આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના સ્વામિનારાયણ મંદિરનો ૧૨મો પાટોત્સવ યોજાયો


ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરનો ૧૨મો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો .આ પ્રસંગે અન્નકુટના દર્શનનું ભવ્ય આયોનજ કરવામાં આવ્યું હતું.  દર્શનનો લાભ લેવા  ભક્તો ઉમટી પડ્યા હતા. (ફોટ – મયંક પટેલ, ઉમરૅઠ)

સ્વામિનારાયણ મંદિરના ૧૨મા પાટોત્સવ નિમિત્તે કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિતે નિકળેલ શોભાયાત્રામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ દરમ્યાન સમગ્ર વાતાવરણ ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. લગભગ એક અઠવાડિયા સુધી ચાલેલા આ પાટોત્સવની ઉજવણીના ભાગ રૂપે મંદિરમાં અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા. 

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.