રવદનભાઈ કાછીયા દ્વારા ઈકો-ફ્રેન્ડલી ગણેશમૂર્તિ બનાવવામાં આવી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ઉમરૅઠમાં સૌથી પહેલા ગણેશ મહોત્સવ ઉજવવાની શરૂઆત કાછીયાવાડ વિસ્તારથી શરૂ કરવામાં આવી હતી.હાલમાં ઉમરેઠમાં કાછીયાવાડ, શેલતિયાકૂવા, પંચવટી, મોચીવાડ, દેવશીરી સહીત અન્ય વિસ્તારોમાં ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ઉપરોક્ત તસવીરમાં ઉમરૅઠના દેવશેરી વિસ્તારના પ્રથમ ગણેશ મહોત્સવના ગણેજી દ્રશ્યમાન છે. (Photo _ Hardik Shah, Umreth)

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.